By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    17 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    18 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 days ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    15 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    16 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    17 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    2 days ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    15 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    15 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    17 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    18 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor
Last updated: 2025/11/12 at 4:09 PM
Khaskhabar Editor 6 months ago
Share
8 Min Read
SHARE

કાફિરોને કેવી રીતે વધુ ને વધુ કનડી શકાય એ માટેનાં નવતર આઈડીયાઝ વિચારવા એમનાં દિમાગનાં કરોડો-અબજો જ્ઞાનતંતુ સદા સક્રિય રહે છે: એ સિવાય આ લોકોએ જગતને શું આપ્યું?

ઓસામા બિન લાદેન ઊચ્ચ શિક્ષિત હતો, હાફિઝ સઈદ તો ખુદ પ્રોફેસર હતો, લાદેનના રાઈટ હેન્ડ અલ ઝવાહિરી પાસે સર્જનની ડીગ્રી હતી, ઈન્ડિયન મુજાહિદ્દીનનાં સ્થાપકોમાંનો એક અબ્દુલ કુરૈશી સોફ્ટવેર એન્જિનિયર હતો, તેનો ખાસ સાથીદાર સાદિક શેખ એન્જિનિયર હતો…

- Advertisement -

શું ભણતર અને કટ્ટરતા વચ્ચે કોઈ સંબંધ છે? એવી દલીલ થતી રહે છે કે, મુસ્લિમોમાં એજ્યુકેશન ઓછી છે એટલે યુવાઓ કટ્ટર બને છે. ખોટી વાત છે. ઓસામા બિન લાદેન ઊચ્ચ શિક્ષિત હતો, હાફિઝ સઈદ તો ખુદ પ્રોફેસર હતો, લાદેનના રાઈટ હેન્ડ અલ ઝવાહિરી પાસે સર્જનની ડીગ્રી હતી, ઈન્ડિયન મુજાહિદ્દીનનાં સ્થાપકોમાંનો એક અબ્દુલ કુરૈશી સોફ્ટવેર એન્જિનિયર હતો, તેનો ખાસ સાથીદાર સાદિક શેખ એન્જિનિયર હતો. માત્ર ભારતનાં જ નહીં દુનિયાભરનાં અનેક ઈસ્લામિક આતંકવાદીઓએ પુરવાર કર્યું છે કે, દુનિયાનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ દિમાગમાંથી જેહાદી માનસિકતા મીટાવી શકતું નથી. હજુ થોડાં નામ જોઈ લઈએ: ઓમર શેખ, નઈમ નૂર ખાન, ન્યૂયોર્કનાં ટાઈમ્સ સ્કવેર પર બૉમ્બ બ્લાસ્ટ કરનાર ફૈઝલ શેહઝાદ, ડેન્માર્ક ઍમ્બેસીને બૉમ્બથી ઉડાવનાર હમાદ આદિલ અને હાઈજેકર ઓવૈસ જાખરાની… આ બધાં એવા શૈતાનો છે- જેમને માનવ ઈતિહાસ તેમની ક્રુરતા માટે ક્યારેય ભૂલી નહીં શકે. દિલ્હી બ્લાસ્ટ પાછળ પણ પાંચ-પાંચ મુસ્લિમ ડાક્ટર સાહેબો અને એક ડાકટર સાહિબાનાં નામ ખૂલ્યાં છે. સાયન્સ એજ્યુકેશન, મેડિકલ જેવી ડીગ્રી પણ દિમાગનો કચરો હટાવી શકતાં નથી.

ડાકટરનું કામ હોય છે જીવન આપવાનું, જિંદગી બચાવવાનું… તો આ બધાં દાગતર સાહેબો જીવ લેવા અને લોકોનાં ફુરચેફુરચાં કરવા શાને બેબાકળા હતાં? આખું મોડ્યુલ કામ કરતું હતું, ઑલમોસ્ટ બધાં જ ઊચ્ચ શિક્ષિત હતાં. ડૉકટર બનીને આ લોકો શું કરે છે? કોઈ ખતરનાક ઝેર બનાવવામાં વ્યસ્ત છે- એવું ઝેર કે તેનાંથી એકસાથે દસ લાખ લોકોને ખતમ કરી શકાય, કોઈ ટનબંધ ક્વૉન્ટિટીમાં એમોનિયમ નાઈટ્રેટ બનાવે છે, જેન્ટ્સ ડાકટર એ.કે.47 રાખે છે તો મહિલા ડાકટર પણ કલાશનિકોવ રાઈફલ રાખે છે. તબીબસાહેબ ચાંદની ચોકમાં ધડાકા કરી રહ્યાં છે. તેઓ માને છે કે, પેરાસીટામોલ અને એમોક્સિસીલીન અને ઈરીથ્રોમાયસિન વગેરેથી શું વળે? ચાલો એમોનિયમ નાઈટ્રેટનાં હાઈ ડોઝ જ આપીએ!
અભણ કટ્ટર મારામારી કરે છે, લવ જેહાદ કરે છે: શિક્ષિત કટ્ટર બૉમ્બ બનાવે છે અને ધડાકા કરે છે, હત્યાકાંડો કરે છે અને અરાજકતા ફેલાવે છે

