26/11ના મુંબઈ હુમલામાં એકમાત્ર જીવતો પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને 3 વર્ષ 11 મહિના સુધી જીવતો કેમ રખાયો? તેને વહેલી ફાંસી કેમ આપવામાં ન આવી?
- Advertisement -
26/11ના મુંબઈ હુમલામાં એકમાત્ર જીવતો પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને 3 વર્ષ 11 મહિના સુધી જીવતો કેમ રખાયો? તેને વહેલી ફાંસી કેમ આપવામાં ન આવી? દરેક ભારતીયોના મનમાં ચાલી રહેલા આવા અનેક પ્રશ્નોના જવાબ આપવા માટે ફિલ્મ ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ આવી રહી છે. સરકારી વકીલ ઉજ્જવલ નિકમના જીવન પર બનેલી આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ટીઝરની શરૂઆત સ્ટેન્ડ પર લટકેલા કાળા કોટથી થાય છે, જે સરકારી વકીલ ઉજ્જવલ નિકમનો છે. શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાં ડાયલોગ સંભળાય છે કે, ‘યોર ઓનર, છેલ્લા દોઢ વર્ષમાં આ કેસને લઈને ઘણા બધા લોકોએ મને પ્રશ્નો પૂછ્યા છે કે જ્યારે ફોટો-વીડિયોઝમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો આપણે કસાબને ફાંસી કેમ નથી આપી રહ્યા?’ આ ડાયલોગ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ બનેલા રાજકુમાર રાવ બોલી રહ્યા હોય છે. સંવાદો દરમિયાન સરકારી વકીલની અંગત જીવનનો અંશ, મુંબઈ આતંકી હુમલાના ક્રુર દ્રશ્યો, કસાબનો ઘાતકી ચહેરો જોવા મળે છે. બાદમાં કોર્ટરૂમ ડ્રામા અને ઇન્સ્પેક્ટર ગોવિલકરે કહેલા વાક્યોનો અર્થ સમજાવતા સમજાવતા ઉજ્જવલ નિકમ (રાજકુમાર રાવ)નું અચાનક ટ્રાન્સફોર્મેશન થાય છે, જ્યારે તેઓ ઊંચા પણ મક્કમ સાદે કસાબ માટે ફાંસીની સજાની માંગ કરે છે.