By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?
AuthorParakh Bhattધર્મ

ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદના નિયમને સાબિત કરવા માટે એ સમયમાં ઉપલબ્ધ એવા તમામ પુરાવાઓ વિજ્ઞાનજગત સમક્ષ રજૂ કર્યા, કેટલાક પ્રયોગો પણ હાથ ધર્યા.

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

પરંતુ વિજ્ઞાનનું અનુસરણ કરનારા એ વૈજ્ઞાનિકે ક્યારેય પૌરાણિક પુરાવાઓ કે પછી અન્ય કોઈ સાબિતીઓ તરફ નજર સુદ્ધાં પણ ન કરી. તેણે જણાવ્યું કે માણસની ઉત્ક્રાંતિ વાનરમાંથી થઈ છે. આ પરિવર્તન વિવિધ તબક્કાઓ અને સમયના ચક્રોમાંથી પસાર થયું. અગર હિંદુ સંસ્કૃતિના ગ્રંથોનો અભ્યાસ કરીએ તો સમજાય કે વાસ્તવમાં માણસજાતિ તો પરમેશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે.

Contents
ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદના નિયમને સાબિત કરવા માટે એ સમયમાં ઉપલબ્ધ એવા તમામ પુરાવાઓ વિજ્ઞાનજગત સમક્ષ રજૂ કર્યા, કેટલાક પ્રયોગો પણ હાથ ધર્યા. મોર્ડન ધર્મ – પરખ ભટ્ટમાનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્ર્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી!

માનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી! અમુક લોકો હનુમાનને એમાંના એક માને છે. જ્યારે દાનવોને પાષાણયુગના જીવો માનવામાં આવ્યા છે. આથી જ કદાચ તેમનો ચહેરો માનવ જેવો જોવા નથી મળતો. હિંદુ ધર્મની માન્યતા મુજબ, કોઈ ઉત્ક્રાંતિવાદ ક્યારેય થયો જ નથી. ફક્ત માનવજાતિની સત્તા વધી જવાને કારણે અન્ય જીવો કાળક્રમે વિલુપ્ત થતા ગયા. આપણે ત્યાં જેને ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ નામની અંગ્રેજી ટર્મથી જેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એવી જ કંઈક પરિસ્થિતિ એ સમયમાં પણ ઉદભવી હોવી જોઈએ.

- Advertisement -

માનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્ર્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી!

વૈજ્ઞાનિકોને જ્યારે કોઈ બાયોલોજિકલી રીતે ભિન્ન પ્રકારના અવશેષો પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ તે અવશેષને જમીનમાંથી બહાર કાઢી તેની ઉંમર અને કાળ નક્કી કરવા માટેના પ્રયોગો હાથ ધરે છે, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. કેટલાક અવશેષોને જમીનમાં જ રહેવા દેવામાં આવે છે, જેના લીધે તેની જાંચ નથી થતી અને હકીકતો બહાર નથી આવી શકતી. આ કારણોસર જ કદાચ માયથોલોજીને અસત્ય માનીને ફક્ત કથા સ્વરૂપે સંભળાવવામાં આવે છે. અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે : Absence of evidence is not evidence of absence!

હિંદુ ધર્મમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલા અલગ અલગ તબક્કાઓનો વિસ્તૃત અભ્યાસ કરીએ. હિંદુ સંસ્કૃતિમાં જેને પાતાળલોક નામ આપવામાં આવ્યું છે, એવા પ્રદેશમાં મયન સંસ્કૃતિના લોકો વસવાટ ધરાવે છે, જેને આપણે રાક્ષસ અથવા અસુર તરીકે ઓળખીએ છીએ. નેટફ્લિક્સ ઓરિજિનલ સીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’માં જેને ‘અપસાઇડ ડાઉન’ નામ આપવામાં આવ્યું છે એ લોક! જ્યાં બધું સરખું છે, વાસ્તવિક જગત સાથે મેળ ખાતું પ્રતિબિંબિત લોક! ભગવાન વિષ્ણુના આ જગતને કુલ ચાર યુગમાં વહેંચવામાં આવ્યું છે.. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ.

- Advertisement -

(1) કળિયુગ : 5000 વર્ષ પહેલા શરૂ થઈ ચૂકેલા કળિયુગમાં માનવોની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ઝઘડા અને લૂંટફાટ તથા ખૂનખરાબો એની ચરમસીમા પર છે. આધ્યાત્મિકતા અને નૈતિકતાનું મૂલ્ય સાવ ઓછું થઈ ગયેલું જોવા મળે છે. હાલમાં, માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. જોકે, ધીરે ધીરે આ વયમર્યાદામાં પણ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. માનવ ભક્તિભાવ તરફ ઓછો અને ભૈતિક ચીજવસ્તુઓ પરત્વેના મોહમાં વધુ ને વધુ સપડાઈ રહ્યો છે. ક્યારેય માફ ન કરી શકાય એવા પ્રકારના ગુનાહિત કર્મોથી તે ખરડાઈ રહ્યો છે. 4 લાખ 32 હજાર વર્ષો સુધી ચાલનારા આ યુગના અંતે કલ્કી અવતારના અવતરણની આશંકાઓ સેવાઈ રહી છે. માનવામાં આવે છે કે, જ્યારે માણસની વયમર્યાદા જ્યારે ફક્ત 20 વર્ષની થઈ જશે, એ વખતે કળિયુગ સમાપ્તિના ભણકારા વાગી રહ્યા હશે અને નવેસરથી સૃષ્ટિચક્ર શરૂ થશે.

