By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    17 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    5 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    5 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    17 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    17 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    17 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    3 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    17 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    16 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    16 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો
લાઇફ સ્ટાઇલ

સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો

khaskhabarrajkot
Last updated: 2021/03/01 at 4:42 PM
khaskhabarrajkot 5 years ago
Share
9 Min Read
SHARE

લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે.

લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે. મૉડર્ન સાયન્સ માને છે કે મોં સાફ કરીને પછી જ પાણી પીવું જોઈએ, જ્યારે પૌરાણિક વિજ્ઞાન લાળમાં રહેલાં અસંખ્ય ફાયદાકારક તત્ત્વોનો લાભ લેવા માટે મોં સાફ કર્યા વિના જ પાણી પીવાનું કહે છે. જાણીએ આ બન્ને માન્યતાઓ પાછળનાં કારણો.

પહેલાં મરઘી આવી કે ઈંડું?
આ સવાલ જેટલો પેચીદો છે એટલો જ મૂંઝવણભર્યો સવાલ છે સવારે ઊઠીને બ્રશ કરીને પાણી પીવું કે બ્રશ કર્યા પહેલાં?

- Advertisement -

માત્ર દાંત સ્વસ્થ રાખવા માટે જ નહીં, ઓવરઑલ સ્વસ્થ રહેવા માટે પણ ઓરલ હાઇજીન ખૂબ જ મહત્ત્વનું છે. સવારે ઊઠીને પાણી પીવાની આદત બહુ સારી છે એવું તો બધા કહે છે, પણ પાણી પીતાં પહેલાં બ્રશ કરી લેવું કે પછી બ્રશ કરવું એ બાબતે મૂંઝવણ છે.

મહર્ષિ વાગ્ભટે લખેલા શાસ્ત્રમાં માનવની વહેલી સવારની લાળને દિવસભરની લાળ કરતાં અનેકગણા ઉત્તમ ગુણવાળી ગણવામાં આવી છે. મૉડર્ન મેડિસિન પણ ઍટલું તો સ્વીકારે છે કે લાળમાં એવાં કેમિકલ્સ અને પ્રોટીન્સ રહેલાં છે જેનાથી મોંમાં પેદા થતા બૅક્ટેરિયા ખતમ થઈ જાય છે અને મોં ચોખ્ખું રાખે છે. શ્વાસની દુર્ગંધ તેમ જ પેઢાં, ગલોફાં અને જીભની સ્વચ્છતા માટે કુદરતી રીતે પેદા થતી લાળ ખૂબ મોટો ફાળો ભજવે છે. ત્વચાની બીમારીઓમાં પણ સવારે ઊઠ્યા પછીની પહેલી લાળ અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી ફાયદો થવાનું ‘અષ્ટાંગ હૃદય’માં નોંધાયું છે. રાજીવ દીક્ષિત જેવા ઍક્ટિવિસ્ટે સવારના થૂંકનો ઘણો પ્રચાર કર્યો હતો. તેમણે તો સવારે ઊઠીને પહેલું થૂંક આંખમાં આંજવાનું પણ કહ્યું હતું.

લાળ સારી કહેવાય?

- Advertisement -

સવારની લાળ ખરેખર ગુણકારી છે કે નહીં એ બાબતે આજકાલ પેટના નિષ્ણાતો અને ઑલ્ટરનેટિવ થેરપીના નિષ્ણાતો વચ્ચે ખાસ્સો મતભેદ છે. લાળ ઘણી ગુણકારી છે એવું માનતા આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘માણસ એક જ એવી પ્રજાતિ છે જે પડવા-આખડવાથી થોડુંક વાગે તોય સીધો ડૉક્ટર પાસે જાય છે. બાકી પ્રાણીઓમાં નાના-મોટા જખમને આપમેળે જ હીલ થવા દેવામાં આવે છે. તમે જોયું હોય તો સ્વચ્છતાના આગ્રહીઓ આપણે દરેક વાતમાં ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિસેપ્ટિક દવાઓની શોધમાં ફરતા રહીએ છીએ, પણ મોટા ભાગનાં જંગલી પ્રાણીઓ હોય કે પાળતુ પ્રાણીઓ; શરીરને ચોખ્ખું રાખવા તેમ જ જંતુરહિત રાખવા માટે પોતાની લાળનો જ ઉપયોગ કરે છે. રસ્તે રમતા ડૉગી અને કૅટ્સ હોય કે ગાય-ભેંસ જેવાં સમજુ પ્રાણીઓ, પોતાના શરીરને સાફ રાખવા માટે પોતાની જ લાળનો ઉપયોગ કરે છે. ક્યાંક નાનો ઘા થયો હોય તો પહેલાં એને ચાટી-ચાટીને સાફ કરી દેશે. ડૉગી પણ જેવું પોતાનું બચ્ચું જન્મે એટલે તરત જ એને પોતાની જીભથી જ સાફ કરી દે છેને?’

