By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના 12 શહેરોમાં ભારતીય ડ્રોન દ્વારા હુમલો: પાકિસ્તાની સેનાના ચાર સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
    18 hours ago
    વોલ્ટન રોડ વિસ્તારમાં લશ્કરી એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટોથી લાહોર હચમચી ગયું
    19 hours ago
    પાકને વધુ એક મોટો ઝટકો: BLA આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો, 12 સૈનિકોના મોત
    20 hours ago
    બ્રિટન શોકમાં ડૂબી ગયેલા લોકો સાથે દુઃખ અને એકતામાં ઉભું છે, આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં: ઋષિ સુનક
    20 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનું બદલાયું વલણ, ખ્વાજા આસીફે જાણો શું કહ્યું
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
    16 hours ago
    ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ
    16 hours ago
    યુદ્ધના એંધાણ: લાહોર સ્થિત એરડિફેન્સ સિસ્ટમ તબાહ કરતી ભારતીય સેના
    16 hours ago
    શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં ડંકો વગાડ્યો
    17 hours ago
    ભારતીય હવાઈ હુમલા પર કયા દેશનું વલણ શું હતું?
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    16 hours ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    19 hours ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    3 days ago
    પંજાબ સતત બીજી જીત સાથે નંબર-2 પર આવ્યું: લખનઉને 37 રને હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    19 hours ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    7 days ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    16 hours ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યોગી કથામૃત: લાઈફ ચેન્જીંગ બેસ્ટસેલર બૂક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > યોગી કથામૃત: લાઈફ ચેન્જીંગ બેસ્ટસેલર બૂક
Kinnar Acharya

યોગી કથામૃત: લાઈફ ચેન્જીંગ બેસ્ટસેલર બૂક

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:11 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

યોગી કથામૃત સ્પ્રિચુએલિટી, ફિલસૂફીનાં રસિકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા ઈચ્છુકો માટે ટેક્સ બૂક કે રેફરન્સ બૂક છે

યોગીકથા મૃત એટલે જીવન પરિવર્તિત કરનારું પુસ્તક. એક એવું પુસ્તક જેનાં વાંચન માત્રથી જીવન જીવવાની શીખ સાથે જીવ સમૃદ્ધ બની જાય છે. જેમજેમ પુસ્તક વાંચતા જઈએ તેમતેમ જન્મથી આજ અને આજથી આવતીકાલ, ભવિષ્યમાં થનારા મૃત્યુ પછીનાં જીવન સુધીનો ખ્યાલ મળતો જાય. યોગી કથામૃતનાં વાંચન દરમિયાન ક્યારેક આશ્ચર્ય તો ક્યારેક અબોલ તો ક્યારેક એકદમ ઉત્સાહિત તો ક્યારેક અચેતન અવસ્થામાં પ્રવેશી જઈએ. એક રીતે જોવા જઈએ તો આ પુસ્તક માસ માટેનું નથી, ક્લાસ માટેનું છે આમ છતાં આ પુસ્તકનાં માધ્યમથી લેખક પરમહંસ યોગાનંદે માત્ર અધ્યાત્મનાં જિજ્ઞાસુ જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં જનજનને કઈકને કઈક આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.
સાહિત્યનાં પ્રકારથી યોગી કથામૃત પુસ્તક યોગી ગુરુ પરમહંસ યોગાનંદની આત્મકથા છે પરંતુ જો જોવા જઈએ તો આશરે પાંચસો પાનાંનું આ દળદાર પુસ્તક ભારતવર્ષનાં એક આધ્યાત્મિક આત્માનું જીવન ઈતિહાસ, યોગ આંદોલનની ઉત્પત્તિથી ઉત્ક્રાંતિ અને ચમત્કારોનો ખજાનો છે. એમ પણ કહી જ શકાય કે, આ પુસ્તક એ પુસ્તક નહીં પરંતુ અધ્યાત્મ અને વિજ્ઞાનનાં દરવાજાઓ પર જડસુઓએ ઠોકેલા તાળાને ખોલતી ચાવી છે. આટલું કાફી નથી, ખરા અર્થમાં યોગી કથામૃત સ્પ્રિચુએલિટી અને ફિલસૂફીનાં રસિકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા ઈચ્છુકો માટે ટેક્સ બૂક કે રેફરન્સ બૂક છે. આ પુસ્તકનાં લેખક દ્વારા કૃષ્ણ અને ક્રાઈસ્ટે આધુનિક ગીતા અને બાઈબલની દુનિયાને ભેટ ધરી છે. યોગી કથામૃત ઈશ્વરની પ્રસાદી છે એટલે કોઈને ભેટ સ્વરૂપે આપવા આ પુસ્તકથી વિશેષ કોહીનુર પણ નહીં હોય.
વીસમી સદીની શરૂઆતમાં બંગાળમાં એક આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત થઈ ગયા – પરમહંસ યોગાનંદ. જેઓને નાનપણથી જ અધ્યાત્મ અને સંન્યાસ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ અને જિજ્ઞાસા હતી. હિમાલયની આધ્યાત્મિક દુનિયા આ બાળકને સતત પોતાના તરફ કુતુહલવશ ખેંચતી રહેતી હતી. શરૂઆતમાં તો આ બાળકનાં ઘર-પરિવારનાં સભ્યોએ બાળકને ધર્મ-અધ્યાત્મ અને બાવા-સાધુઓથી દૂર રહેવાનાં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બાળકની આસ્થા પાસે બધું વામણું પડ્યું અને બાળક મુકુંદની આધ્યાત્મિક જીવન સફર શરૂ થઈ. જે યાત્રા અમેરિકાનાં કેલીફોર્નીયા સ્થિત સેલ્ફ રિયલાઈજેશન ફેલોશિપ સેન્ટરમાં સમાપ્ત થઈ. આમ, પ્રકૃતિની નિયતિ પાસે પરિવારની અનિચ્છા ન ચાલી અને સ્વામી યોગાનંદે પોતાનો મળેલો દેહકાળ સાર્થક કર્યો.
અનુસંધાન પાના નં. 3 પર

