પાપની બેડલી બૂડે રે બૂડે……
બાપ-દીકરા સામે હાલ મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગની અરજી પણ કરી છે, તપાસ ચાલું છે
પીળું પત્રકારત્વ અને બ્લેક મેઈલિંગ જ જેમની ઓળખાણ છે એવા લોકોને ડહાપણ ક્યાંથી સૂઝ્યું?
આખું પત્રકાર જગત બાપ-દીકરાના અપલખ્ખણોથી વાકેફ
પેઈડ ન્યૂઝ છાપનારાં બાપ નંબરી-બેટા દસ નંબરી પણ સાનમાં સમજી જાય
CMએ તપાસની સૂચના આપતાં અરજદારને આજે જવાબ આપવા બોલાવાયા અને આજે જ CP ઓફિસમાં ACP સરવૈયાની હાજરી !
ખાસ-ખબર સંવાદદાતા
સ્કૂલવાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાજકોટના વિક્રમ મૈયડનો પૂર્વ ક્રાઈમ બ્રાન્ચના ACP જયદીપસિંહ સરવૈયા, પી.એસ.આઈ. અન્સારી અને ડ્રાઈવરે જમીનનો હવાલો લઈ બળજબરીથી સત્તાનો દુરૂપયોગ કરી સાટાખત રદ કરાવ્યો હતો જેથી આ બનાવ અંગે વિક્રમ મૈયડે રાજકોટ પોલીસ કમિશનર, પોલીસ ઓથોરિટી કમ્પ્લેઈન ગાંધીનગર, એન્ટી કરપ્શન બ્યુરો ગાંધીનગર, ગૃહમંત્રી ગાંધીનગર અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી, ઉપરાંત પોતાની સાથે થયેલી આપવીતી વિક્રમ મૈયડે ‘ખાસ-ખબર’ કાર્યાલયે તા. 16 ફેબ્રુઆરીએ આવી જણાવી હતી. તેની અરજીના આધારે પોલીસ અધિકારીઓએ સ્કૂલવાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રમ મૈયડ પર કેવો અત્યાચાર થયો છે તે અંગેના અહેવાલો ‘ખાસ-ખબરે’ પ્રકાશિત કરતાં વિક્રમ મૈયડની અગાઉની મુખ્યમંત્રીને કરેલી લેખિત ફરિયાદના અનુસંધાને તા. 22 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આ બનાવની યોગ્ય તપાસ કરવામાં આવશે ઉપરાંત જે કોઈ પણ સંડોવાયેલા હશે તેના વિરૂદ્ધ આકરા પગલાં લેવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપી હતી.
- Advertisement -
ACP જયદીપસિંહ સરવૈયાની તરફેણમાં પેઈડ ન્યૂઝ છાપીને એક અખબાર પણ ફરી પત્રકારત્વ જગતમાં અને પ્રજામાં ધિક્કારને પાત્ર બન્યું છે. પીળા પત્રકારત્વનાં પર્યાય જેવા આ અખબારનાં બાપ નંબરી- બેટા દસ નંબરી જેવા માલીકો ફતન દેવાળિયા બની ચૂક્યાં છે. મિલકતો પચાવી પાડવા તેમની વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી પણ થઈ છે. અગાઉ પણ મિલકતો ભાડે રાખીને તેનું ભાડું ન ચૂકવ્યાનાં તથા મિલકત ખાલી કરવા માટે એક કરોડ જેવી ભારેખમ રકમ પડાવ્યાનાં ઉદાહરણો તેમનાં નામે મોજુદ છે.
એક વખત બાપ-દીકરાએ વીજળીનું બિલ નહીં ભરતા જી.ઈ.બી.નું ચેકિંગ આવ્યું હતું. તગડું બિલ બાકી હોવાથી જી.ઈ.બી.ના ઊચ્ચ અધિકારીઓ કનેકશન કાપવા આવ્યા હતાં. આ અધિકારીને પણ બાપ-દીકરાએ તમાચા મારી લીધાં હતાં. આમ, આ કાદરખાન-શકિત કપૂરનાં અપલખ્ખણનો કોઈ પાર નથી. અન્ડર ક્ધસ્ટ્રકશન ઈમારતોમાં છિંડા શોધી તેનાં ફોટોગ્રાફસ છાપીને તેમાંથી બ્લેક મેઈલિંગ કરી બાપ-દીકરો ખિચડી-કઢીનો માંડ-માંડ વ્હેંત કરે છે. એમનાં પૂર્વજો પત્રકારત્વનાં ભિષ્મ પિતામહ ગણાતા. આ બેઉએ તેમની શાખની પણ કદી પરવા કરી નથી. આવા લોકોને પણ જડબાતોડ જવાબ આપવા ‘ખાસ-ખબર’ સજ્જ છે. સૌ વાંચકોને ‘ખાસ-ખબર’નાં જય હિન્દ….!
