ગોંડલમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ માઈનોરીટીના પ્રમુખ ઈમ્તિયાઝ શેખ સહિત 100 થી વધુ કાર્યકર્તાઓની ટીમે એકસાથે રાજીનામું ધરી દેતા હડકંપ મચ્યો છે.તો આજ રોજ ઈખ્તિયાઝ શેખ તેની 100 લોકોની ટીમે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસમાંથી છુટા પડવાનું વલણ યથાવત રહ્યું છે.ત્યારે હવે ગોંડલમાં પણ કોંગ્રેસ માઇનોરિટી માંથી ઈમ્તિયાઝ શેખે રાજીનામુ આપી દીધું હતું.તો આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં ઈમ્તિયાઝ શેખ અને તેની પુરી ટીમ ભાજપમાં જોડાઈ છે.


