સુત્રાપાડામાં દોઢ ઇંચ,ઉના અને ગીરગઢડામાં અડધો ઇંચ વરસાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદથી રહ્યો છે. ગઇકાલે સામાન્ય વરસાદ થયો હતો.બાદ આજ સવારથી જિલ્લામાં અવીરત વરસાદ પડી રહ્યો છે. ભાદરવામાં અષાઢી માહોલ બન્યો છે. અવીરત વરસાદથી ખેડૂતોને ચિંતા થઇ રહી છે. આજે બપોરનાં 12 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.જેના પગલે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. રસ્તા ઉપર જાણે નદીઓ વહેવા લાગી હતી. આ ઉપરાંત કોડીનાર તાલુકામાં અઢી ઇંચ વરસાદ થયો હતો.
- Advertisement -
તેમજ સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. ઉના અને ગીર ગઢડા તાલુકામાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.તાલાલા પણ અડધો ઇંચ વરસાદ થયો હતો. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝાંપટા પડ્યાં હતાં. સતત વરસાદથી ખેતી પાકને નુકસાન થવાની શકયતા વર્તાઇ રહી છે.