(2) દ્વાપરયુગ : કળિયુગની પહેલા સમાપ્ત થયેલો દ્વાપરયુગ અત્યારની સરખામણીમાં ઘણો સમૃદ્ધ હતો. લોકોની સરેરાશ આયુ એ વખતે લગભગ 1000 વર્ષની રહેતી! માણસોની ઊંચાઈ એ વખતે 12 ફૂટની જોવા મળતી હતી. બીજી બાજુ, વૃક્ષો પણ ખાસ્સા ઊંચા જોવા મળતા. 8 લાખ 64 હજાર વર્ષ ચાલેલા એ યુગમાં મહાભારત ખેલાયું અને અંતે કૃષ્ણના નિર્વાણ સાથે કળિયુગનો પ્રારંભ થયો.

(3) ત્રેતાયુગ : દ્વાપર અને કળિયુગ કરતા ક્યાંય વધુ સુખાકારી ધરાવતો યુગ એટલે ત્રેતા! જેમાં માનસિક શાંતિ અને આંતરિક સમૃદ્ધતા ખૂબ જ હતી. માનવી એ સમયે સરેરાશ 10,000 વર્ષોનું દીર્ઘાયુ ભોગવી શકતો હતો. એ વખતે માનવ અને દેવ બંને એવા પ્રકારની પૂજા-અર્ચના-ધ્યાન-તપ કરતા, જેથી ઇશ્વરનો સાક્ષાત્કાર મહેસૂસ કરી શકાય. આમ છતાં ઈશ્વર પોતાના ભક્તને ધરતી પર આશીર્વાદ આપવા માટે આવે એ ઘટના અત્યંત જૂજ પ્રમાણમાં બનતી હતી. વિષ્ણુ ભગવાનના અવતાર સમા શ્રી રામે રાવણનો વધ કરી ફરી એક વખત સત્યની સ્થાપના કરી. રામાયણના અવશેષો આજે પણ શ્રીલંકામાં જોવા મળે છે. 12 લાખ 96 હજાર વર્ષ સુધી ચાલનારો ત્રેતાયુગ એ સમયના લોકોમાં ભક્તિભાવ જગાવનારો હતો. યજ્ઞ-હોમહવન થકી માણસો પોતાના અંદરની આધ્યાત્મિકતા અને સારસાઈને સતત જીવંત રાખી શક્યા.

(4) સતયુગ : ચારેય યુગમાંથી સૌથી પવિત્ર કહી શકાય એવો સતયુગ! જ્યાં હિંસા કે મોહમાયાનું અસ્તિત્વ પ્રમાણમાં સાવ નહીંવત હતું. લોકોની વયમર્યાદા પણ અંદાજે 1 લાખ વર્ષની! તેઓ સાવ આસાનીથી ઈશ્વર સાથે સંવાદ સાધી શકતા. એમનો સાક્ષાત્કાર કરી પોતાની સમસ્યા એમની સક્ષમ ઠાલવી શકતા. સામે પક્ષે, ત્રિદેવો અને અન્ય દેવીદેવતાઓ પણ પળવારમાં મનુષ્યોની પરેશાનીઓનો ઉકેલ બતાવી દેતા હતા. હજારો વર્ષોની તપસ્યા કર્યા બાદ ઇશ્વર તરફથી વરદાનરૂપે મળતા અસ્ત્રો-શસ્ત્રો તેમના માટે સાવ સામાન્ય બાબત હતી. દેવ અને દાનવ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું નિરાકરણ લાવવું અથવા બંનેનો સંઘર્ષ ઓછો થાય એવા પ્રયાસો કરવા એ જ દેવતાઓની પ્રાથમિકતા રહેતી. માનવને પોતાના જેવા માનવથી ક્યારેય ખતરો ન રહેતો. 17 લાખ 28 હજાર વર્ષો સુધી ચાલનારા સતયુગમાં આત્મ-સંશોધન કરવા માટેની એકમાત્ર પદ્ધતિ એટલે ધ્યાન ધરવું એ ગણાતી હતી.

મહાભારત અને પુરાણોમાં ઘણી બધી કથાઓ એવી છે, જે અલગ અલગ યુગ સાથે સંકળાયેલી છે. ઋષિ વિશ્વામિત્રે 60,000 વર્ષો સુધી તપસ્યા કરી અને ઇન્દ્રને જ્યારે પોતાનું સિંહાસન ડોલતું લાગ્યું ત્યારે તેણે મેનકાને તેમનું ધ્યાનભંગ કરવા માટે મોકલી. એમના સમાગમ બાદ દમયંતીનો જન્મ થયો, જે આગળ જતા ઘણા પૌરાણિક પાત્રો સાથે દેખાઈ. પાછલા ત્રણેય યુગમાં ભગવાન વિષ્ણુએ જુદા જુદા સ્વરૂપોમાં ધરતી પર અવતારો લીધા, પરંતુ કળિયુગમાં તેઓ ફક્ત એક અવતાર લેવાના છે : કલ્કી! અને તેઓ સૃષ્ટિનો અંત કરી પુન: સતયુગની સ્થાપના કરશે એવી કથાઓ આપણા પુરાણોમાં કહેવામાં આવી છે (ક્રમશ:)

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ: અંદાજીત 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે, આજે ભૂમિપૂજન, જાણો કેવી રહેશે સગવડો
Next Article ભારતનો 2-0થી શ્રેણી વિજય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?