બ્રાહ્મમુરતમાં પાણી

મોટા ભાગે આપણે સવારે ઊઠીએ ત્યારે મોંમાં થોડુંક થૂંક ભરાયેલું હોય છે. આ થૂંકમાં ખૂબ મોટી માત્રામાં ગુણકારી તત્ત્વો રહેલાં હોવાથી વહેલી સવારે ઊઠીને મોં સાફ કર્યા પહેલાં જ તાંબાના લોટામાં ભરેલું પાણી પી જવું જોઈએ એવું સૂચન આયુર્વેદશાસ્ત્રમાં છે. આ વિશે વધુ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ખોરાકના પાચન માટે લાળ બહુ જ જરૂરી છે. લાળ નહીં હોય તો તમને ભોજનનો સ્વાદ નહીં આવે. ઇન ફૅક્ટ, ભોજનનું વિઘટન થવાની શરૂઆત ખોરાકમાં લાળ ભળવાના સ્તરે જ શરૂ થઈ જતી હોય છે. મોંમાં પાચન માટે જરૂરી રસદ્રવ્યો સતત પેદા થતા રહેતાં હોય છે. ઊંઘ દરમ્યાન મોંમાં જમા થયેલાં રસદ્રવ્યો લાળમાં જમા થતાં હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી લાળ પણ પેટમાં જતી રહે છે. એની સાથે પાચનની પ્રક્રિયા સુધરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ રોજ સવારે ઊઠીને બ્રાહ્મમુરતમાં પાણી પીએ છે તેનું પાચન ખૂબ જ સારું રહે છે. અલબત્ત, અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે સમય બ્રાહ્મમુરતનો કહેવાયો છે. આપણે સવારે આઠ વાગ્યે પથારીમાંથી ઊઠીને સીધા પાણી પીએ એમ નહીં. બ્રાહ્મમુરત એટલે સવારે સૂર્યોદય થાય એની જસ્ટ પહેલાંનો સમય. સરેરાશ છ વાગ્યા પહેલાંનો સમય એવું ગણી શકાય. શરીરની આંતરિક સ્વચ્છતાનો કાર્યક્રમ રાતના ચોક્કસ સમયગાળા દરમ્યાન થતો હોય છે. એટલે પાચનતંત્રને સ્વસ્થ રાખવું હોય તો ખાવાનું અને પાણી કયા સમયે તમે લો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. બીજું, દૈનિક ક્રિયાઓમાં પહેલાં બ્રહ્મપાન કરવાનું અને પછી દંતધાવન કરવાનું સ્પષ્ટ કહેવાયું છે એનો મતલબ એ કહી શકાય કે લાળ પેટમાં જાય એમાં કોઈ વાંધો નથી.’