- Advertisement -

પાના નં. 2થી ચાલું…
બાળક મુકુંદ એટલે કે, સન્યાસી બની સ્વામી પરમહંસ યોગાનંદ નામ ધારણ કરનાર આ આધ્યાત્મિક સંતે પોતાના જીવન દરમિયાન ઘણા બધા પ્રકારનાં યોગીઓ, સાધુ-સંતો, વૈજ્ઞાનિકો, ચમત્કારીઓ, ઈતિહાસ પુરુષો અને વિશ્વપ્રસિદ્ધ નેતાઓથી મળ્યા. બસ આ બધા લોકોની મુલાકાતો, બાળપણનાં પ્રસંગો અને એ બધાને સંલગ્ન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક વિચારો અને લેખકનાં અન્ય લોકો સાથેનાં જન્મોજન્મ સાથેનાં સંબંધો, બંધનો અને કર્મો સાથે ક્રિયાયોગની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. ભારતનાં પશ્ચિમ જગત સાથેનાં જૂના આધ્યાત્મિક સંબંધો પણ આ પુસ્તકમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યા છે. ખાસ તો ક્રિયાયોગ માટે જ આ પુસ્તક લખાયું હશે, છે.
ભારતીય પરંપરા અનુસાર ક્રિયાયોગ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં તેનો ઉલ્લેખ કર્યો જ છે. યુગોયુગથી ચાલી આવતી આ ક્રિયાયોગ શિક્ષા, પરંપરા આજથી બે સદી અગાઉ લુપ્ત થઈ ચૂકી હતી ત્યારે યોગાનંદજીનાં ગુરુ બાબાજીએ તેમનાં કેટલાંક ખાસ શિષ્યોને તેની શિક્ષા આપી હતી. યોગાનંદજીએ ક્રિયાયોગની શિક્ષાનાં ફાયદા જોતા તે પદ્ધતિ યોગી કથામૃત તથા અન્ય પુસ્તકોનાં માધ્યમથી અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા ધ્યાન કેન્દ્રની સ્થાપનાથી સર્વસુલભ અને સરળ બનાવી. યોગી કથામૃતમાં ગાંધીજીએ પણ લેખક યોગાનંદ પાસેથી ક્રિયાયોગની શિક્ષા લીધી હોય તેનાં પ્રાસંગિક પૂરાવાઓ ફોટા સહિત છે. આ સિવાય રજનીકાંતથી કોહલીની અપ્રિતમ સફળતા અને લોકપ્રિયતાનાં મૂળિયાં યોગી કથામૃત પુસ્તક, તેનાં લેખક અને લેખકનાં ગુરુ યુક્તેશ્વર ગીરી, લાહિડી મહાશય અને ધી ગ્રેટ સોલ બાબાજી સુધી જઈ નીકળે છે.
યોગી કથામૃત પુસ્તક યોગ પરંપરા સાથોસાથ હિમાલય સહિત ભારતભરનાં સાધુ-સંત, સન્યાસી અને યોગીઓથી પરિચિત કરાવે છે. વધતામાં વિજ્ઞાનનાં રહસ્યોને ઉકેલતા એવા કિસ્સાઓ રજૂ કરે છે જે તમારાં વિશ્વાસ બહાર રહેશે. જો વાંચો તો જાણો અને જાણો તો માનો-અનુભવો એ જ આ રોમાંચકારી પુસ્તકની સફળતાનું રહસ્ય મને લાગ્યું છે અને ખાસ તો માનવ મન-મગજ સાથે જોડાયેલા તમામ સવાલનાં જવાબ આ પુસ્તકમાં છે. જીવનનાં અર્થ સાથે મૃત્યુ બાદનાં જીવનની સંભાવનાઓ પર પણ આ પુસ્તક પ્રકાશ પાથરે છે. આ સિવાય ઈન્ટરનેટ પણ ઘણી બધી માહિતી અને જાણકારી ઉપલબ્ધ છે જ. યોગી કથામૃત વિશે બધું થોડું હું અહીંયા કહી શકીશ? યોગી કથામૃત પણ ગૂગલમાં ગોતશો તો તમારી મનપસંદ ભાષામાં પીડીએફ ફોરમેટમાં મળી જશે. આ સિવાય આ પુસ્તકનાં લેખકનાં 70થી વધુ દેશોમાં 500થી વધુ આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર પરથી આ અને લેખકનાં અન્ય પુસ્તકો જોઈએ તેટલી ભાષામાં, સાઈઝમાં મળી રહેશે.

