By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    22 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    22 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    22 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    22 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    22 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન
Authorખાસ-ખબર

શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 3:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે

મિત્ર, પુત્ર, રાજા, પરિવાર આ તમામ સાથેના સંબંધોમાં શ્રીકૃષ્ણ નીતિ આદર્શ સમાન

- Advertisement -

બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે

જન્માષ્ટમીની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બે વર્ષના કોરોના કાળ બાદ લોકોના તન-મનમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અનેક પ્રકારની વિટંબણાઓમાં અટવાયેલા માનવ સમાજ માટે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન-કવન તમામ સમસ્યાઓના રામબાણ ઈલાજ સમાન છે. આવો “ખાસ ખબર”ના સંગાથે ભગવાન રણછોડની જીવન જીવવાની નીતિને સમજવાનો પ્રયાસ કરીએ.

શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાની જેલમાં જન્મેલા અને પ્રભાસપાટણના પ્રાંગણમાં પોતાની જીવન લીલા સંકેલી સ્વધામગમનના સમય દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો આપણને જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચરત્ર આપણને જીવનના દરેક તબકકામાં કંઇન નવીન સંદેશ આપે છે. બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે.

- Advertisement -

કનૈયાના બાળ સ્વરૂપમાં એક નિર્દોષ બાળકની નટખટતા તેમાથી ઝલકતી સચ્ચાઇ, પાલક માતા પ્રત્યેની તેમજ ભાઇ બલરામ પ્રત્યેની અતુટ ભાવના, ગોપીઓ સાથે મુગ્ધાવસ્થામાં સાચો અલૌકક પ્રેમ અને એ પ્રેમમાં નિતરતી દવ્યતા માનવજીવનને મુગ્ધ કરી દે છે. બાળ ગોપાલો સાથે ખેલાતી નિર્દોષ રમત અને એ રમત-રમતમાં પણ કાલીનાગ જેવા દુષ્ટને કોઇપણ દૈવી તત્ત્વનો લોકોમાં આભાસ થવા દેવા વગર જ એક સામાન્ય બાળકની પેઠે દુષ્ટ નાગને તગેડી મુકી લોકોને યાતનામાંથી છોડાવે છે. જ્યારે ગોકુળ ઉપર વરસાદી કહેર છવાઇ જાય છે ત્યારે આ યુગપુરુષ પોતે સર્વ કરવા સમર્થ હોવા છતાંએ લોકભાગીદારીથી અર્થાત ગોવાળિયાઓ તેમજ ગામ લોકોને સાથે રાખી લાકડીના ટેકાથી ગોવર્ધન પર્વત ઉચકી માનસિકતાને મજબુત કરવા મનોવૈજ્ઞાનિક ઢબથી ગોવર્ધન પર્વત નીચે શરણ મેળવ્યું હતું.
ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણ ભારતીય લોકોના આદર્શ ચિત્ર રહેલા છે. મર્યાદા પુરૂષોતમ શ્રી રામ અને પૂર્ણપુરુષોતમ શ્રી કૃષ્ણના સિધ્ધાંતોમાં પણ સમયાનુસાર ઘણો ફેર જોવા મળે છે.

પોતાની સાથે બુરુ કરનારે વિશાળ હૃદયે માફી આપતા રામ કૃષ્ણાવતારમાં ‘હણે તેને હણવામાં પાપ નથી’ના ઉદ્દેશ્યને ચરતાર્થ કરે છે. પછી તે હણનાર નજીકના સ્વજન જ કેમ ન હોય તેના ઉત્તમ ઉદાહરણમાં માસી પુતના, મામા કંસ અને છેવટે પોતાના દ્વારા જ પોતાના કુળમાં યાદવાસ્થળીથી વંશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે કૃષ્ણની આધુનિક વિચારધારા પણ આજના યુગમાં કામ આવે એવી છે જ્યારે પોતાની જ બહેન સુભદ્રા અને અર્જુનના ગાંધર્વ વિવાહ અને તેને ભગાડવામાં કૃષ્ણએ ખૂદ મદદ કરી હતી જ્યારે આજના યુગમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના માત-પિતાઓ કે વડીલો એક બીજાનો જીવ લેવામાં ઓછા નથી ઉતરતા ત્યારે પ્રાચીન કાળમાં કૃષ્ણ દ્વારા આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

