By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અને બાર્જ સાથે અથડાતા 2 લોકોના મોત
    42 minutes ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    20 hours ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    23 hours ago
    હવે એક પણ અફઘાનિસ્તાની પાકિસ્તાનમાં નહીં રહી શકે
    23 hours ago
    ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટના :8 લોકોના મોત; સંરક્ષણ, પર્યાવરણ મંત્રીઓ પણ મૃત્યુ પામ્યા
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલ પ્રદેશમાં કાર 500 મીટર ખીણમાં ખાબકતાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત
    26 minutes ago
    સારા – સુરક્ષિત માર્ગ વિના ટૉલટેકસ ન વસુલી શકાય : એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ
    20 hours ago
    3 જવાન શહીદ: 15 ઈજાગ્રસ્ત
    20 hours ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    20 hours ago
    ક્રિકેટર યશ દયાલની ધરપકડ થશે : રાજસ્થાન હાઈકોર્ટે જામીન પર રોક ફગાવી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    3 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    3 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    3 days ago
    India vs England: મોહમ્મદ સિરાજ હીરો, ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રખ્યાત જીત મેળવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    40 seconds ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    4 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    4 days ago
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 hour ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    21 hours ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    3 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    3 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    20 hours ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    3 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    4 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 week ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં
Authorખાસ-ખબર

ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં

Khaskhabar Editor
Last updated: 2023/02/15 at 6:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

રામ નામ લો અને ભૂત-પ્રેત-રોગ ભગાડો!

પોરબંદરના બિલેશ્ર્વર મહાદેવના મહારાજે બિલ્વપત્ર અને રામાયણ પાઠથી કોઢ મટાડ્યો હતો તેવું ગાંધીજી લખે છે
રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું: ગાંધીજી

- Advertisement -

ગાંધીજીના પિતાજી બીમાર હતા ત્યારે પોરબંદરના બિલેશ્વર મહાદેવ મંદિરના લાધા મહારાજ તેમની પાસે રામાયણ વાંચતા. ગાંધીજી પોતે લખે છે, “લાધા મહારાજને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાના બદલે તેમણે બિલેશ્વરમાં મહાદેવ પર ચડાવેલાં બિલ્વપત્રો કોઢિયેલ ભાગ પર બાંધ્યા ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નિરોગી હતું…આ રામાયણશ્રવણ રામાયણ પરના મારા પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.”
સ્વાદ અને પાણીની તરસ અંગે તેઓ લખે છે કે ભૂખ અને તરસ લાગે ત્યારે જ અન્ન અને પાણી લેવાય. આ અંગે તેઓ વધુમાં લખે છે, “વિષય (ઈચ્છાઓ) જીતવાનો સુવર્ણ નિયમ તો રામનામ કે એવો કોઈ મંત્ર છે. જે મંત્ર લઈએ તેમાં આપણે તલ્લીન થવું જોઇએ… ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યા કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જપ જપ્યા જ કરશે તે અંતે વિજય મેળવશે એમાં મને લેશ પણ શંકા નથી. એ મંત્ર તેની જીવનદોરી થશે અને બધાં સંકટોમાંથી તેને બચાવશે.”
‘નવજીવન’માં 25 જાન્યુઆરી 1925ના દિને તેઓ લખે છે, ” રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઈ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે.”
ડિપ્રેશન ત્યારે પણ વિદ્યાર્થીઓમાં આવતું હતું. એનો ઉપાય 4 એપ્રિલ 1929ના ’યંગ ઇન્ડિયા’માં ગાંધીજીની કલમે: “ગાડાં ભરીને ચોપડીઓ વાંચી તેમાંની માહિતી પોતાના મગજમાં ઠાંસવાથી પોતે કેવા ભાંગી ગયા છે એ વિશે હિંદભરમાંથી વિદ્યાર્થીઓ તરફથી મારા પર કાગળો આવે છે. એમાંના કેટલીકે મગજનું સમતોલપણું ગુમાવ્યું છે. બીજા કેટલાક પાગલ બની ગયા છે અને બીજા થોડા લાચાર બની મેલું જીવન ગાળે છે….યાતના મેં પણ ભોગવી છે. એટલે પ્રથમ રામનુું શરણ સ્વીકારો એટલે બાકીનું બધું પાછળથી તમને મળી રહેશે.”
કેટલાક તથાકથિત સાધુઓ-બાબાઓ અપરાધમાં પકડાય તેથી