ધાર્મિક ઉદારવાદીઓનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેનારા ત્રીજા ભારતીય સંત પરમહંસ યોગાનંદ

યોગી કથામૃત પુસ્તક યોગ પરંપરા સાથોસાથ હિમાલય સહિત ભારતભરનાં સાધુ-સંત, સન્યાસી અને યોગીઓથી પરિચિત કરાવે છે.

- Advertisement -

યોગી કથામૃત પુસ્તક સાથોસાથ આ પુસ્તકનાં લેખક સ્વામી યોગાનંદ વિશે પણ જાણવું જરૂરી ખરું. કેમ કે, સ્વામી યોગાનંદ પોતાના પુસ્તક જેટલી જ મહાન કક્ષા ધરાવે છે. વિદેશમાં તેઓ પર મુવી બની ગયા છે. તમે પણ નામ સાંભળ્યું જ હશે અથવા પિક્ચર જોયું હશે : અવેક. એ સિવાય સ્વામી યોગાનંદજી પર ભારતમાં બે-બે વાર ટપાલ ટીકિટ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. એકવાર 1977માં અને બીજી વાર 2017માં. ભારતથી લઈ પશ્ચિમનાં દેશોમાં ભારતીય યોગ પદ્ધતિનાં પ્રચાર-પ્રસારનાં પાયોનીયર અને યોગી કથામૃત પુસ્તકનાં લેખક પરમહંસ યોગાનંદનો વિશેષ પરિચય આવતા સપ્તાહે મેળવીશું..

