By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    6 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    7 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    4 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    4 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    4 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    4 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    6 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    5 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    6 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    7 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    7 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગઢ તૂટ્યાં, ભરમ ભાંગ્યા મોદીનાં ઢોલ-નગારા વાગ્યા: નરેન્દ્ર મોદી એક હિપ્નોટિસ્ટ છે. સામુહિક વશિકરણની ગજબનાક તાકાત તેમનામાં છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ગઢ તૂટ્યાં, ભરમ ભાંગ્યા મોદીનાં ઢોલ-નગારા વાગ્યા: નરેન્દ્ર મોદી એક હિપ્નોટિસ્ટ છે. સામુહિક વશિકરણની ગજબનાક તાકાત તેમનામાં છે
AuthorKinnar Acharyaખાસ-ખબરગુજરાત

ગઢ તૂટ્યાં, ભરમ ભાંગ્યા મોદીનાં ઢોલ-નગારા વાગ્યા: નરેન્દ્ર મોદી એક હિપ્નોટિસ્ટ છે. સામુહિક વશિકરણની ગજબનાક તાકાત તેમનામાં છે

Khaskhabar Editor
Last updated: 2022/12/08 at 4:14 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

એમની વાણીમાં, બોડી લેંગ્વેજમાં અદ્ભુત પ્રભાવ છે. વ્હોટ્સએપ પર એક અલગ પ્રકારનો પણ સત્યથી છલકતો મેસેજ ફરે છે:

નરેન્દ્ર મોદીના ફેન થવા માટે અને એમની ફેવર કરવા માટે એમની પોલિટિકલ સત્તા સિવાયનાં પણ અનેક કારણો છે. જેમ કે,

- Advertisement -

1. સૌપ્રથમ તો આ નેતા ક્યારેય લઘરવઘર કપડાંમાં, વિંખાયેલા વાળમાં કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જોવા નહિ મળે !
2. નરેન્દ્ર મોદીની બોડી-લેંગ્વેજ અત્યંત પ્રભાવક લાગે છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે.
3. એ ભગવાં કપડાંમાં સાધુ જેવા લાગે છે, મિલેટ્રી ડ્રેસ પહેરે તો સોલ્જર જેવા લાગે છે, સામાન્ય રોજિંદા પોશાકમાં દિવ્ય રાજપુરુષ લાગે છે.
4. રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રવાદ એમના શ્વાસોચ્છવાસ છે અને ડિસિપ્લિન એમનું બ્લડગ્રુપ છે.
5. વિશ્વની કોઈ પણ મહાન હસ્તીની સાથે તેઓ ઊભા હોય ત્યારે પણ એમની પ્રતિભા જ મૂઠી ઊંચેરી લાગે છે. બીજી પ્રતિભાઓ વામણી લાગે છે.
6. ચૂંટણી પહેલાં કરેલા લગભગ અશક્યવત અનેક વાયદા આટલી હદે પૂરેપૂરા નિભાવનાર બીજો કોઈ નેતા ભૂતકાળમાં આપણે જોયો નથી.
7. દેશના સર્વોચ્ચ પદ પર હોવા છતાં પોતાના પરિવારનું વળગણ બિલકુલ રાખતા નથી. તેમની આસપાસમાં ક્યારેય એમના ભાઈ-ભત્રીજા જોવા મળતા નથી. સગાવાદ બિલકુલ કરતા નથી.
8. તેઓ ક્યારેય એક પણ રજા રાખતા નથી.
9. તેઓ ક્યારેય બીમાર પડતા નથી.
10. ક્યારે કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ તો સારી રીતે જાણે જ છે, પણ એથીય વધુ તો સામેની વ્યક્તિને કેવી રીતે ચૂપ કરી દેવી એ પણ તેઓ જાણે છે.
11. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે વેદિયા નથી, એમની રમૂજવૃત્તિ અદભુત છે.
12. એમની વાકછટા ધારદાર તેમજ બેમિસાલ છે. અભિવ્યક્તિ માટે ભાષા પર પ્રભુત્વ પણ સરસ છે. તેઓ કવિ પણ છે.
13. વિરોધીઓની કપટજાળથી કે પડકારોથી તેઓ કદી ડરતા કે ડગતા નથી.
14. વિરોધી વ્યક્તિની બક્વાસ આક્ષેપબાજીના જવાબો આપવામાં પોતાનો સમય વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ મુત્સદ્દીગીરીથી પોતાના કર્તવ્યમાર્ગને વફાદાર રહે છે.
15. કોઈ અપ્સરા પણ જેના પર મોહી પડે એવી એમની પ્રત્યેક અદા અને છટામાં ખુમારી, ખાનદાની અને ખમીરનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
16. એમની નિર્ણયશક્તિ તો કાબિલે દાદ છે જ, સાથે-સાથે તેઓ પોતાના નિર્ણયને હજાર વિરોધો અને અવરોધો સામે પણ વળગી રહેવાની હિંમત અને આવડત પણ ધરાવે છે.
17. એમનું વ્યક્તિત્વ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતિક લાગે છે.
18. એમની આંખોમાં છલકાતી ચારિત્ર્યની ચમક હિપ્નોટિઝમ કરી શકે એવી તાકતવર છે.
19. આ માણસને કોઈ લાલચ નથી, કોઈ ભય નથી. પોતાના સ્વાર્થની કોઈ પરવા નથી.
20. અને સૌથી છેલ્લે, 70 વર્ષની ઉંમરે પણ આ માણસ 18થી 20 કલાક કામ કરે છે, છતાં ક્યારેય એને બગાસું ખાતા આપણે જોયા નથી !

