By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 week ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 weeks ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    19 hours ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    20 hours ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    20 hours ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    20 hours ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    22 hours ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 week ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો
લાઇફ સ્ટાઇલ

સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો

khaskhabarrajkot
Last updated: 2021/03/01 at 4:42 PM
khaskhabarrajkot 5 years ago
Share
9 Min Read
SHARE

લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે.

લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે. મૉડર્ન સાયન્સ માને છે કે મોં સાફ કરીને પછી જ પાણી પીવું જોઈએ, જ્યારે પૌરાણિક વિજ્ઞાન લાળમાં રહેલાં અસંખ્ય ફાયદાકારક તત્ત્વોનો લાભ લેવા માટે મોં સાફ કર્યા વિના જ પાણી પીવાનું કહે છે. જાણીએ આ બન્ને માન્યતાઓ પાછળનાં કારણો.

પહેલાં મરઘી આવી કે ઈંડું?
આ સવાલ જેટલો પેચીદો છે એટલો જ મૂંઝવણભર્યો સવાલ છે સવારે ઊઠીને બ્રશ કરીને પાણી પીવું કે બ્રશ કર્યા પહેલાં?

- Advertisement -

માત્ર દાંત સ્વસ્થ રાખવા માટે જ નહીં, ઓવરઑલ સ્વસ્થ રહેવા માટે પણ ઓરલ હાઇજીન ખૂબ જ મહત્ત્વનું છે. સવારે ઊઠીને પાણી પીવાની આદત બહુ સારી છે એવું તો બધા કહે છે, પણ પાણી પીતાં પહેલાં બ્રશ કરી લેવું કે પછી બ્રશ કરવું એ બાબતે મૂંઝવણ છે.

મહર્ષિ વાગ્ભટે લખેલા શાસ્ત્રમાં માનવની વહેલી સવારની લાળને દિવસભરની લાળ કરતાં અનેકગણા ઉત્તમ ગુણવાળી ગણવામાં આવી છે. મૉડર્ન મેડિસિન પણ ઍટલું તો સ્વીકારે છે કે લાળમાં એવાં કેમિકલ્સ અને પ્રોટીન્સ રહેલાં છે જેનાથી મોંમાં પેદા થતા બૅક્ટેરિયા ખતમ થઈ જાય છે અને મોં ચોખ્ખું રાખે છે. શ્વાસની દુર્ગંધ તેમ જ પેઢાં, ગલોફાં અને જીભની સ્વચ્છતા માટે કુદરતી રીતે પેદા થતી લાળ ખૂબ મોટો ફાળો ભજવે છે. ત્વચાની બીમારીઓમાં પણ સવારે ઊઠ્યા પછીની પહેલી લાળ અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી ફાયદો થવાનું ‘અષ્ટાંગ હૃદય’માં નોંધાયું છે. રાજીવ દીક્ષિત જેવા ઍક્ટિવિસ્ટે સવારના થૂંકનો ઘણો પ્રચાર કર્યો હતો. તેમણે તો સવારે ઊઠીને પહેલું થૂંક આંખમાં આંજવાનું પણ કહ્યું હતું.

લાળ સારી કહેવાય?

- Advertisement -

સવારની લાળ ખરેખર ગુણકારી છે કે નહીં એ બાબતે આજકાલ પેટના નિષ્ણાતો અને ઑલ્ટરનેટિવ થેરપીના નિષ્ણાતો વચ્ચે ખાસ્સો મતભેદ છે. લાળ ઘણી ગુણકારી છે એવું માનતા આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘માણસ એક જ એવી પ્રજાતિ છે જે પડવા-આખડવાથી થોડુંક વાગે તોય સીધો ડૉક્ટર પાસે જાય છે. બાકી પ્રાણીઓમાં નાના-મોટા જખમને આપમેળે જ હીલ થવા દેવામાં આવે છે. તમે જોયું હોય તો સ્વચ્છતાના આગ્રહીઓ આપણે દરેક વાતમાં ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિસેપ્ટિક દવાઓની શોધમાં ફરતા રહીએ છીએ, પણ મોટા ભાગનાં જંગલી પ્રાણીઓ હોય કે પાળતુ પ્રાણીઓ; શરીરને ચોખ્ખું રાખવા તેમ જ જંતુરહિત રાખવા માટે પોતાની લાળનો જ ઉપયોગ કરે છે. રસ્તે રમતા ડૉગી અને કૅટ્સ હોય કે ગાય-ભેંસ જેવાં સમજુ પ્રાણીઓ, પોતાના શરીરને સાફ રાખવા માટે પોતાની જ લાળનો ઉપયોગ કરે છે. ક્યાંક નાનો ઘા થયો હોય તો પહેલાં એને ચાટી-ચાટીને સાફ કરી દેશે. ડૉગી પણ જેવું પોતાનું બચ્ચું જન્મે એટલે તરત જ એને પોતાની જીભથી જ સાફ કરી દે છેને?’