વીસમી સદીનાં શ્રેષ્ઠ 100 પુસ્તકોની યાદીમાં સ્થાન
આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? શું મૃત્યુ પછી બધું જ ખતમ થઈ જાય છે? આપણે કઈ રીતે જીવી રહ્યાં છીએ? એવી કઈ શક્તિ છે જે આ સંસાર અને આપણા સૌનું સંચાલન કરી રહી છે? આપણે કોનાં આધીન છીએ? એવા રહસ્યમયી પ્રશ્નોનાં ઉત્તર ‘યોગી કથામૃત’ પુસ્તકમાંથી મળશે. વ્યક્તિ વિશેષને સંતોષ આપવામાં અને આત્મસ્વરૂપનાં બોધ માટેનું આ માર્ગદર્શક પુસ્તક વીસમી સદીનાં શ્રેષ્ઠ 100 પુસ્તકોની યાદીમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીથી લઈ સુપરસ્ટાર રજનીકાંત અને રમતવીર કોહલી સુધીના દેશી-વિદેશી આમ ઔર ખાસ લોકોએ લેખક અને તેમનાં વિચારોથી પ્રભાવિત થઈ પોતાનાં જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આ પુસ્તકના લેખક પરમહંસ યોગાનંદ ધાર્મિક ઉદારવાદીઓનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેનારા ત્રીજા ભારતીય સંત હતા. તેમની પહેલા સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થએ આ પ્રકારનાં ધર્મ સંમેલનમાં ભારતનું પ્રતિનિધત્વ કરી વિશ્વ ફલક પર ભારતનાં પ્રાચીન અધ્યાત્મ વિજ્ઞાનની સમજ આપી છે.

વિશ્ર્વના મહાનુભાવોએ આ પુસ્તક વાંચવાની અપીલ કરી
‘યોગી કથામૃત’ પુસ્તકને કિશોર સ્ટીવ જોબ્સે વાંચી તેનાંથી પ્રભાવિત થતા અધ્યાત્મની ખોજમાં હિમાલય આવ્યા હતા. વર્ષમાં એક વખત યોગી કથામૃતનો આસ્વાદ લેતા જોબ્સના આગ્રહથી એપલના સહસ્થાપક વોલ્ટર ઈસાકસન, સેલ્સસેર્સ.કોમના સીઈઓ માર્ક બેનીઓફ અને વિશ્વની જુદા-જુદા ક્ષેત્રોનાં મહાનુભાવોએ આ સૂક્ષ્મ દુનિયા અને તેવી જ શક્તિનો પાત કરાવતી આત્મકથાથી ઊર્જા મેળવ્યાનો પશ્ચિમના દેશોના મંચ પર જાહેર એકરાર કર્યો છે. સિતારવાદક પંડિત રવિશંકરે બિટલ્સના જ્યોર્જ હેરિસનને આ પુસ્તક માટે ભલામણ કરી તે પછી જ ‘બિટલ્સ’ ભારતીય સંસ્કૃતિ અને ગૂઢ અધ્યાત્મવાદ તરફ આકર્ષાઈ તેઓની પ્રતિભા ખીલી ઉઠી હતી.

 

You Might Also Like

તર્પણની છાતીનાં ભાગે એક ડૉક્ટરને ઝખ્મોનાં ત્રણ નિશાન દેખાયા

ચેન્નઈ’સ ચટનીઝ: ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડનું ઑફિશિયલ સરનામું

પથ્થરપાપિયાઓ ઉર્દૂ-હિન્દી નહીં, બુલડોઝરની ભાષા જ સમજે છે

છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ

બાહુબલી ગુજરાતી થાળી જેવું અમારું ‘ખાસ-ખબર’

TAGGED: ધર્મ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેતીની જમીનમાં દિશાનું મહત્વ, મુહૂર્ત- પંચાંગની ભૂમિકા અને અણધાર્યા ખર્ચા અટકાવવાનાં ઉપાયો
Next Article જ્ઞાનવાપી મસ્જિદ સર્વે: કલ્પના કરતાં પણ ઘણું વધુ રહસ્યમય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
ઓપરેશન સિંદૂર 2.0? NSA અજિત ડોભાલ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ
મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

તર્પણની છાતીનાં ભાગે એક ડૉક્ટરને ઝખ્મોનાં ત્રણ નિશાન દેખાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Kinnar Acharya

ચેન્નઈ’સ ચટનીઝ: ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડનું ઑફિશિયલ સરનામું

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
Kinnar Acharya

પથ્થરપાપિયાઓ ઉર્દૂ-હિન્દી નહીં, બુલડોઝરની ભાષા જ સમજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 8 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?