દિલ્હી બ્લાસ્ટ દુ:ખદ ઘટના છે પરંતુ એક દૃષ્ટિએ જોઈએ તો શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટને બદલે એક બ્લાસ્ટથી કામ પત્યું છે: દેશનું સદ્ભાગ્ય છે કે, કેન્દ્રમાં મોદી છે અને અમિત શાહ છે… રાષ્ટ્રવાદી સરકાર છે અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સની નીતિ છે

- Advertisement -

અભણ કટ્ટર મારામારી કરે છે, લવ જેહાદ કરે છે. શિક્ષિત કટ્ટર બૉમ્બ બનાવે છે અને ધડાકા કરે છે, હત્યાકાંડો કરે છે અને અરાજકતા ફેલાવે છે. એક કિતાબે આખી દુનિયાનાં ખૂણેખૂણે વિકારો ફેલાવ્યા છે. મદરસાછાપ છપરીઓ ટ્રેનનાં પાટા ઉખાડે છે, વંદે ભારત ટ્રેન પર પાણા મારે છે, ફ્લાયઓવરમાંથી નટ-બોલ્ટ કાઢી જાય છે, સાઈન બોર્ડ ઉખાડી નાંખે છે, રસ્તા પર ખિલ્લીઓ પાથરી દે છે, દેવ પ્રતિમા તોડી નાંખે છે, શહીદોનાં સ્મારકો પર સૂસૂ કરે છે. આ બધું તેમનાં માટે રચનાત્મક કાર્ય છે. એમની આ ક્રિએટિવિટી છે. ક્ષત્રિય કે બ્રાહ્મણ કે ઊચ્ચ વર્ગની રૂપાળી છોકરીઓને ફસાવવી એ એમની સર્જનાત્મકતા છે.
એમનું આખું ફોક્સ જ અલગ દિશામાં છે. કાફિરોને કેવી રીતે વધુ ને વધુ કનડી શકાય એ માટેનાં નવતર આઈડીયાઝ વિચારવા એમનાં દિમાગનાં કરોડો-અબજો જ્ઞાનતંતુ સદા સક્રિય રહે છે. એ સિવાય આ લોકોએ જગતને શું આપ્યું? કોઈ આધુનિક ટેકનોલોજી? મોબાઈલ, કોઈ અફલાતૂન કાર કે સેટેલાઈટ કે માર્સ-મૂનનું કોઈ મિશન કે કોઈ અદ્ભૂત ડિવાઈસ કે કોઈ ક્રાન્તિકારી- લાઈફ ચેન્જિંગ મેડિસિન, કોઈ સારી સાયકલ, સુપર કોમ્પ્યુટર કે સોફ્ટવેર કે હાર્ડવેર કે નેનો ટેકનોલોજી કે રોબોટિક્સ… કશું જ પ્રદાન છે? શસ્ત્રો પણ ઉછીના છે. રશિયન કે અમેરિકન છે. છેવટે આપ્યું શું? એમોનિયમ નાઈટ્રેટ એક રીતે આર.ડી.એક્સ.નો ઉત્તમ વિકલ્પ બની શકે છે તેનું લાઈવ નિદર્શન.

ઈસ્લામિક આતંકવાદે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૉમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલી મહિલા ડૉકટર શાહિન શહીદે એમ.બી.બી.એસ. અને એમ.ડી.ની ડીગ્રી મેળવી છે. એ પછી યુ.પી.એસ.સી. ક્લીયર કરીને તેણે કાનપુર મેડિકલ કોલેજમાં પ્રોફેસરની નોકરી લીધી. મહારાષ્ટ્રનાં એક ડૉકટર સાથે તેનાં લગ્ન થયાં હતાં પરંતુ ડૉકટર સાહેબને તેની પત્નીની જેહાદી પ્રવૃત્તિની જાણ થઈ ગઈ એટલે એમણે ડિવોર્સ લઈ લીધાં. કોલેજ પ્રશાસનને તેની વિરુદ્ધ એક ડઝન ફરિયાદ મળી હતી- જેમાં તેની તમામ જેહાદી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ હતો. સજારૂપે તેની બદલી ક્ધનૌજ કરવામાં આવી. પણ વર્ષો સુધી ગેરહાજર રહેવા બદલ તેને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવી. ભાગીને એ ક્યાં ગઈ હતી? આતંકના ગઢ કાશ્મીરમાં. ત્યાં એ છ વર્ષ રહી. મેડિકલ લાઈનમાં આગળ વધવાને બદલે તેણે આતંકવાદની દુનિયામાં કાઠું કાઢવાનું નક્કી કર્યું. એ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ભારતની ફ્રેન્ચાઈઝીની મહિલા પાંખની અધ્યક્ષ બની. આ જેહાદી મહિલાએ ત્રણ હજાર કિલોગ્રામ વિસ્ફોટકોનો જથ્થો એકઠો કર્યો હતો. ડૉકટર સાહિબાની પાસે મેટાસીન કે લેમોલેટની ગોળીઓ હોવી જોઈએ પરંતુ આ બહેન પાસેથી બંદૂકની ત્રણસો ગોળી અને વિદેશી રાઈફલ પણ મળી. તેની પાસેથી મળેલાં વિસ્ફોટકોની વિસ્ફોટ ક્ષમતા એટલી હતી કે આખા એન.સી.આર. (નેશનલ કેપિટલ રિજિયન)ના ડુચ્ચાં નીકળી જાય.