કૃષ્ણ ચરત્રની સૌથી વધુ અસરકારક ભૂમિકા મહાભારત કાળમાં થઇ. જ્યારે પોતાના જ નજીકના સગા એવા કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે જમીન માટે મહાભારતનું યુધ્ધ સર્જાયું એ પહેલા એક રાજનીતિજ્ઞે જે પ્રયત્નો કરવા જોઇએ એ બનતા તમામ પ્રયત્નો કર્યા અને છેવટે પણ જ્યારે પુત્ર મોહથી અંધ ધૃતરાષ્ટ્ર મંડળી તસુભાર પણ જમીન પાંડવોને આપવા ઇન્કાર કર્યો ત્યારે પોતાના હકક માટે લડવાની અને મરી મિટવાની પ્રેરણા સાથે પાંડવોને પ્રેરત કર્યા, પાંડવો કયારેય યુદ્ધ ઇચ્છતા ન હતા એ તો ત્યાગની ભાવના સાથે પોતે પોતાનું સર્વસ્વ કૌરવોને દાનમાં આપવા તત્પર હતા એવા સમયે હકક માટેની લડાઇ અને સ્વમાનના કાજે અને દ્રૌપદીની લાજ (પોતાના કુળની સ્ત્રીના અપમાનનો બદલો પણ કહી શકાય) માટે પાંડવોની શક્તિને જાગ્રત કરી યુદ્ધનો શંખનાદ ફંકયો હતો. અને યુદ્ધના પડઘે તે પાંડવો કે કૌરવોના પક્ષે નહીં પણ સત્યના પક્ષે રહ્યા હતાં. આથી જ પાંડવ સેનામાં રાક્ષસી તત્વોનો નાશ ભગવાને પોતાની યુક્તિ પ્રયુક્તિથી કરવાવ્યો જેમકે ઘટોત્કચ, અભિમન્યુ વગેરે યુક્તિ પ્રયુક્તિ દ્વારા મોક્ષ અપાવ્યો હતો. ગમે તેવા વીર યોધ્ધાને શાંત પાડવો અને માનસક રીતે હતાશ થયેલાની શક્તિમાં નવા પ્રાણ ફંકવાની શક્તિ તેઓ કોઇપણ પ્રકારના દવ્ય રુપ વિના માનવ સહજ સ્વભાવથી કરી આજના યુગમાં પ્રેરણા પુરી પાડે છે. પોતાના સ્વજનોને જોઇ નિરાશ અર્જુનને ‘ગીતા સંદેશ’ના ઉત્તમ જ્ઞાનથી પોતાના ધર્મ અને કર્મના એક સામાન્ય માણસની પેઠે સિદ્ધાંતો સમજવા અને જ્યારે જરૂર પડી ત્યારે પોતાનું દવ્ય સ્વરૂપ પણ બતાવીને સાબિત કરી આપ્યું. જો માટે કરવું હોય તો આટલી વાર લાગે પરંતુ જે જેના હાથે નિમિત્ત છે તે થવું જ જોઇએ એવો ઉત્તમ સંદેશ આમાં સમાયેલો છે.

પોતાના જીવનના છેલ્લા ચરણોમાં દ્વારકા ખાતે રાજધર્મ પણ નિભાવ્યો અને પોતાના પરવારજનોના દુષ્કૃત્યોથી દુખી થતા પોતાના કુળનો નાશ એટલા માટે કર્યો કે આ બદી વ્યાપક ન ફેલાય અને છેવટે એક પારધીને નિમિત્ત બનાવી પ્રભાસપાટણ (સોમનાથ-વેરાવળ ભાલકા તિર્થ) ખાતે જીવનલીલા પૂર્ણ કરી. આજનો યુગ ખુબ જ અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, છિન્નભિન્ન કુટુંબપ્રથા, ભાઇ-ભાઇમાં વેરઝેર, કોઇને દબાવીને લઇ લેવાની વૃત્તિ, અને સૌથી મહત્વનું કે સામાન્ય માણસની કરેલી લાગણી, દબાયેલો અવાજ, પોતાની લાગણી રૂંધાતી હોય એવું સતત લાગ્યા કરે છે, પોતે જે નથી ઇચ્છતો છતાંએ કરવું પડે છે. ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે. કૃષ્ણ હવે વાંસળીવગાડતા કે ચક્રધારણ કરતા અવતરવાના નથી પરંતુ આપણે પોતે જ કૃષ્ણ નીતિના સથવારે આપણો જીવન વ્યવહાર ઘડી કુટુંબ, સમાજ તેમજ દેશ માટે સર્વસ્વ લુંટાવવાની તૈયારી બતાવવી પડશે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: JANMASHTAMI, SRIKRISHNA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન્માષ્ટમીની રજામાં ભવનાથથી સોમનાથ સુધી માનવપ્રવાહ
Next Article શ્રીકૃષ્ણ જન્માષ્ટમી: આ વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ધ્રુવ અને વૃદ્ધિયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?