ખાસ-ખબર સંવાદદાતા
દિવ્ય ભૂમિ દીવના અતિત આધારિત જુદાજુદા વિષયો સાથે લેખક રામભાઈ વાળા (ઉના) દ્વારા પાન દે જેઠી- દીવ શીષર્ક હેઠળ દીવની ઇતિહાસ આધારીત માહિતીના આધારે 25 જેટલા વિષયો સમાવી લેવામાં આવેલ છે. જેમાં પાનીબાઈ, વાઘેલા વંશના રાજવી, દીવમાં વસવાટ કરતી જ્ઞાતિઓ, હોથલ પદમણી, રૂખડો, તાડ, દીવની સતીઓ, દીવના ગામડાઓ અને સમૂહ લગ્ન, જાલંદર, કાળંગડી જોગમાયા અને વીરાંગના જેઠીબાઈ જેવા ઇતિહાસિક ઘટનાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ પુસ્તક આધારિત પાનીબાઈનો અદ્ભૂત અભિનય બિંદિયાબેન દ્વારા અને દીવના વિવિધ પરંપરાગત ત્યોહારોની ઝાંખી રજુ કરતું વણકબારાની બાળાઓએ નૃત્ય રજુ કર્યું હતું. જેની ખુબ સરાહના અને આવેલા મહેમાનો દ્વારા રોકડ પુરસ્કાર આપી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. લેખક રામભાઈ વાળાનું આ ચોથું પુસ્તક છે. અને તેમના દરેક પુસ્તકમાં દીવનો ઉલ્લેખ જોવા મળે છે. એનો સીધો અર્થ એ કે લેખકનો દીવ પ્રત્યેનો કાયમી લગાવ અને પ્રેમ દેખાય આવે છે. આ પુસ્તક વીરાંગના જેઠીબાઈને સમર્પિત કર્યું છે.
આ વિમોચન પ્રસંગે પૂજ્ય માધવપ્રિય સ્વામી, જયંતિબેન ફૂગરો, પિયુષ મારૂ શિક્ષણ અધિકારી દીવ, ઉકાભાઇ વઘાસિયા, લુંભાભાઈ વાજા, એડવોકેટ મહેતા સાહેબ બહોળી સંખ્યામાં સાહિત્ય સર્જકો, કવિઓ અને વાચકો અને ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.
લેખક રામભાઈ વાળા દ્વારા રચિત, પાન દે જેઠી-દીવ પુસ્તકનું વિમોચન