બ્રાહ્મમુરતમાં પાણી

મોટા ભાગે આપણે સવારે ઊઠીએ ત્યારે મોંમાં થોડુંક થૂંક ભરાયેલું હોય છે. આ થૂંકમાં ખૂબ મોટી માત્રામાં ગુણકારી તત્ત્વો રહેલાં હોવાથી વહેલી સવારે ઊઠીને મોં સાફ કર્યા પહેલાં જ તાંબાના લોટામાં ભરેલું પાણી પી જવું જોઈએ એવું સૂચન આયુર્વેદશાસ્ત્રમાં છે. આ વિશે વધુ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ખોરાકના પાચન માટે લાળ બહુ જ જરૂરી છે. લાળ નહીં હોય તો તમને ભોજનનો સ્વાદ નહીં આવે. ઇન ફૅક્ટ, ભોજનનું વિઘટન થવાની શરૂઆત ખોરાકમાં લાળ ભળવાના સ્તરે જ શરૂ થઈ જતી હોય છે. મોંમાં પાચન માટે જરૂરી રસદ્રવ્યો સતત પેદા થતા રહેતાં હોય છે. ઊંઘ દરમ્યાન મોંમાં જમા થયેલાં રસદ્રવ્યો લાળમાં જમા થતાં હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી લાળ પણ પેટમાં જતી રહે છે. એની સાથે પાચનની પ્રક્રિયા સુધરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ રોજ સવારે ઊઠીને બ્રાહ્મમુરતમાં પાણી પીએ છે તેનું પાચન ખૂબ જ સારું રહે છે. અલબત્ત, અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે સમય બ્રાહ્મમુરતનો કહેવાયો છે. આપણે સવારે આઠ વાગ્યે પથારીમાંથી ઊઠીને સીધા પાણી પીએ એમ નહીં. બ્રાહ્મમુરત એટલે સવારે સૂર્યોદય થાય એની જસ્ટ પહેલાંનો સમય. સરેરાશ છ વાગ્યા પહેલાંનો સમય એવું ગણી શકાય. શરીરની આંતરિક સ્વચ્છતાનો કાર્યક્રમ રાતના ચોક્કસ સમયગાળા દરમ્યાન થતો હોય છે. એટલે પાચનતંત્રને સ્વસ્થ રાખવું હોય તો ખાવાનું અને પાણી કયા સમયે તમે લો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. બીજું, દૈનિક ક્રિયાઓમાં પહેલાં બ્રહ્મપાન કરવાનું અને પછી દંતધાવન કરવાનું સ્પષ્ટ કહેવાયું છે એનો મતલબ એ કહી શકાય કે લાળ પેટમાં જાય એમાં કોઈ વાંધો નથી.’

