ભવ્ય રાવલ : સીધી વાત
લગ્ન સંબંધમાં શબ્દો રહે પણ સંવાદ ખોવાઈ જાય ત્યારે અગ્નિની સાક્ષીએ લીધેલા વચનો ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ જાય
- Advertisement -
પતિ-પત્ની વચ્ચે સમર્પણ-સમજણની જગ્યા અપેક્ષાઓ-માલિકીભાવ લઈ લે ત્યારે સંબંધ રૌદ્રસ્વરૂપ ધારણ કરવા લાગે
ક્ષણિક આવેશથી દાંપત્ય જીવન સાથોસાથ અનેક પરિવારો તૂટી શકે, આંતરિક વિવાદનો અંત બદલો કે હત્યા નહોવો જોઈએ
કાયદો ગુનેગારને સજા આપી શકે પરંતુ તૂટેલાં પરિવાર, અનાથ બનેલાં બાળકો અને ગુમાવેલાં વિશ્વાસને પાછો લાવી શકતો નથી
- Advertisement -
પહેલા સંબંધનું મૃત્યુ થાય પછી પતિ કે પત્નીને એકબીજાની હત્યા કરવાનો વિચાર આવે, પતિ કે પત્ની ક્યારેય એક ક્ષણમાં હત્યારા બની જતા નથી હોતા
પતિ-પત્ની વચ્ચેનો સાચો સંબંધ એકબીજાને જીતવાનો નહીં સમજવાનો છે, વ્યક્તિએ પોતાના જીવનસાથીને બદલવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ
ઈમાનદારી, સમજદારી અને જવાબદારી દાંપત્યજીવનના સાચા આધારસ્તંભ, જ્યારે આ ત્રણેય જીવંત રહે ત્યારે સંબંધ માત્ર ટકતો નથી પરંતુ આખું આયખું ખીલી ઉઠે
લગ્ન એ સાથીદાર બનવાનો ઉત્સવ, એકબીજાના ગુલામ બનવાનો નહીં : બંને પક્ષે એકબીજાની વ્યક્તિગત સ્વતંત્રતા અને મર્યાદાઓનો આદર કરવો અનિવાર્ય
હસબન્ડ-વાઈફના રિલેશનમાં જ્યારે હું અને તું YOU ઓગળીને ‘આપણે’ WE બને ત્યારે જ ત્યાં હુંસાતુંસીની સંભાવના સમાપ્ત થાય અને હેત ઊભરાય
સફળ દાંપત્ય એ નથી કે બંને હંમેશાં એકસરખું વિચારે અને એકજેવું કર્યા કરે, સફળ દાંપત્ય એ છે કે બંને અનોખા-અલગ હોવા છતાં એકસાથે એકમેકના બની જીવી જાણે




