ખાસ-ખબર સંવાદદાતા
સુત્રાપાડાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને ગેરકાનુની રીતે માટીનું ખનન કર્યા નો કિસ્સો સામે આવ્યો છે વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનાર ધામળેજ ગામના સુરસિંહ દાનાભાઈ બારડ નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે ની પ્રાપ્ત વિગતો અનુસાર સુત્રાપાડા રાઉન્ડના કણઝોતર બીટના ખારા તરીકે ઓળખાતા પ્રતિબંધિત જંગલ વિસ્તાર માં ગત તા 23/05/2023ના ધામળેજ ગામના સુરસિંહ બારડ સહિત ના ઈસમો દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરી જેસીબી મશીન અને ટ્રેક્ટર દ્વારા અંદાજે 1200 ઘનમીટર જેટલી માટીનું ગેરકાયદેસર ખનન કરી ચોરી કરી ગયા હોય આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટ માં ગુન્હા નંબર 03/2023-24 થી આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમની કલમ 26 (1)(ક) (ઘ)(જ)અને (ઝ) મુજબ તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ 1972 ના અધિનિયમની કલમ 29 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આ ગુનાના આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ફરાર હતા.
દરમિયાન વન વિભાગને બાતમી મળતાં સુત્રાપાડા પોલીસને સાથે રાખી આરોપી સુરસિંહ બારડ ની વાડી ના રહેણાંક મકાન પર દરોડો પડતા આરોપીઓ નાશી છૂટ્યા હતા જોકે સ્થળ પર થી ગેરકાયદેસર ખનન માં વપરાયેલ ઉંઈઇ નંબર ૠઉં-14-ખ-5510મળી આવતા વન વિભાગે મશીન જપ્ત કરી આરોપીઓની વધુ શોધખોળ આદરી છે.ગીરસોમનાથના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં પણ ભુમાફિયા ઓ બેખોફ ખનીજ ખનન ને અંજામ આપી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.હાલ તો ભુમાફિયા ઓ ને બચાવવા વનવિભાગ પર રાજકીય ભલામણો નો દોર પણ શરૂ થયાનું સૂત્રોમાં ચર્ચાઈ
રહ્યું છે.