વિકસિત અને વિકાસશીલ દેશોમાં વધતા જતા લાઇફ સ્ટાઈલ સંબંધી રોગોને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રો (યુનો) ની સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ) એ તાજેતરમાં એક ઠરાવ પસાર કર્યો કે પ્રોસેસ્ડ ફૂડ (બજારુ ફૂડ કહો તો પણ ચાલે) માંથી ટ્રાન્સ ફેટી એસિડ્સ કહેવાતી હાનિકારક ચરબીને દરેક દેશ દૂર કરશે.
અમેરિકા અને યુરોપના કેટલાક વિકસિત દેશોએ આના ઉપર અમલ પણ શરૂ કર્યો અને ફાસ્ટ ફૂડ માં રહેલા ટ્રાન્સ ફેટ ની માત્રા નહિવત કરી નાખી. પરંતુ આ દેશો બહુ ચાલાક અને સાથે પોતાના નાગરિકો માટે પ્રામાણિક છે. આથી એમણે એમના તૈયાર મળતા ફૂડ (પેકેટ, ફાસ્ટ ફૂડ વગેરે) માંથી જે હાનિકારક ફેટ દૂર કર્યું તે ઇન્ડસ્ટ્રીયલ ફેટ હતું. એવું ફેટ કે જે ખરેખર તેલમાંથી બનતું હોય.
- Advertisement -
એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રોસેસડ ફૂડની ઇન્ડસ્ટ્રી માત્ર પંદરેક વર્ષમાં રાજાની કુંવરીની જેમ ચાલીસ ગણી મોટી થઈ ગઈ છે. સાથે સાથે હ્રદયરોગ, ડાયાબિટીસ અને બીજા અનેક રોગોનું પ્રમાણ પણ એટલી હદે વધ્યું છે કે આ રોગોની બાબતમાં પણ આપણે “વિશ્વગુરુ” બનવાની હોડમાં છીએ.
ભારતમાં મળતા બિસ્કીટ વેફર કે બેકરી વગરે સહિત અનેક ફાસ્ટફુડ આઇટમોમાં ટ્રાન્સ ફેટ નું પ્રમાણ અતિશય ઊંચું હોય છે.જેનું કારણ છે પામ તેલ. ભારત પામ તેલનું બહુ મોટું ગ્રાહક છે (કદાચ સહુથી મોટું) અને આ પામ તેલમાંથી બિસ્કીટ, આઇસ ક્રીમ ને નામે વેચાતા ફ્રોઝન ડીઝર્ટ અને બીજી અનેક ચીજો બનાવનાર કંપનીઓ માટે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા સાબિત થાય છે. આથી સ્વાભાવિક છે કે કંપનીઓ એનો જ ઉપયોગ કરે.
અમેરિકા અને ડેન્માર્ક જેવા દેશોએ પોતાને ત્યાં મળતા ફૂડ માં આવા ટ્રાન્સ ફેટ ની માત્રાને નિયત કરીને સાવ ઓછી કરી નાખી છે. પણ ભારતમાં ?? ભારતમાં હજી મોટા ભાગની પ્રોસેસ ફૂડ આઇટમો પામ તેલમાં………. અને કરોડોનો વેપલો..
- Advertisement -
મેદ શબ્દ સંસ્કૃત છે .. મેધ, મેદસ્વી/તા, મેદો, મેધા જેવા અનેક શબ્દ મેદ સાથે સંકળાયેલા છે.
બહુ સમજવા જેવું છે કે સંસ્કૃતમાં તેલ માટે મેદ શબ્દ નથી. કેમકે તેલ વનસ્પતિમાંથી મળે છે. મેદ શબ્દ માત્ર પ્રાણીમાંથી મળતી ચરબી માટે છે. ઘી એક મેદ છે, પણ તેલ મેદ નથી. તેલને તૈલ અથવા સ્નેહ કહેવાય છે.
પાંચ અમૃત માં જે કાઇ ચરબી યુક્ત છે તે પ્રાણીજ ચરબી છે, એમાં તેલનો સમાવેશ નથી. વારંવાર વપરાતું તેલ ટ્રાન્સ ફેટનો મોટો સ્ત્રોત છે. જેને કારણે હ્રદયરોગ ની સંભાવના અનેક ગણી વધી જાય છે.
સામે જે હમણાં કેટલાક વર્ષોથી જે બહુ બદનામ છે તે ઘી ખરેખર સારા પ્રકારની ચરબી નો સોર્સ છે. માંસાહારી લોકો માટે માંસ, ઈંડા અને માછલી સારા પ્રકારની ચરબી આપે છે. એમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઓછું હોય છે.
મેદ અને મેધાને બહુ ઊંડો સંબંધ છે (અને એ સબંધ ને પાકેપાયે જાણતા પૂર્વજોના આપણે વંશજ છીએ એ ગર્વની વાત છે) મેદ થી જ મેધા છે. આપણું મગજ કોલેસ્ટેરોલ થી બનેલું છે. કોલેસ્ટેરોલ માત્ર ને માત્ર પ્રાણીજ ચરબીથી મળે છે.વનસ્પતિ થી મળતી ચરબીમાં આ કોલેસ્ટરોલ હોતું નથી. પરંતુ, અમુક ચાલાક લોકોએ કોલેસ્ટેરોલ ને બદનામ કરવામાં કશું બાકી રાખ્યું નથી. કોલેસ્ટેરોલ તમામ સ્ટીરોઇડ હોર્મોનનો સ્ત્રોત છે. શરીરના મોટાભાગના તંત્રો આ સ્ટીરોઇડ હોર્મોન વિના ચાલે નહિ. એટલે વિટામિન ડીની ત્રુટી વાળા લોકોને પ્રજનન, સાયકોલોજી, અસ્થી, હોર્મોન થી લઈને તમામ પ્રકારના રોગો થાય છે. વિટામિન ડી પણ કોલેસ્ટેરોલ માંથી બને છે.
માણસના પ્રોપર વિકાસ માટે કોલેસ્ટેરોલ અને ચરબી અનિવાર્ય છે.. દેવું કરીને પણ ઘી પીવો એવું કહેવા વાળા મહર્ષિ ચાર્વાક તદ્દન પ્રેક્તીકલ હતા. એમણે દેવું કરીને તેલ પીવાનું નથી કહ્યું તે પણ નોંધવા જેવું છે.
કોલેસ્ટેરોલ ધમનીઓ ને બ્લોક કરે છે પણ ત્યારે જ જ્યારે એને “પચાવવામાં” ના આવતું હોય..કસરત , સુર્ય પ્રકાશ અને યોગ્ય ખોરાકનો અભાવ હોય.. કોલેસ્ટેરોલ કરતા ટ્રાન્સ ફેટ ક્યાંય વધુ હાનિકારક છે.
પરંતુ, સત્યનું મોઢું સુવર્ણમુદ્રાથી ઢંકાયેલું હોય છે. અબજોનો વેપલો હોય અને વળી એનાથી બીમારીઓ થાય એનો તો હજારો અબજો નો વેપલો હોય ત્યાં કોણ કહેશે કે મેદ થી જ મેધા(બુદ્ધિ અને યાદશક્તિ) આવે છે.. એકવાર મેધા જાય પછી પાછી નથી આવતી. હિંદુઓ એક કુપોષિત પ્રજા બની રહી છે. એનું કારણ મેદનો અને મેદ પચાવવા સુર્ય પ્રકાશનો ત્યાગ છે.



