જમ્મુ-કાશ્મીરમાં પૂર, રેડ એલર્ટ : હિમાચલના 3 જિલ્લામાં શાળા-કોલેજ બંધ
ઉત્તરપ્રદેશમાં ગામડાઓમાં પાણી ઘૂસ્યા, 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ
- Advertisement -
ઉત્તર ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. ૫ રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના ૪ જિલ્લામાં ઓરેન્જ, બાકી તમામમાં યલો એલર્ટ છે. મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશમાં ૧૦ દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીઓ ઉભરાઈ રહી છે. શારદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કિનારા પર વસેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ અને ખેતરોમાં મગર ફરતા જોવા મળી રહ્યા છે. અસમના ૧૬ જિલ્લાઓમાં ૫ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તો બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી યાત્રા પણ ૪ દિવસથી રોકાયેલી છે.
યુપીમાં છેલ્લા ૧૦ દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે. લખીમપુર ખેરીમાં શારદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કિનારા પર વસેલા ગામોમાં પાણી ઘૂસી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ અને ખેતરોમાં મગર ફરતા જોવા મળી રહ્યા છે. છત્તીસગઢમાં હવામાન વિભાગે આજે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેવાનું અનુમાન છે. રાયપુરમાં સોમવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું પૂરેપૂરું સક્રિય છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદનો દોર ચાલુ છે. ૨૪ કલાકમાં ૩૫થી વધુ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ૨૪થી ૪૮ કલાક સુધી ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ઉત્તરાખંડની કેદાર ઘાટીમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ ગૌરીકુંડથી લગભગ એક કિલોમીટર આગળ છોડી નજીક લેન્ડસ્લાઈડ થવાથી કેદારનાથ પગપાળા માર્ગ બંધ થઈ ગયો છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે યાત્રા પર અસ્થાયી રોક લગાવી દીધી છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકી દીધા છે. સાથે જ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે માર્ગ ફરીથી ન ખૂલે ત્યાં સુધી સુરક્ષિત સ્થળોએ જ રહે અને માત્ર વહીવટીતંત્ર તરફથી જારી કરાયેલ સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે.