રામચરિતમાનસને ગાંધીજી સર્વોત્તમ ગ્રંથ ગણતા હતા ગાંધીજીએ ડિપ્રેશનના શિકાર વિદ્યાર્થીઓને રામનામ ઉપચાર સૂચવેલો

બે-ચાર ઢોંગીઓના કારણે બધા સાધુઓ પર અવિશ્વાસ અંગે ગાંધીજી હોત તો કહેતા: ‘દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્ર્વાસન મળતું હશે’

- Advertisement -

ગાંધીજી નાનપણમાં ભૂત અને પ્રેતથી બચવા રામ નામનું રટણ કરતા હતા, પછી તેમને પિતરાઈ ભાઈએ રામ રક્ષા સ્તોત્ર શીખવાડ્યું હતું, ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે રામ નામના જપથી તેમનો ડર દૂર થયો હતો

આપણે બધાને એવા માનવા લાગીએ છીએ. શું આપણે કેટલાક કૌભાંડી રાજકારણીઓના કારણે બધા રાજકારણીઓને કૌભાંડી માનીએ છીએ? લખવા અને બોલવામાં જુદી વાત છે, એ સામે આવે ત્યારે તો આંખોના ડોળા કાઢી બોલનારાઓ પૂંછડી પટપટાવા લાગે છે. લફરાબાજ અને કેટલાક બળાત્કારી કલાકારોના કારણે આપણે બધા કલાકારોને વગોવીએ છીએ? વેપાર-ધંધામાં ભેળસેળ થાય છે. હિસાબમાં સાચું ખોટું થાય છે પણ મૂકેશ અંબાણી સામે અમે તો પૂછીશું જ એમ કહી ઇન્ટરવ્યૂ લઈ બતાવો. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કડક થતા રજત શર્મા અદાણી સામે કે યાસીન મલિક સામે હેં હેં એવા હાસ્ય સાથે નરમ થઈ પ્રશ્નો પૂછે છે.
ગાંધીજી આ વિશે સેરેસોલને શું કહે છે તે સાંભળો: “સાચું, પણ સારામાં સારી વસ્તુનો દુરુપયોગ થવાનો સંભવ રહે જ છે. ગમે તેટલા દંભને માટે અવકાશ છે ને ! અને હું તો જાણું છું કે દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્વાસન મળતું હશે. એ તો મકાન બાંધવા માટે પાલખ જોઈએ જ એના જેવી વાત છે. (હરિજન બંધુ, 26-5-1935)
નીચેનાં ગાંધીજીનાં વિધાનોમાં રામનામની જગ્યાએ બાલા હનુમાનજીનું નામ મૂકી દો તો આ વિધાનો ધીરેન્દ્ર શાસ્ત્રીનાં લાગશે:
“મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઇ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે…” (હરિજનબંધુ, 13-10-1946)
ગાંધીજી તો અનેક ’દાક્તર’ અને વૈદને ત્યાં ધક્કા ખાવાની પણ ના પાડતા હતા. આવું આજે કોઈ કહે તો? રજત શર્માએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછેલું કે મંત્રથી જ મટી જતું હોય તો ઔષધાલય શા માટે બનાવડાવો છો? ગાંધીજી હોત તો આ ઉત્તર આપત જે તેમણે ’હરિજન બંધુ’માં 2 જૂન 1946ના દિને આપ્યો હતો: “શારીરિક દૃષ્ટિથી અસાધ્ય હોવાને કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે. જેને રામનામનો ઇતબાર છે તે ગમે તે ઉપાયે પોતાનું આવરદા લંબાવવાને ખાતર એક નામાંકિત દાકતરને બારણેથી બીજાને બારણે કે એક વૈદ્યને ત્યાંથી બીજાને ત્યાં ધકકા નહીં ખાય. વળી વૈદ્ય કે દાક્તરનું હવે કશું ચાલતું નથી એમ જોઈ, ચાલો હવે રામનું નામ લઈએ, એ રીતે લેવાનો એ લાચારીનો ઇલાજ પણ નથી, રામનામનું રટણ તો તે બંને વિના ચલાવી લેવાની તાકાત મેળવવાને સારુ છે. રામનામના રામબાણ ઉપાય પર ભરોસો રાખનારને સારુ તે પહેલો તેમ જ છેલ્લો ઇલાજ છે.
આ જ વાત જુદા શબ્દોમાં 3 માર્ચ 1946ના ‘હરિજનબંધુ’માં તેમણે કહી છે: “સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધાર્યો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હૃદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઈએ…જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જ સાથે રામનામ પણ ચાલુ રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનો નાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે.”
બંગાળમાં હિન્દુ મા-બહેન-દીકરીઓ પર બળાત્કાર, હત્યાઓ થતી એ સંદર્ભમાં ગાંધીજી: ઇશ્વર પર તમારી શ્રદ્ધા હોય, તો તમારી પત્ની તથા દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે ? એથી કરીને તમે મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામમાં જો તમને શ્રદ્ધા હોય તો બંગાળ છોડી જવાનો વિચાર તમારે ન કરવો ઘટે. જ્યાં તમે જન્મ્યાં અને મોટાં થયાં ત્યાં જ તમારે રહેવું જોઇએ અને જરૂર પડે તો બહાદુર સ્ત્રીપુરુષોને છાજે તે રીતે પોતાની આબરૂની રક્ષા કરતાં કરતાં ત્યાં જ મરવું જોઇએ. જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવુંં, એ માણસજાત પરની, ઇશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. શ્રદ્ધાનું આવું દેવાળું કાઢવા કરતાં માણસે ડુબી મરવું, એ બહેતર છે. એ વખતે પણ કેમ મુસ્લિમ-હિન્દુ થતું હશે? ચૂંટણી આવવાની હશે એટલે?
રજત શર્માને કહો, બોલાવો ગાંધીજીને ’આપ કી અદાલત’માં.