એક ACP બીજા ACPની તપાસ કેવી રીતે કરી શકે?
શા માટે આ તપાસ ઊચ્ચ અધિકારીને સોંપાતી નથી?
સરવૈયા CP ઑફિસમાં છેવટે શું કરવા, કોને મળવા આવ્યા હતા?
- Advertisement -
વિક્રમ મૈયડે એસીપી જયદીપસિંહ સરવૈયા, પીએસઆઈ અન્સારી અને તેનાં ડ્રાઈવર ફિરોઝ વિરૂદ્ધ કરેલી અરજી શબ્દશ: આ મુજબ છે…
ગામ ધુતારપુરના રેવન્યુ સર્વે નં. 686 હે.આરે.ચો.મી. 1-99-02 તથા રે.સ.નં. 895 હે.આરે.ચો.મી. 2-67-58 જરાયત પ્રકારની ખેડવાણ જમીન કે જે ‘ધારડી’ તરીકે ઓળખાતી હોય તે જમીનના માલીક રમેશભાઈ લાધાભાઈ સંઘાણીએ આ જમીન સને 2019માં વેચવા કાઢેલ, જે જમીન મારી ખેતીની જમીન ગામ નાનીનાગાજાળ, તા. કાલાવડ, જિ. જામનગરના રે.સ.નં. 54/પૈકી 3 આવેલ હોય અને બંને જમીન વચ્ચેનું અંતર માત્ર 4 કિ.મી. હોય આ જમીન રૂા. 33,00,000/-માં બંને પાર્ટી વચ્ચે સોદો થયેલો જે સોદાની સુથી પેટે સાટાખત કરાર કબજા રહિત અનુ. નં. 421/2019, તા. 18-5-2019ના રોજ રૂા. 51,000/- દેના બેન્ક, આજી ભક્તિનગર શાખા રાજકોટના ચેક નં. 013317, તા. 18-5-2019થી તેમજ રૂા. 2,51,000/- રોકડા ચૂકવેલા. ત્યારબાદ બાકી રહેતી રકમ રૂા. 29,98,000/- 1 મહિનામાં અમારા સગાસંબંધીઓ તથા વડીલમિત્રો પાસેથી લોન લઈ અનેકવાર ટેલિફોનીક તેમજ રૂબરૂ જાણ કરેલી. અમારા એડવોકેટ કૌશિક પી. મોઢા મારફત વિશિષ્ટ કરાર પાલનની નોટીસ તા. 25-6-2019ના રોજ પાઠવેલી જે સ્વીકારવાનો ઈન્કાર કરતા આ નોટીસ તા. 27-6-2019ના રોજ પરત ફરેલી. ત્યારબાદ તા. 8-6-2019ના રોજ ધોળકીયા સ્કુલના બાળકોને લઈ તેમના ઘરે ઉતારવા જતા હોય રિદ્ધિસિદ્ધિના નાલા, રીંગ રોડ ઉપર બપોરના લગભગ 1.00 વાગ્યાની આસપાસ અચાનક સ્વીફટ કાર વ્હાઈટ કલરની મારા વાહનની આગળ આવી ઉભી રાખી દીધેલી.
