By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    7 hours ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    9 hours ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    1 day ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    1 day ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    5 hours ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    8 hours ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    9 hours ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    10 hours ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    2 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    2 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    2 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    3 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    8 hours ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    1 day ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    2 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    3 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    10 hours ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    4 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    4 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    1 day ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    1 day ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    4 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં
Authorખાસ-ખબર

ગાંધીજી કહે તો ચાલે, ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તો અંધવિશ્ર્વાસી અને પાખંડી! રજત શર્મા, બોલાવો ગાંધીજીને ‘આપ કી અદાલત’માં

Khaskhabar Editor
Last updated: 2023/02/15 at 6:58 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

રામ નામ લો અને ભૂત-પ્રેત-રોગ ભગાડો!

પોરબંદરના બિલેશ્ર્વર મહાદેવના મહારાજે બિલ્વપત્ર અને રામાયણ પાઠથી કોઢ મટાડ્યો હતો તેવું ગાંધીજી લખે છે
રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું: ગાંધીજી

- Advertisement -

ગાંધીજીના પિતાજી બીમાર હતા ત્યારે પોરબંદરના બિલેશ્વર મહાદેવ મંદિરના લાધા મહારાજ તેમની પાસે રામાયણ વાંચતા. ગાંધીજી પોતે લખે છે, “લાધા મહારાજને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાના બદલે તેમણે બિલેશ્વરમાં મહાદેવ પર ચડાવેલાં બિલ્વપત્રો કોઢિયેલ ભાગ પર બાંધ્યા ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નિરોગી હતું…આ રામાયણશ્રવણ રામાયણ પરના મારા પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.”
સ્વાદ અને પાણીની તરસ અંગે તેઓ લખે છે કે ભૂખ અને તરસ લાગે ત્યારે જ અન્ન અને પાણી લેવાય. આ અંગે તેઓ વધુમાં લખે છે, “વિષય (ઈચ્છાઓ) જીતવાનો સુવર્ણ નિયમ તો રામનામ કે એવો કોઈ મંત્ર છે. જે મંત્ર લઈએ તેમાં આપણે તલ્લીન થવું જોઇએ… ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યા કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જપ જપ્યા જ કરશે તે અંતે વિજય મેળવશે એમાં મને લેશ પણ શંકા નથી. એ મંત્ર તેની જીવનદોરી થશે અને બધાં સંકટોમાંથી તેને બચાવશે.”
‘નવજીવન’માં 25 જાન્યુઆરી 1925ના દિને તેઓ લખે છે, ” રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઈ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે.”
ડિપ્રેશન ત્યારે પણ વિદ્યાર્થીઓમાં આવતું હતું. એનો ઉપાય 4 એપ્રિલ 1929ના ’યંગ ઇન્ડિયા’માં ગાંધીજીની કલમે: “ગાડાં ભરીને ચોપડીઓ વાંચી તેમાંની માહિતી પોતાના મગજમાં ઠાંસવાથી પોતે કેવા ભાંગી ગયા છે એ વિશે હિંદભરમાંથી વિદ્યાર્થીઓ તરફથી મારા પર કાગળો આવે છે. એમાંના કેટલીકે મગજનું સમતોલપણું ગુમાવ્યું છે. બીજા કેટલાક પાગલ બની ગયા છે અને બીજા થોડા લાચાર બની મેલું જીવન ગાળે છે….યાતના મેં પણ ભોગવી છે. એટલે પ્રથમ રામનુું શરણ સ્વીકારો એટલે બાકીનું બધું પાછળથી તમને મળી રહેશે.”
કેટલાક તથાકથિત સાધુઓ-બાબાઓ અપરાધમાં પકડાય તેથી

રામચરિતમાનસને ગાંધીજી સર્વોત્તમ ગ્રંથ ગણતા હતા ગાંધીજીએ ડિપ્રેશનના શિકાર વિદ્યાર્થીઓને રામનામ ઉપચાર સૂચવેલો

બે-ચાર ઢોંગીઓના કારણે બધા સાધુઓ પર અવિશ્વાસ અંગે ગાંધીજી હોત તો કહેતા: ‘દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્ર્વાસન મળતું હશે’

- Advertisement -

ગાંધીજી નાનપણમાં ભૂત અને પ્રેતથી બચવા રામ નામનું રટણ કરતા હતા, પછી તેમને પિતરાઈ ભાઈએ રામ રક્ષા સ્તોત્ર શીખવાડ્યું હતું, ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે રામ નામના જપથી તેમનો ડર દૂર થયો હતો