બ્રશ કરીને પછી જ પીઓ

આયુર્વેદના મતથી ઘણો જ જુદો મત છે મૉડર્ન મેડિસિનનો. પ્રાર્થના સમાજમાં આવેલી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘સવારે પાણી પીવું ગુણકારી છે, પણ એ બ્રશ કર્યા પછી જ. એનું કારણ છે ઓરલ હાઇજીન. રાતે સૂતાં પહેલાં તમે જે કંઈ ખાધું હોય એના અવશેષો મોંમાં રહી ગયા હોય તો એને કારણે સડો પેદા કરતા બૅક્ટેરિયા પણ મોંમાં જમા થયા હોઈ શકે છે. આ બૅક્ટેરિયાને પેટમાં ગલ્પ કરી જવાને બદલે બહાર થૂંકી કાઢવાનું જ બહેતર છે. સવારે પાણી પીવાનું કહેવાયું છે એનું કારણ છે જઠરમાં એકઠા થયેલા ઍસિડને થોડોક ડાઇલ્યુટ કરીને પાચનક્રિયા સરળ થાય. કદાચ પહેલાંના જમાનામાં બ્રશ કર્યા પહેલાં પાણી પીવાની વાત કહેવાયેલી એ સમયે ઠીક હશે, પણ હાલમાં તો એટલા બધા બૅક્ટેરિયા અને વાઇરસ મોંની લાળમાં પનપે છે કે ન પૂછો વાત. આ બૅક્ટેરિયામાં પણ હવે તો એટલું જિનેટિક મ્યુટેશન થઈ ગયું છે કે આખી રાત મોંના થૂંકમાં જમા થયેલા બૅક્ટેરિયા સારા જ હોય એવું ધારી ન શકાય. આવા બૅક્ટેરિયા કે વાઇરસ પેટમાં જાય તો એનાથી થતું નુકસાન વધુ છે. ગૅસ્ટ્રોએન્ટરોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો બ્રશ કરીને પાણી પીવાના ફાયદા વધારે છે અને બ્રશ પહેલાં પાણી પીવાને કારણે સમસ્યા થવાના ચાન્સિસ વધુ છે. બીજું, ઘણા લોકો એક લિટર પાણી પી જતા હોય છે. એટલુંબધું પાણી પીવાની જરૂર નથી. તાંબાના લોટામાં કે માટલામાં ભરી રાખેલું હૂંફાળું અથવા તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું એક ગ્લાસ પાણી પીવાની આદત પણ પૂરતી છે.’

બ્રશ ન કરો તો કોગળા તો કરો જ

મૉડર્ન મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે ભલે તમે પાણી પીતાં પહેલાં ઍટ લીસ્ટ કોગળા કરીને મોં સાફ કરી લો. આ વાત સાથે સહમત થતાં ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘માત્ર ઓરલ હાઇજીન જ નહીં, પેટ પણ ખરાબ હોય તોય મોંમાં રાત દરમ્યાન ખરાબ બૅક્ટેરિયાનો જમાવડો થયો હોઈ શકે છે. વળી જો દાંતમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય તો-તો વધુ મુશ્કેલીઓ પેદા થાય. એટલે જ ટૂથપેસ્ટ લગાવીને મોં સ્વચ્છ કર્યા પછી જ પાણી પીવું એવો આગ્રહ રાખવાની જરૂર નથી, પરંતુ પાણીથી કોગળા કરીને મોં સાફ કરેલું હોવું મસ્ટ છે.’

સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને તાંબાના લોટામાં ભરી રાખેલા પાણીનું બ્રાહ્મપાન કરીને પછી દંતધાવન કરવાનું આયુર્વેદ શાસ્ત્રોમાં કહેવાયું છે. જોકે એ માટે આ ક્રિયા બ્રાહ્મમુરતમાં ઊઠીને કરેલી હોય એ જરૂરી છે. ઊંઘ દરમ્યાન મોંમાં જમા થયેલાં રસદ્રવ્યો લાળમાં જમા થતાં હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી લાળ પણ પેટમાં જતી રહે છે. એની સાથે પાચનની પ્રક્રિયા સુધરે છે.
– આયુર્વેદાચાર્ય

બૅક્ટેરિયામાં પણ હવે તો એટલું જિનેટિક મ્યુટેશન થઈ ગયું છે કે આખી રાત મોંના થૂંકમાં જમા થયેલા બૅક્ટેરિયા સારા જ હોય એવું ધારી ન શકાય. આવા બૅક્ટેરિયા કે વાઇરસ પેટમાં જાય તો એનાથી થતું નુકસાન વધુ છે. ગૅસ્ટ્રોએન્ટરોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો બ્રશ કરીને પાણી પીવાના ફાયદા વધારે છે અને બ્રશ પહેલાં પાણી પીવાને કારણે સમસ્યા થવાના ચાન્સિસ વધુ છે.

–  ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ

You Might Also Like

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

આંબળાનું આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ

લગ્નના થોડા સમય પહેલા અપનાવો આ ઘરેલું નુસખા, મેક-અપની પણ જરૂર નહિ પડે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોપડાનું વર્ચસ્વ
Next Article Facebook યૂઝર્સ થઈ જાઓ સાવધાન, 61 લાખ ભારતીયોનો ડેટા થયો લીક.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા DCW કંપની સામે આંદોલન પર બેઠેલા કામદારની તબિયત લથડી
થાનગઢના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું બેફામ ખનન
કોર્પોરેશન ચોકમાં લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?