જૂનાગઢમાં ગૌવંશ કતલ અને ગેરકાયદે કતલખાનાઓ પર પોલીસનો સપાટો
પોલીસે 31 પશુ સાથે કુલ કિ.રૂ.5,48,600 મુદ્દામાલ કબ્જે કર્યો
- Advertisement -
જૂનાગઢ પોલીસની આ બેવડી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો દ્વારા ગૌવંશ કતલ અને ગેરકાયદેસર કતલખાના ચલાવવાની પ્રવૃત્તિઓ પર પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. ડુંગરપુર ગામે બનેલી ગૌહત્યાની ગંભીર ઘટના અને જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારમાં ધમધમતા કતલખાનાઓ પર પોલીસે ત્રાટકીને કુલ 15 શખ્સોની ધરપકડ કરી છે. આ ઘટનાઓને પગલે સમગ્ર જિલ્લામાં ગૌભક્તો અને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે એક શરમજનક ઘટના સામે આવી છે. ડુંગરપુરમાં રહેતા અયાન સમીરભાઇ મકરાણીએ શુક્રવારે એક ગૌવંશની નિર્મમ કતલ કરી હતી. આરોપીએ કતલ કર્યા બાદ ગૌમાંસને પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરી, નવી બની રહેલી નરસિંહ મહેતા યુનિવર્સિટી પાસેના કાચા રસ્તા પર ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધું હતું. જાહેરમાં ગૌવંશના અવશેષો મળી આવતા ડુંગરપુરના ગ્રામજનો અને ગૌભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને ગૌવંશના શિંગડા, માથાનો ભાગ, ચામડી અને આશરે 55 કિલો માંસ મળી આવ્યું હતું. પોલીસે કુલ 11,000નો મુદ્દામાલ કબજે કરી આરોપી અયાન સમીર મકરાણી, મકસૂદ અને હનીફની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સ્થળ નિરીક્ષણ (પંચનામું) કરાવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, કતલ કરાયેલી ગાય પાતાપુર ગામના રસિકભાઈ વાઘેલાની હતી. રસિકભાઈના માતાનું અવસાન થયું હોવાથી પરિવાર વિધિમાં વ્યસ્ત હતો, જેનો લાભ લઈ આરોપીઓએ ગાયની ચોરી કરી હતી. રસિકભાઈએ ગાય ગુમ થવા અંગે રૂ. 20,000ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. ગૌહત્યાના વિરોધમાં ખડીયા ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગ્રામજનો અને સમસ્ત હિન્દુ સમાજે એસપી સુબોધ ઓડેદરાને આવેદનપત્ર આપી માંગ કરી છે કે ગૌહત્યા કરનારા તત્વો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. આવેદનમાં શૈક્ષણિક સંસ્થાઓ પાસે કેફી દ્રવ્યોના વેચાણ અંગે પણ ગંભીર આક્ષેપો કરાયા હતા. જૂનાગઢ પોલીસની આ બેવડી કાર્યવાહીએ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. નાગરિકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે રહેણાંક વિસ્તારોમાં ચાલતા આવા ગેરકાયદેસર એકમો પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવે અને ગૌવંશની રક્ષા માટે પેટ્રોલિંગ વધારવામાં આવે.
જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારમાં કતલખાનાનો પર્દાફાશ: 31 પશુ બચાવાયા
જૂનાગઢ શહેરના ઢાલ રોડ અને પાડાવાલા ચોક જેવા ગીચ રહેણાંક વિસ્તારોમાં ડેલાઓ અને મકાનોમાં છૂપી રીતે ચાલતા કતલખાનાઓ પર પોલીસ ત્રાટકી હતી. એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ કૃણાલ પટેલ, પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને એસ.ઓ.જી. પીએસઆઈ ડી.કે. સરવૈયાની ટીમે આ સફળ દરોડો પાડ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા (1960) તથા અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યા છે.
બચાવેલ પશુઓ: 31 જીવતા પશુઓને કતલખાને જતા બચાવી પાંજરાપોળ મોકલાયા.
મુદ્દામાલ: 1050 કિલો માંસ, મૃત પશુઓના અવશેષો અને કતલ કરવાના સાધનો સહિત કુલ રૂ. 5,48,600નો મુદ્દામાલ જપ્ત.
ધરપકડ: સ્થળ પરથી કતલની પ્રવૃત્તિમાં સામેલ 12 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા.
- Advertisement -
ગૌ હત્યાના ઝડપાયેલ આરોપી
1) અયાન સમીરભાઇ હબીબભાઇ મકરાણી રહે. શારદાનગર, ખડીયા ગામ, તા.જૂનાગઢ.
2) હનીફ અબ્દુલ્લાભાઇ પીરૂભાઇ બેલીમ રહે. જૂનાગઢ શહેર
3) મકસૂદ મહમદભાઇ હબીબભાઇ મકરાણી ખડીયા ગામ, તા. જૂનાગઢ.
જૂનાગઢમાંથી 12 શખ્સોની ધરપકડ
1) મકબુલ કાલુ ખંભાતી, રહે. જુનાગઢ ચિતાખાના ચોક
2) અનીશ મહમદહુસેન બેલીમ રહે. મેમણવાડા
3) આકીબ અહેમદ બેલીમ રહે. ઢાલ રોડ
4) અફરોઝ મકબુલ ખંભાતી રહે. ચિતાખાના ચોક
5) નઈમ હનીફ કચરા રહે. મેમણ વાડા
6) અકીલ કાલુ બેલીમ રહે. પાડાવાડા ચોક
7) મુનાવર ઇબ્રાહીમ બેલીમ રહે. પાડાવાડા ચોક
8) ગુલ્લુ ઇબ્રાહીમ બેલીમ રહે. પાડાવાડા ચોક
9) ફઝલ નજીર બેલીમ રહે. પાડાવાડા ચોક
10) સાજીદ ઈબ્રાહીમ બેલીમ રહે. ઢાલ રોડ
11) એઝાઝ અહેમદ બેલીમ રહે. ઢાલ રોડ
12) દાઉદ સકુર ધાનાણી રહે. કલેકટર ઓફિસ પાસે ખારાવાડ



