ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશક્તિની આરાધના માટે લોકો માટીના ગરબા ઘરમાં લાવતાં હોય છે. જો કે હવે નવરાત્રી પૂર્ણ થઈ છે. ત્યારે જ આ ગરબાનો સદઉપયોગ થાય તે માટે જૂનાગઢ નેચર ફર્સ્ટ ગૃપ દ્વારા ચકલીના માળા તૈયાર કરી નિ:શુલ્ક વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘર એક મંદિર છે, જેથી ચકલી પણ સુરક્ષીત ઘર મેળવી શકે. માટે ગરબો મંદિરે મૂકવાને બદલે ચકલીનું ઘર બનાવી ઘરે રાખવા કારણ કે ગરબાની બાંધણી પક્ષીના માળા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. તેમજ જુના જમાનાના મકાન હવે નહીં રહેતા ચકલીને માળો બનાવવો મુશ્કેલ છે, તેવા સમયે ગરબાને છતમાં ટિંગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશીર્વાદરૂપ બનશે,કારણ કે ચકલી પોતાનો માળો જાતે બનાવી શકતી નથી ત્યારે નેચર ફર્સ્ટની ટીમ દ્વારા જૂનાગઢ શહેરના જુદાજુદા મંદિરોમાં જઈને લોકોએ રાખેલા ગરબાઓ લઈને તે ગરબાના ચકલીઘર બનાવીને 1111 ચકલીઘર બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં 1111 ગરબામાંથી ચકલીનાં માળા બનાવાયા
