By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    52 minutes ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    60 minutes ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 hour ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    1 day ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હીરોમાંથી ઝીરો બનવાનો ક્રમ: કથા કુસ્તીબાજ સુશીલકુમારની.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > હીરોમાંથી ઝીરો બનવાનો ક્રમ: કથા કુસ્તીબાજ સુશીલકુમારની.
સ્પોર્ટ્સ

હીરોમાંથી ઝીરો બનવાનો ક્રમ: કથા કુસ્તીબાજ સુશીલકુમારની.

Khaskhabar Editor
Last updated: 2021/06/02 at 11:10 AM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

તા.24/04/21ની પંચામૃત પૂર્તિમાં અહીંથી લખ્યું હતું કે કલાકારો પોતાની કલામાં જે ઊંચાઈ સિદ્ધ કરે છે એટલી ઊંચાઈ તેઓ ઘણીવાર માણસ તરીકે પામી શકતા નથી. પોતાની કલા જેટલી જ ઊંચાઈ પોતે માણસ તરીકે પ્રાપ્ત કરી શકતા નથી. આ વાત કોઈપણ ક્ષેત્રના માણસને લાવવું પડે એવી છે અને એનું તાજું ઉદાહરણ આપણને આપણા રાષ્ટ્રીય કુસ્તીબાજ સુશીલકુમારના કિસ્સામાંથી પ્રાપ્ત થાય છે. તા.26/05/1987ના રોજ જન્મેલા સુશીલકુમારના પિતા દીવાનસિંહ બસ ડ્રાઈવર અને માતા કમલા દેવી ઘરરખ્ખુ મહિલા છે. આ સુશીલકુમાર એક વખત મોસ્ટ સક્સેસફૂલ રેસલર હતો અને એ પછી મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બની ગયો. આવું કેમ બન્યું? એ માટે દિલ્હીના છત્રસાલ સ્ટેડીયમની કથા જાણવી પડે.

રમતગમત જગતમાં એ વાત ખુબ જાણીતી છે કે દિલ્હીનું છત્રસાલ સ્ટેડીયમ એ કુસ્તીબાજ માટે કાશી છે. ભારતના સફળ કુસ્તીબાજો આ સ્ટેડીયમમાંથી બહાર આવ્યા છે. સુશીલકુમાર પણ આ સ્ટેડિયમની ભેટ છે. દિલ્હી-હરિયાણાની સરહદ પર આવેલા ગામ બપરોલાનો વતની સુશીલ પોતાના નજીકના સગાને કુસ્તી કરતા જોઈ તેમાંથી પ્રેરણા લઇ બાળપણથી કુસ્તી કરવાનું શરુ કરે છે. સાતમા ધોરણમાં હતો ત્યારે તે અખાડામાં જોડાયો. ત્યાં પ્રારંભમાં જ કોચે કહી દીધું તું કોઈ દિવસ સફળ કુસ્તીબાજ નહિ બની શકે. આ ટોણો સુશીલકુમારને બરોબર વાગ્યો અને તેણે મનમાં નક્કી કરી લીધું કે હું આ કોચને ખોટો પાડીશ. મોટી વાત તો એ હતી કે સુશીલકુમાર સંપૂર્ણપણે શાકાહારી હતો. આ સંદર્ભે તેને કેટલાક ફ્રૂટ તેમજ અન્ય ઘટકો વધારાના લેવા પડતા. માત્ર પંદર વર્ષની વયે 1998માં સુશીલે વર્લ્ડ કેડેટ્સ ગેમમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો અને પેલા કોચને ખોટા પાડયા હતા.