જેમ રાજકીય પક્ષોની ડૉકટર વિન્ગ કે એડવોકેટ વિન્ગ હોય છે- તેમ ત્રાસવાદી સંગઠનો પણ હવે તબીબ પાંખ રાખતાં થઈ ગયા છે શું? દિલ્હી બ્લાસ્ટ કેસએ ફરી એક વખત પુરવાર કર્યું છે કે, ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદના કીડાને ખતમ કરી શકતું નથી. ઊલટું ભણેલો જેહાદી વધુ ખતરનાક હોય છે. પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ આ લોકો સ્વયંના કે લોકોનાં કલ્યાણ માટે નહીં, આતંકના પ્લાન બનાવવા કરે છે.

દેશનાં સદ્નસીબે આતંકનું આખું મોડ્યુલ અને મોતનો સરંજામ પકડાઈ ગયો. દિલ્હી બ્લાસ્ટ દુ:ખદ ઘટના છે પરંતુ એક દૃષ્ટિએ જોઈએ તો શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટને બદલે એક બ્લાસ્ટથી કામ પત્યું છે. દેશનું સદ્ભાગ્ય છે કે, કેન્દ્રમાં મોદી છે અને અમિત શાહ છે. રાષ્ટ્રવાદી સરકાર છે અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સની નીતિ છે. મોદી શાસનનાં લગભગ અગિયાર વર્ષમાં જમ્મુ-કાશ્મીરની બહાર આ પહેલો નોંધપાત્ર આતંકવાદી હુમલો છે. મનમોહન સરકારમાં જે આતંક રૂટિન બની ગયો હતો એ મોદીરાજમાં દુર્લભ થઈ ગયો છે. આજે જે નફ્ફટ લોકો અમિત શાહનું રાજીનામું માંગી રહ્યાં છે એ મનમોહન સરકારમાં ગૃહમંત્રી રહેલાં શિવરાજ પાટીલનો ચાર વર્ષનો અંધારયુગ ઈરાદાપૂર્વક ભૂલી ગયા છે. એમનાં રાજમાં શું-શું થયું? આસામમાં બૉમ્બ વિસ્ફોટમાં 18 મોત, નાગાલેન્ડનાં દીમાપુરમાં બૉમ્બ ધડાકામાં 30 લોકો મર્યાં, અયોધ્યા રામજન્મભૂમિ પર હુમલો થયો અને છ લોકોએ જીવ ગુમાવ્યા, ઉત્તરપ્રદેશમાં જોનપુરમાં બૉમ્બ બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત, દિલ્હીમાં અલગ-અલગ બૉમ્બ ધડાકામાં સિત્તેરનાં મોત, વારાણસીમાં આતંકી હુમલો થયો અને 28 લોકોએ પ્રાણ ગુમાવ્યા, મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલાં સાત ધડાકામાં 209 લોકોએ જીવ ગુમાવ્યો, માલેગાંવ સીરિયલ બ્લાસ્ટમાં 40 મોત, સમજૌતા એક્સપ્રેસ ધડાકામાં 70 મોત, હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટમાં 40, ઉત્તરપ્રદેશનાં અલગ-અલગ શહેરોમાં બ્લાસ્ટમાં 16 તથા જયપુરમાં અલગ-અલગ સ્થળે થયેલાં વિસ્ફોટમાં 71 મોત નિપજ્યાં, અમદાવાદમાં 17 બ્લાસ્ટમાં 56 લોકો મર્યા, દિલ્હી માર્કેટમાં બ્લાસ્ટમાં 33 મોત, ઈમ્ફાલમાં 17 અને આસામમાં અલગ-અલગ જગ્યાએ થયેલા ધડાકામાં 81નાં મોત નિપજ્યાં. અને આટઆટલાં બ્લાસ્ટ અને મોત પછી પણ સરકાર સળવળી સુદ્ધાં નહીં. મનમોહનસિંહ દર વખતે કહેતાં રહ્યાં, ‘અમારી સહનશક્તિની કસોટી લેશો નહીં!’ ગજ્જબનાક સહનશક્તિ હતી મનમોહન સરકારમાં. થેન્ક ગોડ, નરેન્દ્ર મોદી સરકારમાં આવી સહનશક્તિ જરીકેય નથી.

 

You Might Also Like

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

TAGGED: Delhi blast, કિન્નર આચાર્યની તડાફડી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
Next Article હાઈકોર્ટના આદેશ બાદ રેવન્યુ અને વન વિભાગની ટીમ દોડતી થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Kinnar Acharya

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Kinnar Acharya

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?