શહેરના નીચાણવાળા ભાગો જળબંબાકાર : અંધેરી સબ-વે બંધ કરવો પડ્યો
નૈઋત્ય ચોમાસાએ રફતાર પકડી : ગુજરાતમાં પણ એન્ટ્રીની તૈયારી
- Advertisement -
નૈઋત્ય ચોમાસાએ મુંબઈમાં પ્રવેશ કરતાની સાથે જ અસલ રંગ દેખાડયો હોય તેમ આખી રાત વરસાદ પડયો હતો અને ૧૦ ઈંચ પાણી વરસી ગયુ હતું. મહાનગરના અનેક ભાગો જળબંબાકાર થયા હતા. મુંબઈમાં ચોમાસાના આગમનના પહેલા ૨૪ કલાકમાં જ લોકોની મુશ્કેલી વધી ગઈ. મંગળવારે સવારે ૮ વાગ્યાથી બુધવારે સવારે ૭વાગ્યા સુધીમાં બે મલવણી ફાયર સ્ટેશનમાં 334mm, એફ/સાઉથ વોર્ડમાં 328mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ૨૭ વિસ્તારોમાં 200mm થી 300mm વચ્ચે વરસાદ થયો. મુંબઈમાં અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ ગયું. તેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. વિક્રોલી વેસ્ટમાં રહેણાંક ઇમારત પાસે બનેલી રીટેનિંગ વોલ ધરાશાયી થઈ ગઈ. મુંબઈ અને પાલઘરમાં વરસાદનું રેડ, જ્યારે થાણે-રાયગઢ અને સિંધુદુર્ગમાં ઓરેન્જ એલર્ટ છે.
સવારમાં હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોકે જ મુંબઈગરાઓને અનેકવિધ ચોમાસાનાં આવાગમનથી લોકો ખુશખુશાલ હતા. મુંબઈ હવામાન ખાતાના રિપોર્ટ મુજબ આખી રાત વરસેલા વરસાદથી કોલાબા ક્ષેત્રમાં ૧૦ ઈંચ તથા સાંતાક્રૂઝ ક્ષેત્રમાં ૯ ઈંચ પાણી વરસ્યુ હતું. ચોમાસાના સતાવાર પ્રવેશ પછીનો પ્રથમ વરસાદ જ ધમાકેદાર રહ્યો હતો. મહાનગરમાં રાતભર ધમાકેદાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.અંધેરી સબ-વે સંપૂર્ણ રીતે પાણીમાં ડુબી ગયો હતો. અને તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. મહાનગરના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા સાથે જળબંબાકારની હાલત સર્જાઈ હતી. વાહન વ્યવહાર પણ પ્રભાવીત બન્યો હતો. મધરાત્રે પાંચ કલાકમાં જ જુદા જુદા વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ થયો હતો.




