By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં
Authorખાસ-ખબર

ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં

Khaskhabar Editor
Last updated: 2023/02/15 at 6:58 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

રામ નામ લો અને ભૂત-પ્રેત-રોગ ભગાડો!

પોરબંદરના બિલેશ્ર્વર મહાદેવના મહારાજે બિલ્વપત્ર અને રામાયણ પાઠથી કોઢ મટાડ્યો હતો તેવું ગાંધીજી લખે છે
રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું: ગાંધીજી

- Advertisement -

ગાંધીજીના પિતાજી બીમાર હતા ત્યારે પોરબંદરના બિલેશ્વર મહાદેવ મંદિરના લાધા મહારાજ તેમની પાસે રામાયણ વાંચતા. ગાંધીજી પોતે લખે છે, “લાધા મહારાજને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાના બદલે તેમણે બિલેશ્વરમાં મહાદેવ પર ચડાવેલાં બિલ્વપત્રો કોઢિયેલ ભાગ પર બાંધ્યા ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નિરોગી હતું…આ રામાયણશ્રવણ રામાયણ પરના મારા પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.”
સ્વાદ અને પાણીની તરસ અંગે તેઓ લખે છે કે ભૂખ અને તરસ લાગે ત્યારે જ અન્ન અને પાણી લેવાય. આ અંગે તેઓ વધુમાં લખે છે, “વિષય (ઈચ્છાઓ) જીતવાનો સુવર્ણ નિયમ તો રામનામ કે એવો કોઈ મંત્ર છે. જે મંત્ર લઈએ તેમાં આપણે તલ્લીન થવું જોઇએ… ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યા કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જપ જપ્યા જ કરશે તે અંતે વિજય મેળવશે એમાં મને લેશ પણ શંકા નથી. એ મંત્ર તેની જીવનદોરી થશે અને બધાં સંકટોમાંથી તેને બચાવશે.”
‘નવજીવન’માં 25 જાન્યુઆરી 1925ના દિને તેઓ લખે છે, ” રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઈ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે.”
ડિપ્રેશન ત્યારે પણ વિદ્યાર્થીઓમાં આવતું હતું. એનો ઉપાય 4 એપ્રિલ 1929ના ’યંગ ઇન્ડિયા’માં ગાંધીજીની કલમે: “ગાડાં ભરીને ચોપડીઓ વાંચી તેમાંની માહિતી પોતાના મગજમાં ઠાંસવાથી પોતે કેવા ભાંગી ગયા છે એ વિશે હિંદભરમાંથી વિદ્યાર્થીઓ તરફથી મારા પર કાગળો આવે છે. એમાંના કેટલીકે મગજનું સમતોલપણું ગુમાવ્યું છે. બીજા કેટલાક પાગલ બની ગયા છે અને બીજા થોડા લાચાર બની મેલું જીવન ગાળે છે….યાતના મેં પણ ભોગવી છે. એટલે પ્રથમ રામનુું શરણ સ્વીકારો એટલે બાકીનું બધું પાછળથી તમને મળી રહેશે.”
કેટલાક તથાકથિત સાધુઓ-બાબાઓ અપરાધમાં પકડાય તેથી

રામચરિતમાનસને ગાંધીજી સર્વોત્તમ ગ્રંથ ગણતા હતા ગાંધીજીએ ડિપ્રેશનના શિકાર વિદ્યાર્થીઓને રામનામ ઉપચાર સૂચવેલો

બે-ચાર ઢોંગીઓના કારણે બધા સાધુઓ પર અવિશ્વાસ અંગે ગાંધીજી હોત તો કહેતા: ‘દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્ર્વાસન મળતું હશે’

- Advertisement -

ગાંધીજી નાનપણમાં ભૂત અને પ્રેતથી બચવા રામ નામનું રટણ કરતા હતા, પછી તેમને પિતરાઈ ભાઈએ રામ રક્ષા સ્તોત્ર શીખવાડ્યું હતું, ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે રામ નામના જપથી તેમનો ડર દૂર થયો હતો