  • જયવંત પંડયા

You Might Also Like

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, નામાંકન પ્રક્રિયા શરૂ

મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય: શાળાઓમાં માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય

વિક્રમ પુજારાને માત્ર બાંધકામના કામકાજમાં જ રસ

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ગામ ધોવાઈ ગયું, ઓછામાં ઓછા 50 લોકો ગુમ થયા

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોંદણા રોતી મોરબી પાલિકા! પ્રમુખ અને સદસ્યોના અલગ અલગ જવાબ, બંને નિર્દોષ હોવાનું રટણ
Next Article રામાપીર ચોકમાં જ મોતનો કૂવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 42 seconds ago
ટ્રમ્પના ટેરિફ વચ્ચે હવે એમેઝોન, વોલમાર્ટ અને અન્ય યુએસ રિટેલ જાયન્ટ્સે ભારતને ઓર્ડર આપવાનું બંધ કર્યું
હિમાચલ પ્રદેશમાં કાર 500 મીટર ખીણમાં ખાબકતાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત
મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અને બાર્જ સાથે અથડાતા 2 લોકોના મોત
ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
સાયલાના ગરંભડી ગામે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, નામાંકન પ્રક્રિયા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ-ખબરગુજરાત

મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય: શાળાઓમાં માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ-ખબરરાજકોટ

વિક્રમ પુજારાને માત્ર બાંધકામના કામકાજમાં જ રસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?