વિધાનસભા ચૂંટણીનાં આ પરિણામોનું પોલિટિકલ માઈક્રોસ્કોપમાં નિરીક્ષણ કરીએ તો અનેક રસપ્રદ બાબતો ધ્યાનમાં આવે. તમે જરા જુઓ, ગુજરાત આખું જેણે માથે લીધું હતું, ઉપાડો લીધો હતો અને પોતાની અભૂતપૂર્વ ન્યૂસન્સ વેલ્યૂ ઉભી કરી હતી એ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરીયા જેવાં કહેવાતા નેતાઓને લોકોએ એવી લાત મારી છે કે, તેમને આખી જિંદગી પૃષ્ઠભાગમાં દુ:ખાવો રહેશે.

ગુજરાતની બહુ ગાજેલી વિધાનસભા ચૂંટણી-2022નાં પરિણામ આવી ચૂક્યા છે અને ભાજપ ફરી એક વખત અણધાર્યા અંતરથી આ જંગ જીતી ગયો છે. અને ભવ્યાતિભવ્ય વિજયનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતની જનતા કોઈ અન્ય નેતાને ઓળખતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે મહેન્દ્રભાઈ હોય કે સુરેન્દ્રભાઈ કે પછી વિરેન્દ્રભાઈ…. ગુજરાત નરેન્દ્રભાઈને મત આપે છે. ભાજપનાં ચૂંટાયેલા દરેક ઉમેદવારે પણ આ વાત મંત્રજાપની જેમ યાદ રાખવાની છે અને દરરોજ સવારે ઉઠીને 11 વખત ૐ નરેન્દ્રાય નમ: બોલવાનું છે, જેથી સ્મરણ રહે કે, એમની સૃષ્ટિનાં સર્જનહાર મોદી જ છે અને મહાદેવ પણ મોદી જ.

- Advertisement -

આમઆદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પોતાનાં ભાષણોમાં સતત એવું કહેતા હતાં કે, ભાજપનાં નેતાઓ અહમ્માં રાચી રહ્યા છે, તેમનું અભિમાન ઉતારવું છે! વાસ્તવિકતા એ છે કે, આમ આદમી પાર્ટીનાં આ કહેવાતાં નેતાઓનો મદ છલકાયો સમાતો ન હતો. ઈટાલિયાનાં પ્રવચનો સાંભળો તો એવું લાગે કે, આ માણસ પોતાની જાતને મોદી કરતા પણ ઊંચી આંકે છે. વાણીમાં વિવેક નહીં, પાયા વગરના આક્ષેપો અને ધડ-માથા વગરનાં વચનો, એકદમ ભદ્દા ગણી શકાય તેવા કટાક્ષો. એકદમ નિમ્નસ્તરની કમેન્ટ્સ અને ભયાનક હદે ગુરુતાગ્રંથીથી પીડાતો માણસ. અદ્દલ એવું જ અલ્પેશ કથિરીયા વિશે કહી શકાય.

આમ આદમી પાર્ટીનાં આ બધાં નેતાઓ એટલી હદે છીછરાં છે કે, તેમનાં ભાષણો સાંભળીને જ નહીં, ચહેરા જોઈને પણ ઉબકા આવે છે. આનંદ એ વાતનો કે, આ બધાંને પ્રજાએ રીતસર ધુસ્તા-પાટાં માર્યા છે. આ દિલ્હી નથી, પંજાબ નથી, અમારે મફત વીજળીની કે મફત પાણીની માયાજાળમાં ફસાવું નથી- આ ગુજરાતની પ્રજાનો ગગનભેદી અવાજ છે. આ ગુજરાતનાં સાવજ જેવા મતદારોની ગર્જના છે અને એ સાંભળીને કેજરીવાલ, રાહુલ ગાંધીનાં કાનનાં પર્દા ફાટી ગયા હોવા જોઈએ.