આપણે બધાને એવા માનવા લાગીએ છીએ. શું આપણે કેટલાક કૌભાંડી રાજકારણીઓના કારણે બધા રાજકારણીઓને કૌભાંડી માનીએ છીએ? લખવા અને બોલવામાં જુદી વાત છે, એ સામે આવે ત્યારે તો આંખોના ડોળા કાઢી બોલનારાઓ પૂંછડી પટપટાવા લાગે છે. લફરાબાજ અને કેટલાક બળાત્કારી કલાકારોના કારણે આપણે બધા કલાકારોને વગોવીએ છીએ? વેપાર-ધંધામાં ભેળસેળ થાય છે. હિસાબમાં સાચું ખોટું થાય છે પણ મૂકેશ અંબાણી સામે અમે તો પૂછીશું જ એમ કહી ઇન્ટરવ્યૂ લઈ બતાવો. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કડક થતા રજત શર્મા અદાણી સામે કે યાસીન મલિક સામે હેં હેં એવા હાસ્ય સાથે નરમ થઈ પ્રશ્નો પૂછે છે.
ગાંધીજી આ વિશે સેરેસોલને શું કહે છે તે સાંભળો: “સાચું, પણ સારામાં સારી વસ્તુનો દુરુપયોગ થવાનો સંભવ રહે જ છે. ગમે તેટલા દંભને માટે અવકાશ છે ને ! અને હું તો જાણું છું કે દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્વાસન મળતું હશે. એ તો મકાન બાંધવા માટે પાલખ જોઈએ જ એના જેવી વાત છે. (હરિજન બંધુ, 26-5-1935)
નીચેનાં ગાંધીજીનાં વિધાનોમાં રામનામની જગ્યાએ બાલા હનુમાનજીનું નામ મૂકી દો તો આ વિધાનો ધીરેન્દ્ર શાસ્ત્રીનાં લાગશે:
“મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઇ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે…” (હરિજનબંધુ, 13-10-1946)
ગાંધીજી તો અનેક ’દાક્તર’ અને વૈદને ત્યાં ધક્કા ખાવાની પણ ના પાડતા હતા. આવું આજે કોઈ કહે તો? રજત શર્માએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછેલું કે મંત્રથી જ મટી જતું હોય તો ઔષધાલય શા માટે બનાવડાવો છો? ગાંધીજી હોત તો આ ઉત્તર આપત જે તેમણે ’હરિજન બંધુ’માં 2 જૂન 1946ના દિને આપ્યો હતો: “શારીરિક દૃષ્ટિથી અસાધ્ય હોવાને કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે. જેને રામનામનો ઇતબાર છે તે ગમે તે ઉપાયે પોતાનું આવરદા લંબાવવાને ખાતર એક નામાંકિત દાકતરને બારણેથી બીજાને બારણે કે એક વૈદ્યને ત્યાંથી બીજાને ત્યાં ધકકા નહીં ખાય. વળી વૈદ્ય કે દાક્તરનું હવે કશું ચાલતું નથી એમ જોઈ, ચાલો હવે રામનું નામ લઈએ, એ રીતે લેવાનો એ લાચારીનો ઇલાજ પણ નથી, રામનામનું રટણ તો તે બંને વિના ચલાવી લેવાની તાકાત મેળવવાને સારુ છે. રામનામના રામબાણ ઉપાય પર ભરોસો રાખનારને સારુ તે પહેલો તેમ જ છેલ્લો ઇલાજ છે.
આ જ વાત જુદા શબ્દોમાં 3 માર્ચ 1946ના ‘હરિજનબંધુ’માં તેમણે કહી છે: “સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધાર્યો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હૃદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઈએ…જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જ સાથે રામનામ પણ ચાલુ રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનો નાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે.”
બંગાળમાં હિન્દુ મા-બહેન-દીકરીઓ પર બળાત્કાર, હત્યાઓ થતી એ સંદર્ભમાં ગાંધીજી: ઇશ્વર પર તમારી શ્રદ્ધા હોય, તો તમારી પત્ની તથા દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે ? એથી કરીને તમે મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામમાં જો તમને શ્રદ્ધા હોય તો બંગાળ છોડી જવાનો વિચાર તમારે ન કરવો ઘટે. જ્યાં તમે જન્મ્યાં અને મોટાં થયાં ત્યાં જ તમારે રહેવું જોઇએ અને જરૂર પડે તો બહાદુર સ્ત્રીપુરુષોને છાજે તે રીતે પોતાની આબરૂની રક્ષા કરતાં કરતાં ત્યાં જ મરવું જોઇએ. જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવુંં, એ માણસજાત પરની, ઇશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. શ્રદ્ધાનું આવું દેવાળું કાઢવા કરતાં માણસે ડુબી મરવું, એ બહેતર છે. એ વખતે પણ કેમ મુસ્લિમ-હિન્દુ થતું હશે? ચૂંટણી આવવાની હશે એટલે?
રજત શર્માને કહો, બોલાવો ગાંધીજીને ’આપ કી અદાલત’માં.

  • જયવંત પંડયા

You Might Also Like

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

રહેમાનનો જાદુ

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોંદણા રોતી મોરબી પાલિકા! પ્રમુખ અને સદસ્યોના અલગ અલગ જવાબ, બંને નિર્દોષ હોવાનું રટણ
Next Article રામાપીર ચોકમાં જ મોતનો કૂવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

રહેમાનનો જાદુ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?