સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો શુભારંભ
પ્રકૃતિના ખોળે વિહેરવાની સાથો સાથો પૂણ્યનું ભાથું બાંધવાનો આવ્યો અવસર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની લીલુડી પરિક્રમાનો આજ મધ્યરાત્રી 12 વાગે સાધુ સંતો પદાધિકારી અને અધિકારીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ વિધાનથી વિધિવત રીતે પ્રારંભ થશે ત્યારે પરિક્રમા શરુ થાય તે પેહલા 3 લાખ ભાવિકો પરિક્રમામાં પધારી ચુક્યા છે અને 50 હજાર ભાવિકો એ પરિક્રમા પૂર્ણ કરી લીધી અને આ પરિક્રમા પ્રકૃતિના ખોળે વિહેરવાની સાથો સાથો પુણ્યનું ભાથું બાંધવાનો અવસર એટલે ગિરનાર લીલી પરિક્રમા. આ પાવની પરિક્રમા કારતક સુદ-11 (દેવ દિવાળી) એટલે કે, તા.4-11-2022ના રોજ મધ્યરાત્રીએ વિધિવત રીતે સાધુ સંતો- પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગત બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમા યોજી શકાય ન હતી, ત્યારે આ વર્ષે મોટી સંખ્યમાં શ્રદ્ધાળુ ઉમટી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે પ્રાથમિક સુવિધાઓ સહિત જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે.ગિરનાર પરિક્રમા માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ પરિક્રમાર્થીઓની સેવા માટે આગળ આવે છે.
ખાસ કરીને યાત્રિકોની ભોજન સેવા માટે હોંશે-હોંશે સેવાકીય સંસ્થાઓ આગળ આવે છે. આમ, સોરઠ-સૌરાષ્ટ્ર સંસ્કૃતિને ઉજાગર કરતાં આ સેવાકીય સંસ્થાઓ પૂરા ભાવ સાથે પરિક્રમાર્થીઓને ભોજન કરાવે છે.ગિરનાર પરિક્રમાં અભયારણ્ય વિસ્તારમાં યોજાઈ છે, ત્યારે પર્યાવરણ પ્રકૃતિને હાનિ ન પહોંચે તેની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે ભવનાથમાં ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર નજીક એક સેવાકીય સંસ્થા દ્વારા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલી જમા લઈને પ્રકૃતિને હાનિ ન પહોંચાડે તેવી ઈકો ફ્રેન્ટલી થેલી આપવામાં આવે છે. જેના થકી યાત્રાળુઓ ઈકો ફ્રેન્ડલી થેલીમાં પોતના જરૂરી સામાન લઈ શકે.જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના દિશાનિર્દેશ મુજબ સમગ્ર ગિરનાર પરિક્રમા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ સમગ્ર પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગિરનાર પરિક્રમાને ધ્યાને રાખી વધારાનું પોલીસ બળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
પરિક્રમાર્થીઓ માટે જીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના
પરિકમાર્થીઓને આરોગ્ય સંબંધિત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર ઝીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.
મેન-એનિમલ કોનફ્લિક્ટ ટાળવા માટે ટ્રેક્ટર-રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત
મેન-એનિમલ કોનફ્લીક્ટ ટાળવા માટે ટ્રેક્ટર – રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત રહેશે. આ માટે વન વિભાગના અન્ય ડિવિઝનમાંથી પણ સ્ટાફને પરિક્રમામાં ફરજ માટે બોલાવવામાં આવ્યો છે. તેમજ તેમને ફરજની સોંપણી પણ કરી દેવામાં આવી છે.
ભવનાથ સુધી રાઉન્ડ ધી ક્લોક એસ.ટી. બસ સેવા
યાત્રિકોની પરિવહન સુવિધા માટે રાઉન્ડ
ધી ક્લોક એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય એસ.ટી. બસ મથક ખાતેથી ભવનાથ જવા માટે જ.ઝ. બસ સેવા શરૂ કરવામાં આવી છે.