બ્રશ કરીને પછી જ પીઓ

આયુર્વેદના મતથી ઘણો જ જુદો મત છે મૉડર્ન મેડિસિનનો. પ્રાર્થના સમાજમાં આવેલી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘સવારે પાણી પીવું ગુણકારી છે, પણ એ બ્રશ કર્યા પછી જ. એનું કારણ છે ઓરલ હાઇજીન. રાતે સૂતાં પહેલાં તમે જે કંઈ ખાધું હોય એના અવશેષો મોંમાં રહી ગયા હોય તો એને કારણે સડો પેદા કરતા બૅક્ટેરિયા પણ મોંમાં જમા થયા હોઈ શકે છે. આ બૅક્ટેરિયાને પેટમાં ગલ્પ કરી જવાને બદલે બહાર થૂંકી કાઢવાનું જ બહેતર છે. સવારે પાણી પીવાનું કહેવાયું છે એનું કારણ છે જઠરમાં એકઠા થયેલા ઍસિડને થોડોક ડાઇલ્યુટ કરીને પાચનક્રિયા સરળ થાય. કદાચ પહેલાંના જમાનામાં બ્રશ કર્યા પહેલાં પાણી પીવાની વાત કહેવાયેલી એ સમયે ઠીક હશે, પણ હાલમાં તો એટલા બધા બૅક્ટેરિયા અને વાઇરસ મોંની લાળમાં પનપે છે કે ન પૂછો વાત. આ બૅક્ટેરિયામાં પણ હવે તો એટલું જિનેટિક મ્યુટેશન થઈ ગયું છે કે આખી રાત મોંના થૂંકમાં જમા થયેલા બૅક્ટેરિયા સારા જ હોય એવું ધારી ન શકાય. આવા બૅક્ટેરિયા કે વાઇરસ પેટમાં જાય તો એનાથી થતું નુકસાન વધુ છે. ગૅસ્ટ્રોએન્ટરોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો બ્રશ કરીને પાણી પીવાના ફાયદા વધારે છે અને બ્રશ પહેલાં પાણી પીવાને કારણે સમસ્યા થવાના ચાન્સિસ વધુ છે. બીજું, ઘણા લોકો એક લિટર પાણી પી જતા હોય છે. એટલુંબધું પાણી પીવાની જરૂર નથી. તાંબાના લોટામાં કે માટલામાં ભરી રાખેલું હૂંફાળું અથવા તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું એક ગ્લાસ પાણી પીવાની આદત પણ પૂરતી છે.’

બ્રશ ન કરો તો કોગળા તો કરો જ

મૉડર્ન મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે ભલે તમે પાણી પીતાં પહેલાં ઍટ લીસ્ટ કોગળા કરીને મોં સાફ કરી લો. આ વાત સાથે સહમત થતાં ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘માત્ર ઓરલ હાઇજીન જ નહીં, પેટ પણ ખરાબ હોય તોય મોંમાં રાત દરમ્યાન ખરાબ બૅક્ટેરિયાનો જમાવડો થયો હોઈ શકે છે. વળી જો દાંતમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય તો-તો વધુ મુશ્કેલીઓ પેદા થાય. એટલે જ ટૂથપેસ્ટ લગાવીને મોં સ્વચ્છ કર્યા પછી જ પાણી પીવું એવો આગ્રહ રાખવાની જરૂર નથી, પરંતુ પાણીથી કોગળા કરીને મોં સાફ કરેલું હોવું મસ્ટ છે.’

સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને તાંબાના લોટામાં ભરી રાખેલા પાણીનું બ્રાહ્મપાન કરીને પછી દંતધાવન કરવાનું આયુર્વેદ શાસ્ત્રોમાં કહેવાયું છે. જોકે એ માટે આ ક્રિયા બ્રાહ્મમુરતમાં ઊઠીને કરેલી હોય એ જરૂરી છે. ઊંઘ દરમ્યાન મોંમાં જમા થયેલાં રસદ્રવ્યો લાળમાં જમા થતાં હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી લાળ પણ પેટમાં જતી રહે છે. એની સાથે પાચનની પ્રક્રિયા સુધરે છે.
– આયુર્વેદાચાર્ય

બૅક્ટેરિયામાં પણ હવે તો એટલું જિનેટિક મ્યુટેશન થઈ ગયું છે કે આખી રાત મોંના થૂંકમાં જમા થયેલા બૅક્ટેરિયા સારા જ હોય એવું ધારી ન શકાય. આવા બૅક્ટેરિયા કે વાઇરસ પેટમાં જાય તો એનાથી થતું નુકસાન વધુ છે. ગૅસ્ટ્રોએન્ટરોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો બ્રશ કરીને પાણી પીવાના ફાયદા વધારે છે અને બ્રશ પહેલાં પાણી પીવાને કારણે સમસ્યા થવાના ચાન્સિસ વધુ છે.

–  ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોપડાનું વર્ચસ્વ
Next Article Facebook યૂઝર્સ થઈ જાઓ સાવધાન, 61 લાખ ભારતીયોનો ડેટા થયો લીક.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?