ખાળમાં જાય તમારી મફતિયા વીજળી અને પાણી. અમારે દિલ્હી જેવા કોમી હૂલ્લડો નથી જોઈતા, મુલ્લા-મૌલવીઓનાં પગારવધારા નથી ખપતાં, અમારે અમદાવાદમાં શાહીનબાગ સર્જવો નથી અને ગુજરાતને ખાલિસ્તાનીઓનો અડ્ડો નથી બનવા દેવું. તમારા સડેલાં મહોલ્લા ક્લિનિક કરતાં અમારા વિસ્તાર દીઠ પથરાયેલાં આરોગ્ય કેન્દ્રો બહેતર છે. તમારી પાસે ગામને દેખાડવા પાંચ મોડેલ સરકારી સ્કૂલ છે, અમારી પાસે પાંચસો છે. સરખામણી ઘણી દૃષ્ટિએ થાય તેમ છે. હાલ પૂરતાં: ફૂલસ્ટોપ.

ભાજપનાં શાસનમાં ગુજરાત ખુશ છે, ખુશખુશાલ અને બાગબાગ છે. અમારી ખુશહાલ જિંદગીમાં દખલ દેવાનું બંધ કરો. ગુજરાતની પ્રજાનો આ મેસેજ છે. પરિણામનાં આંકડામાં એ અદ્રશ્ય રીતે છપાયેલો છે, અદ્રશ્ય લખાણ વાંચવાની ક્ષમતા હોય તો અવશ્ય વાંચજો. બોધપાઠ મળશે.

આ પરિણામો ઘણું કહે છે: નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં પાણીની જેમ પરસેવો વહાવ્યો છે, કાળી મહેનત કરી છે. ગુજરાતનો આ કિલ્લો તોડવા ફિરંગીઓ અને વલંદાઓએ મન મૂકીને ધમપછાડા કર્યા પરંતુ ગઢનાં કાંગરાની એક કાંકરી પણ ખરી શકી નથી તેમનાંથી. તેની ક્રેડિટ મોદીને જ જાય છે. તેમણે જ્યાં-જ્યાં સભા કરી ત્યાં લગભગ બધે જ ભાજપનો વિજય થયો. ભાજપ માટે ટફ ગણાતી, પરંપરાગત રીતે કોંગ્રેસની ગણાતી બેઠક પર પણ કોંગ્રેસની હાર થઈ છે. ગુજરાતમાં જે સૌ પ્રથમ પરિણામ જાહેર થયું એ હતું- રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠકનું.

અહીંથી કોંગ્રેસના લલિત વસોયા ભૂંડેહાલ હાર્યા. કોઈને કલ્પના પણ ન હતી કે, અહીં ભાજપ જીતશે. વસોયા પાટિદાર અનામત આંદોલન સાથે સંકળાયેલાં હતા અને તેઓ મજબૂત ઉમેદવાર ગણાતા હતાં. મોદીની એક જંગી સભા ત્યાં થઈ અને ચિત્ર ફરી ગયું. આવા તો બે-ત્રણ ડઝન ઉદાહરણો છે. મોદીનાં નામે જો હાર્દિક જેવું દૂષણ પણ તરી જતું હોય તો પછી સ્વીકારવું પડે કે, ગુજરાતમાં મોદીના પસીનાએ દિવા બળે છે.

સૌરાષ્ટ્રના ગઢમાં ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે તીરાડ પાડી હતી, આ વખતે આપ અને કોંગ્રેસની મહેચ્છા હતી કે, આ તીરાડમાંથી મોટું ગાબડું પાડવું. કશું ન થયું. ઊલટું તીરાડ પણ સંધાઈ ગઈ. સૌરાષ્ટ્ર મોદી સાથે અડિખમ છે. આવું જ બન્યું આદિવાસી વિસ્તારોમાં. કહેવાતું હતું કે, આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને કોઈ ન હરાવી શકે. મોદી-ભાજપે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. અમે તો કહીએ જ છીએ કે મોદીનું કામ જ ભરમ ભાંગવાનું છે. કોઈએ ભ્રમમાં ન રહેવું કે ગુજરાત સોફટ ટાર્ગેટ છે.

You Might Also Like

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: BJP, election, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગરમાં ભાજપનો પ્રચંડ વિજય: 7 બેઠક માંથી 6 બેઠક પર જનતા ભાજપ પર ઓવારી ગયા
Next Article મતદારોએ વિકાસની રાજનીતિ પસંદ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Shailesh Sagpariya

વાણી અને વર્તન દ્વારા પરિચય

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?