વાહનચાલકને એવું પૂછતાં શું કામ મારી ગાડી ઊભી રાખી તેનો કોઈ ઉત્તર આપે તે પહેલાં જ સ્વીફટ કારમાંથી એક વ્યક્તિ ઉતરી વાહનમાં બેસી ગયેલી અને એવું જણાવેલું કે અમો રાજકોટ પોલીસ ખાતામાંથી આવીએ છીએ તને ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી. શાખામાં લઈ જવાનો છે ત્યારે મેં એવું કહેલ કે મારે સાહેબ આ સ્કુલના તમામ બાળકોને પોતપોતાની ઘરે ઉતારવાના હોય, બાળકોને ઉતારી હું જાતે એસ.ઓ.જી. શાખામાં આવી જઈશ તે વાત એ વ્યક્તિએ માનેલી નહીં અને એવું કહેલ કે હું વાહનમાં બેઠો છું ચાલ તારા તમામ બાળકોને પોતપોતાની ઘરે ઉતારી અને આપણે ક્રાઈમ બ્રાન્ચમાં જઈશું. જેથી મેં મારા વાહનમાં રહેલ તમામ બાળકોને પોતપોતાના ઘરે ઊતારી એ અજાણ્યા વ્યક્તિ સાથે રાજકોટ સી.પી. કચેરી ઉપર આવેલ ક્રાઈમ બ્રાન્ચમાં ગયેલા. ત્યાં હાજર રહેલ એસીપી જયદીપસિંહ સરવૈયા તથા પીએસઆઈ અન્સારી તથા અન્ય પોલીસકર્મીઓ અને આરોપીના રાજકીય સગાસંબંધીઓ તેમજ જયદીપસિંહ સરવૈયાનો ડ્રાઈવર ફીરોઝ હાજર હતા. એટલું જ પૂછેલું કે મને શું કામ લાવવામાં આવ્યો છે તેવામાં તરત જ જયદીપસિંહ સરવૈયા તથા અન્સારી તેમજ બે પોલીસકર્મીઓ ફડાકા મારવા લાગેલા જેથી ગભરાઈ ગયેલો અને સરવૈયાસાહેબે કહ્યું કે તે જે જમીન ખરીદ કરેલી છે તે સાટાખત જાણી જોઈને ડમી ઉભુ કરેલ છે તે આજને આજ રદ્દ કરેલુ જોઈએ અન્યથા તને રાજકોટ કે કાલાવડ રહેવા જેવો નહીં રહેવા દઉ. અમોએ તેવુ કહેલું કે સાહેબ તમે કહો તેમ જેથી જયદીપસિંહ સરવૈયાએ મને કહેલું કે આ મારા માણસો છે તેમની સાથે બેસી જા જ્યાં મારા માણસો કહે ત્યાં ચુપચાપ સહી કરી નીકળી જજે અને તું સહી કર ત્યારે તને રૂા. 51,000/-નો ચેક આપશે એ ચેક બે દિવસમાં કલીયરીંગ થઈ જવો જોઈએ નહીંતર આજે તે જે નજારો જોયો છે તે બીજીવાર જોઈશ નહીં.
એક બ્રેઝા ગાડીમાં મને બેસવાનુ કહ્યુ, અમારી સાથે સરવૈયાસાહેબનો ડ્રાઈવર ફીરોઝ હતો. ત્યારબાદ જામનગર સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-4માં લઈ ગયેલા, જ્યાં અગાઉથી રમેશભાઈ લાધાભાઈ સંઘાણી હાજર હતા. મને એવુ કહ્યું કે સમય ખૂબ જ ઓછો છે તુ ફટાફટ સહી કર અમો કંઈપણ વિચારીએ એ પહેલાં અમારી પાસેથી સહીઓ લેવા માંડ્યા તેમજ ત્યાં હાજર રહેલી એક વ્યક્તિએ મને બાજુની ઓફીસમાં લઈ જઈ એક રજીસ્ટરમાં સહી લેવડાવેલી બાકીની તમામ સહીઓ અમોને બીકના માર્યે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરી આપેલી. જ્યાં હાજર રહેલાઓ આ સાટાખત રદના કરારમાં તેમજ ઓળખ આપનારમાં હાજર હતા ત્યારે રૂા. 51,000/-નો ચેક આપેલ તેમજ તેના સિવાય અન્ય એકપણ રૂપિયો આપેલ નથી જે બાબતની અમો ફરીયાદીએ આઠ દસ દિવસ બાદ સરવૈયાસાહેબને જાણ કરેલી કે આપના કહેવા મુજબ અમોએ અમારી બેંકમાં ચેક જમા કરાવેલી છે જે રકમ અમોને મળી ગયેલી છે આગળ શું કરવાનું ત્યારે સરવૈયાસાહેબે એવું કહેલું કે તે રકમ તારી હવે તું છુટો જેથી અમો ફરીયાદીએ સરવૈયાસાહેબને જણાવેલ કે સાહેબ મેં આ જમીન લીધી ત્યારે રમેશભાઈને રકમ રૂા. 3,02,000/- આપેલ છે તો મારા બાકી નીકળતાં રૂા. 2,51,000/- ક્યારે મળશે ત્યારે સરવૈયાસાહેબે કહ્યું કે, તને તારો જીવ વહાલો છે કે રકમ, જેથી અમો ફરીયાદી ખૂબ જ ગભરાઈ ગયેલા અને તે સમયે રાજકોટ છોડી અમારા મુળ વતન ગામડે ચુપચાપ રહેવા ચાલ્યા ગયેલા હતા આ મુજબની વિગતવાર અરજી વિક્રમ મૈયડ નામની વ્યક્તિએ રાજકોટ પોલીસના તત્કાલીન એસીપી સરવૈયા અને પીએસઆઈ અન્સારી તથા તેમના ડ્રાઈવર ફિરોઝ વિરુદ્ધ કરેલી છે.
‘ખાસ-ખબર’નાં તા. 16 ફેબ્રુઆરીનાં અંકમાં આ અરજીના આધારે અહેવાલ પુરાવા સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.


