ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ અને ગુજરાત સરકારના જીએલપીસી વિભાગના સહયોગથી ઉમિયા પટેલ કેળવણી મંડળ, વીરપુર(ગીર), ધાવા રોડ ખાતે ચાલતી દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના(ડીડીયુ-જીકેવાય)ના તાલીમ કેન્દ્રનું ઉદ્ધાટન ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વાય.ડી.શ્રીવાસ્તવના હસ્તે થયું હતું. આ તાલીમ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની નિ:શુલ્ક સુવિધા સાથે જ સેક્રેટરી(ઓફિસ વર્ક)નો કોર્સ તેમજ બેઝિક કમ્પ્યુટર, સ્પોકન ઈંગ્લિશ સહિતના કોર્સ વિનામૂલ્યે શીખવવામાં આવશે. આ તકે વાય.ડી.શ્રીવાસ્તવ કહ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રના રોજગારી ઈચ્છુક તેમજ ગરીબી રેખા નીચે આવતા યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક એટલે દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ કાર્યક્રમ નોકરી ઈચ્છુક યુવક યુવતીઓને તાલીમ આપીને નોકરી આપવા માટે સક્ષમ બનાવે છે. અજ્ઞાન એ અંધકાર છે. ધો.10 અથવા ધો.12 પછી શું કરવું? કઈ રીતે કરવું? આવા મૂંઝવતા સવાલોના જવાબ માટે આ યોજના આશાસ્પદ છે.
તાલાલામાં ડીડીયુ-જીકેવાય તાલીમ કેન્દ્રનું થયું ઉદ્ધાટન
