કયારે સર્વે થશે અને કયારે સહાય મળશે? ખેડૂતોની માંગ
ઘેડ પંથકમાં તારાજીથી જમીન અને ખેતીપાકને ભારે નુક્સાન
- Advertisement -
સર્વેમાં મોડું થશે તો ખેડૂત ફરી વાવણી કરી લેશે તેનુ શું ?: માંગરોળમાં ભારે વરસાદના લીધે યુરીયા ખાતરની માંગ વધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં અતિશય ભારે વરસાદ 16 ઇંચ એક જ દિવસમાં પાણી પડયુ જેથી નદીનાળા, હોકળાના વ્હેણ ખેેડૂતોના ખેતરમાં ફરી વળતા વિજાપુર, પ્લાસવા ગામોમાં જે તારાજી સર્જી છે અને વરસાદના પાણીથી ખેડૂતો બેહાલ છે વાવેતરણ કપાસ, મગફળી, સોયાબીન, અળદ, મગ જેવા પાકનો સાફ થયો પણ ખેતરની માટી સાફ થાય છે જેથી ખેડૂતો ફરી વાવેતર કરી શકે તેમ નથી માટે જળ હોનારતના રૂલ્સ મુજબ મામલતદાર સર્કલ ઓફીસ, તલાટી દ્વારા સ્થળ સ્થિતીનું રોજકામ થાય અને સરકારના નિયમ મુજબ ખેતી પુન:વસવાટ નિયમ મુજબ સહાય મળે, પુરહોનારતમાં જે ખડૂતોને ખેતી માટે સહાય મળી છે તે મળવાપાત્ર ખેડૂતોને અલગથી સર્વે અને સહાયના ધોરણ મુજબ સહાય આપવામાં ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટરને રજૂઆત કરી છે.
જે ખેતરમાં હોનારતની જેમ પાણી વહી ગયા અને માટી ખેતરની સાફ થઇ છે તે ખેડૂતોના ખેતરે મામલતદર અને રેવન્યુ ટીમ સેર્વે કરે, વરસાદી પાણી કયાંથી કેટલુ આવ્યુ અને વર્ષ જુના પાળા તુટયા છે અને તારાજી થઇ છે તે ફરી ના થાય તે માટે આર.સી.સી.દિવાલ બનાવવી, જેથી ફરી ખેડૂતોના ખેતર ધોવાય નથી. જૂનાગઢ જિલ્લામાં પાક વાવેતરના આંકડાના આધારે કેટલો પાક ઉગ્યા પછી સતત પાણીમાં રહેવાથી ફેલ થયો છે અને કેટલાક હેકટરમાં પાક પાકે તેમ છે તે તાત્કાલીક સર્વે હાથધરી રીર્પોટ કરવા. અતિ વરસાદથી ખેડૂતોના પશુનો ઘાસચારો પલળી ગયો અને જે મકાનમાં ભરેલ પાક તે તણાય ગયો છે પશુને બચાવવા માટે શુ કરવાનું તે આયોજન કરવુ અને યોજના બને સર્વેના આધારે સરકારમાં યોગ્ય રીર્પોટ રજુ કરવો.
- Advertisement -
તાત્કાલીક સર્વે થાય પછી બીયારણ, ખાતર ખેડૂતોને સહાય જાહેર થાય માટે અમારી માંગ છે કે, ત્રણ થી ચાર દિવસમાં જ ખેતીપાકનો સર્વે થાય અને રીપોર્ટ તૈાયર કરવો.
એસડીઆરએફના રૂલ્સ કે નિયમ સમગ્ર ગુજરાતમાં વરસાદથી નુકશાની આધારીત હોય છે ત્યારે જૂનાગઢમાં ચાર કલાકમાં 16 ઇંચ વરસાદ પડતા જે ગીરનારનું પાણી જૂનાગઢ શહેરને જૂનાગઢ તાલુકાના આજુબાજુના ગામોને જે નુકશાન થયુ છે તેમાં જૂનાગઢ શહેરને તાત્કાલીક સર્વે અને જે સહાય કરી છે તે જ રીતે આપણી બાજુના વિજાપુર, પ્લાસવા અને તાલુકાના નુકશાની થયલા ગામોને નુકશાન થયુ છે ત્યાં તાત્કાલીક સર્વે કરવાની માંગ છે. ઉપરોકત મુદ્દાને ગંભીરતા સમજી જૂનાગઢ જિલ્લાના દરેક મામલતદાર અને રેવન્યુ વિભાગ જાત નિરીક્ષણ કરે અને તેમાં મદદ માટે ભારતીય કિશાન સંઘના કાર્યકતાને સાથે રાખી સર્વે હાથ ધરવામાં આવે તેવી અમારી માંગ છે.