જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે રાજુ શ્રીવાસ્તવની તબિયત સારી નથી. અચાનક તબિયત બગડવાના કારણે રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની સરકારી હોસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચાર સાંભળીને રાજુ શ્રીવાસ્તવના ચાહકો ચોંકી ગયા હશે.
રાજુ શ્રીવાસ્તવને શું થયું?
મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે તેમની સાથે અચાનક અકસ્માત સર્જાયો હતો. કસરત કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પર પડી ગયા હતા. આ પછી રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હાસ્ય કલાકાર વિશેના આ દુ:ખદ સમાચારથી ચાહકો નારાજ થયા છે. રાજુ શ્રીવાસ્તવ ઝડપથી સાજા થાય તે માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ એક પ્રખ્યાત હાસ્ય કલાકાર છે. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.
- Advertisement -
કરિયરની શરૂઆત સ્ટેજ શોથી
રાજુ શ્રીવાસ્તવને કોમેડીનો બાદશાહ માનવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષોથી રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા અને તેમણે પોતાનું સપનું પણ પૂરું કર્યું હતું. રાજુએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેજ શો થી કરી હતી.