- Advertisement -

આ દરમિયાન તેનો પરિચય કુસ્તીક્ષેત્રના પ્રખ્યાત ગુરુ સતપાલસિંઘ સાથે થયો. પરિણામે 14 વર્ષની ઉમરથી જ છત્રસાલ સ્ટેડીયમમાં જોડાયો. સતપાલસિંઘ છત્રસાલ સ્ટેડીયમના કુસ્તી નિયામક હતા. કોચ તરીકે અદભુત એવા સતપાલસિંઘ વ્યક્તિ તરીકે અહમવાદી હતા. એટલે કે, કુસ્તીના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ રહેવું જોઈએ એવી વૃત્તિનો શિકાર હતા. એમના કેમ્પમાં સુશીલકુમાર જેવો તેજસ્વી તારલો આવી જતા તેઓ વધુ ગર્વિષ્ઠ બન્યા. સતપાલસિંઘના માર્ગદર્શન હેઠળ સુશીલકુમારે 2008માં ઓલમ્પિકમાં કાન્સ ચંદ્રક અને 2012માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. 2008માં જ્યારે સુશીલે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો તે ઘટના 56 વર્ષ બાદ બની હતી. 56 વર્ષથી કુસ્તીમાં કોઈ ચંદ્રક મળ્યો ન હતો એ રીતે કુસ્તીમાં ચંદ્રકનો દુકાળ દૂર કરવાનો યશ સુશીલકુમારને મળ્યો. આ સુશીલકુમાર પ્રગતિના પગથિયાં સતત ચડયા કરતો હતો. તેણે કુસ્તીમાં 24 મેડલ જીત્યા હતા. 21 વર્ષની ઉંમરે તેણે ઓલમ્પિકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સુશીલકુમારને લોકોની આગાહી ખોટી પાડવાની ટેવ પડી ગઈ હતી. હંસરાજ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતા તેને કહ્યું હતું કે, લંડન ઓલમ્પિક્સમાં ભારતીય ટીમની આગેવાની લઇ, ભારતનો ઝંડો હાથમાં પકડીને એ ચાલ્યો ત્યારે એક પત્રકારે તેને એવું કહ્યું હતું કે, તે આ આગેવાની ન લીધી હોત તો સારું હતું. કારણકે, એવી પરંપરા છે કે જે ખેલાડી ભારતનો ઝંડો લઈને ટીમની આગેવાની લે છે એ ચંદ્રક મેળવી શકતો નથી. આ આગાહી પણ સુશીલકુમારે ખોટી પાડી અને ચંદ્રક જીત્યો. અલબત્ત, આ ચંદ્રક જીતતા પહેલા પુરુષોની 66 કિલોગ્રામની કેટેગરીમાં ચંદ્રક જીતવા માટે એ સેમી ફાઇનલમાં ઉતાર્યો ત્યારે એક(બહુ પ્રસિદ્ધ ન થયેલો) વિવાદ જન્મ્યો હતો. સુશીલના હરીફ અને કઝીકીસ્તાનના ખેલાડી અખઝરેક ટેનટ્રોવે એવી ફરિયાદ કરી હતી કે સુશીલકુમારે મારા કાન પર બટકું ભર્યું હતું. અલબત્ત, રમતગમતને અનુરૂપ ખેલદિલી દાખવીને ટેનટ્રોવે લેખિત અપીલ કરવાનું ટાળ્યું હતું. જેને પરિણામે સુશીલકુમાર વિજેતા જાહેર થયા હતા. આ પછી સુશીલકુમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો. 2006માં અર્જુન પુરસ્કાર અપાયો અને 2009માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર પણ એનાયત થયો. ગુરુ સતપાલસિંઘે પોતાની દીકરી સાવી સાથે સુશીલકુમારના લગ્ન કરાવ્યા અને તેને ત્યાં સુવર્ણ અને સુવીર નામના જોડિયા સંતાનો પણ છે.

