આટકોટ, જંગવડ પાસે આવેલ મામા દેવ ના મંદિર પાસે એક બમપ બનાવવામાં આવ્યો છે આ, આ બમ્પ કેટલાક નો ભોગ લેશે આજે એક મોટરસાઇકલ ચાલક આ બમ્પ ના ભોગ બન્યા હતા આ પહેલા એસટી બસ અને રિક્ષા વચ્ચે પણ અકસ્માત થયો હતો તે પછી એક સનેડો ટ્રેક્ટર પણ આ ભોગ બન્યા હતા જેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કારણ વગરનો આ બમ્પ હજુ કેટલાક વાહનચાલકો આના ભોગ બનશે ઘણા અજાણ્યા વાહન ચાલકોને આ બમ્પ ના ભોગ બની ચૂક્યા છે હાઈવે ઉપર બમ્પ ના હોય અહીં કોઈ એવી જગ્યા જ નથી કે કોઈ નિશાળે નથી છતાં અહીં આ બંમપ બનાવવામાં આવ્યો છે તંત્ર દ્વારા હજી સુધી કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આજુબાજુ લોકો એજણાવ્યું હતું કે ઘણા વાહનચાલકો રાત્રે કે દિવસે ભોગ બની રહ્યા છે ત્યારે અજાણ્યા વાહન ચાલકો , બમ્પ દેખાતો નથી કોઈ નિશાની પણ બનાવવામાં આવી નથી રેડિયમ પટ્ટી નથી સાઈનબોર્ડ નથીતયારેભાવનગર હાઇવે ઉપર હજારો વાહનચાલકો નીકળતા હોય છે વાહનચાલકોને ખ્યાલ પણ આવતું નથી સાવ નજીક આવે ત્યારે ખ્યાલ આવે વહેલી તકે આ હાઇવે પરથી બમપ કાઢી નાખવાની માંગણી ઉઠી છે, ઘટનાસ્થળે 108 દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને આટકોટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હજી કોઈ ભોગ બને તે પહેલા આ બમ્પ ને કાઢી નાખવાની માગણી ઉઠી છે
- Advertisement -
- કરશન બામટા આટકોટ