આપણે બધાને એવા માનવા લાગીએ છીએ. શું આપણે કેટલાક કૌભાંડી રાજકારણીઓના કારણે બધા રાજકારણીઓને કૌભાંડી માનીએ છીએ? લખવા અને બોલવામાં જુદી વાત છે, એ સામે આવે ત્યારે તો આંખોના ડોળા કાઢી બોલનારાઓ પૂંછડી પટપટાવા લાગે છે. લફરાબાજ અને કેટલાક બળાત્કારી કલાકારોના કારણે આપણે બધા કલાકારોને વગોવીએ છીએ? વેપાર-ધંધામાં ભેળસેળ થાય છે. હિસાબમાં સાચું ખોટું થાય છે પણ મૂકેશ અંબાણી સામે અમે તો પૂછીશું જ એમ કહી ઇન્ટરવ્યૂ લઈ બતાવો. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કડક થતા રજત શર્મા અદાણી સામે કે યાસીન મલિક સામે હેં હેં એવા હાસ્ય સાથે નરમ થઈ પ્રશ્નો પૂછે છે.
ગાંધીજી આ વિશે સેરેસોલને શું કહે છે તે સાંભળો: “સાચું, પણ સારામાં સારી વસ્તુનો દુરુપયોગ થવાનો સંભવ રહે જ છે. ગમે તેટલા દંભને માટે અવકાશ છે ને ! અને હું તો જાણું છું કે દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્વાસન મળતું હશે. એ તો મકાન બાંધવા માટે પાલખ જોઈએ જ એના જેવી વાત છે. (હરિજન બંધુ, 26-5-1935)
નીચેનાં ગાંધીજીનાં વિધાનોમાં રામનામની જગ્યાએ બાલા હનુમાનજીનું નામ મૂકી દો તો આ વિધાનો ધીરેન્દ્ર શાસ્ત્રીનાં લાગશે:
“મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઇ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે…” (હરિજનબંધુ, 13-10-1946)
ગાંધીજી તો અનેક ’દાક્તર’ અને વૈદને ત્યાં ધક્કા ખાવાની પણ ના પાડતા હતા. આવું આજે કોઈ કહે તો? રજત શર્માએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછેલું કે મંત્રથી જ મટી જતું હોય તો ઔષધાલય શા માટે બનાવડાવો છો? ગાંધીજી હોત તો આ ઉત્તર આપત જે તેમણે ’હરિજન બંધુ’માં 2 જૂન 1946ના દિને આપ્યો હતો: “શારીરિક દૃષ્ટિથી અસાધ્ય હોવાને કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે. જેને રામનામનો ઇતબાર છે તે ગમે તે ઉપાયે પોતાનું આવરદા લંબાવવાને ખાતર એક નામાંકિત દાકતરને બારણેથી બીજાને બારણે કે એક વૈદ્યને ત્યાંથી બીજાને ત્યાં ધકકા નહીં ખાય. વળી વૈદ્ય કે દાક્તરનું હવે કશું ચાલતું નથી એમ જોઈ, ચાલો હવે રામનું નામ લઈએ, એ રીતે લેવાનો એ લાચારીનો ઇલાજ પણ નથી, રામનામનું રટણ તો તે બંને વિના ચલાવી લેવાની તાકાત મેળવવાને સારુ છે. રામનામના રામબાણ ઉપાય પર ભરોસો રાખનારને સારુ તે પહેલો તેમ જ છેલ્લો ઇલાજ છે.
આ જ વાત જુદા શબ્દોમાં 3 માર્ચ 1946ના ‘હરિજનબંધુ’માં તેમણે કહી છે: “સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધાર્યો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હૃદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઈએ…જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જ સાથે રામનામ પણ ચાલુ રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનો નાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે.”
બંગાળમાં હિન્દુ મા-બહેન-દીકરીઓ પર બળાત્કાર, હત્યાઓ થતી એ સંદર્ભમાં ગાંધીજી: ઇશ્વર પર તમારી શ્રદ્ધા હોય, તો તમારી પત્ની તથા દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે ? એથી કરીને તમે મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામમાં જો તમને શ્રદ્ધા હોય તો બંગાળ છોડી જવાનો વિચાર તમારે ન કરવો ઘટે. જ્યાં તમે જન્મ્યાં અને મોટાં થયાં ત્યાં જ તમારે રહેવું જોઇએ અને જરૂર પડે તો બહાદુર સ્ત્રીપુરુષોને છાજે તે રીતે પોતાની આબરૂની રક્ષા કરતાં કરતાં ત્યાં જ મરવું જોઇએ. જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવુંં, એ માણસજાત પરની, ઇશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. શ્રદ્ધાનું આવું દેવાળું કાઢવા કરતાં માણસે ડુબી મરવું, એ બહેતર છે. એ વખતે પણ કેમ મુસ્લિમ-હિન્દુ થતું હશે? ચૂંટણી આવવાની હશે એટલે?
રજત શર્માને કહો, બોલાવો ગાંધીજીને ’આપ કી અદાલત’માં.

  • જયવંત પંડયા

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોંદણા રોતી મોરબી પાલિકા! પ્રમુખ અને સદસ્યોના અલગ અલગ જવાબ, બંને નિર્દોષ હોવાનું રટણ
Next Article રામાપીર ચોકમાં જ મોતનો કૂવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર
ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો
ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ
જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
સર્વેશ્વર ચોક કા રાજા : આજે વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-અર્ચના કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?