સુશીલકુમારની આટલી સકારાત્મક વાતો પછી હવે કહાની મેં ટ્વીસ્ટ આતા હે! સુશીલકુમારને રેલવેએ ઊંચા પગાર અને હોદ્દાની નોકરી આપી. કુસ્તીની પ્રવૃત્તિ કરી શકે એ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પણ આપ્યું. સુશીલના સસરા સતપાલસિંઘ નિવૃત્ત થતા. સુશીલકુમારને છત્રસાલ સ્ટેડીયમ ખાતે માનદ કોચિંગ નિયામકની જગ્યા પર નિમણૂંક આપવામાં આવી આ રીતે સસરા જમાઈનું વર્ચસ્વ કુસ્તીમાં કાયમ રહે એવો કારસો ગોઠવાયો. છત્રસાલ સ્ટેડીયમમાં કુસ્તીના સ્ટેડીયમમાં બે ગ્રુપ છે. તેમાંથી જે ગ્રુપ સતપાલસિંઘના કહ્યામાં હોય તેને પ્રમોટ કરવામાં આવતું અને સામે હોય તે ખેલાડીઓને સ્ટેડીયમ છોડી જવા માટે મજબુર કરવામાં આવતા. આ રીતે આગામી ટોકિયો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર બજરંગ પુનિયાએ છત્રસાલ સ્ટેડીયમ છોડી દીધું છે. આ ઉપરાંત આ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર રવિ દહિયા, દીપક પુનિયાએ પણ છત્રસાલ સ્ટેડીયમ છોડી દીધું છે. આ ઉપરાંત યોગેશ્વર દત્ત અને સાક્ષી મલિકે પણ સ્ટેડીયમ છોડી દીધું છે. મોટા ભાગના હરીફો તો દૂર થઇ ગયા પણ ત્રેવીસ વર્ષીય પહેલવાન સાગર ધાનકાર હજુ સ્ટેડીયમ છોડતો નહોતો એટલે તા.04/05/2021ની રાત્રે સુશીલકુમાર અને એના મિત્ર તેમજ દિલ્હીના કોર્પોરેટરના દીકરા અજય શેરાવતે સાગર ધાનકાર પર હુમલો કર્યો, તેને સખત માર માર્યો અને પરિણામે બીજે દિવસે હોસ્પિટલમાં સાગરનું અવસાન થયું. સાગરનું અવસાન થતા સુશીલ અને તેનો મિત્ર અજય શેરાવત રીઢા ગુનેગારને છાજે એ રીતે ભાગી ગયા. ત્રણ સપ્તાહ સુધી ભાગતા રહયા અને છ જુદા જુદા રાજ્યોમાં છુપાતા રહયા. સુશીલકુમાર અને તેના મિત્રને ભાગવું પડ્યું એ જ બતાવે છે એ પોતાની જાતને ગુનેગાર ગણે છે વળી, પોલીસ એવું કહે છે કે અમારી પાસે સુશીલકુમાર વિરુદ્ધ સબળ પુરાવા છે. એટલે લાગે છે એવું કે સુશીલ કુમારને ખુબ મોટી સજા થશે અને કુસ્તીની તેમજ અન્ય કારકિર્દી ખતમ થઇ જશે. રેલવે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.

જીવનમાં સામાન્ય માણસ જેને સુખ, સમૃદ્ધિ અને સગવડ ગણે એ બધું સુશીલકુમાર પાસે નાની ઉંમરે આવી ગયું હતું પણ, પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ રાખવાનો લોભ , અયોગ્ય લોકો સાથેની મૈત્રી અને સફળતાનું અભિમાન, શિક્ષણ અને સંસ્કારનો અભાવ માણસને પતન તરફ ધકેલે છે. છત્રસાલ સ્ટેડીયમથી શરુ થયેલી સુશીલની ઉજળી કારકિર્દીની સમાપ્તિ પણ છત્રસાલ સ્ટેડીયમમાં જ થાય એ વિધિની વક્રતા છે. માણસ પોતાના સુખને ઓળખી ન શકે અને કલ્પિત સુખ માટે ફાંફાં મારે ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે અને આ કિસ્સાનો સંદેશો એ છે કે કોઈપણ ક્ષેત્રમાંની સિદ્ધિ ત્યારે જ ટકે છે કે જ્યારે તમે એક શ્રેષ્ઠ મનુષ્ય તરીકે પણ સિદ્ધ થવાનો પ્રયત્ન કરો. આ કિસ્સો દુઃખદ છે પણ આવતીકાલના રામતવીરોને શિખામણ આપે એવો છે એટલે અહીં મુક્યો છે.રમતગમત ક્ષેત્ર આપણને શીખવે છે કે હાર પચાવતા શીખો. સુશીલ એ જ ન શીખ્યો એટલે તેનું આવું ઘાતક પરિણામ આવ્યું.

- Advertisement -

You Might Also Like

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર

ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું

‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર

T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ રસીકરણ સહિત વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું
Next Article વર્લ્ડ કપમાં ટીમની સંખ્યા વધારવા આઈસીસીની હવે લીલીઝંડી: હવે વન-ડેમાં 14, ટી-20માં 20 ટીમો ટકરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પોર્ટ્સ

ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?