જૂનાગઢ શહેરમાં અશાંત ધારાની આગ તેજ બની
અશાંત ધારો લાગુ કરવા કલેક્ટર કચેરીએ સ્થાનિકોના ટોળાં ઉમટ્યા
- Advertisement -
અશાંત ધારો લાગુ કરો નહીંતર ઉગ્ર આંદોલન થશે: સ્થાનિક રહીશો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તીના માળખામાં ફેરફાર અને મકાનોના વેચાણ સંદર્ભે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના જોષીપરા બાદ હવે દોલતપરા અને સ્વસ્તિક નગર-નંદનવન વિસ્તારના રહીશોએ પણ મેદાનમાં આવીને તેમના વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ’અશાંત ધારો’ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોક્કસ વિસ્તારોમાં ધાર્મિક વસ્તીનું સંતુલન બગડવાના કારણે તેમની સામાજિક અને ધાર્મિક સુરક્ષા જોખમાઈ રહી છે.શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ પ્રબળ બની રહી છે. દોલતપરા વિસ્તારની વિવિધ સોસાયટીના રહેવાસીઓએ અશાંત ધારો લાગુ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જૂનાગઢમાં ગઈકાલે જોષીપરા વિસ્તારની વિવિધ સોસાયટીના રહેવાસીઓએ અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી આજે વોર્ડ નંબર એક દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ નગર અને નુતન નગર સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ રહેવાસીઓ એક જિલ્લા કલેકટરર્ન આવેદનપત્ર પાઠવ્યું હતું. રહેવાસીઓના જણાવ્યા મુજબ અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો ધાર્મિક લાગણી દુભાશે, આ વિસ્તારમાં મુસ્લિમ લોકો રહેવા આવશે તો પૂજા પાઠ અને તહેવારોની ઉજવણીમાં પણ મુશ્કેલી થશે. મોટાભાગના શ્રમિક પરિવારો જ રહેતા હોવાથી સલામતીના અભાવે ઘરનું મકાન છોડીને અન્ય વિસ્તારમાં ઉચા ભાવે મકાન લેવું પણ પરડવડશે નહીં. તેમજ ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી પણ સરકારની રહેશે જેથી દોલતપરા વિસ્તારની વિવિધ સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવા. રહેવાસીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જૂનાગઢ શહેરના સ્વસ્તિક નગર, નંદનવન વિસ્તારમાં એક મકાનના વેચાણને લઈ સ્થાનિક હિન્દુ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હિન્દુ વસવાટ ધરાવતી આ સોસાયટીમાં અન્ય જ્ઞાતિ કે ધર્મના લોકોને મકાન પધરાવી દઈ વિસ્તારની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગીતાબેન જીતુભાઈ સોલંકીના નામે રહેલા એક મકાન પર હાઉસિંગ ફાઇનાન્સમાંથી લોન લેવામાં આવી હતી. લોન ન ભરાતા ફાઇનાન્સ કંપનીએ મકાન સીલ કર્યું છે. આક્ષેપ છે કે બેંક મેનેજર અને દલાલોની મિલીભગતથી 6 થી 7 લાખની કિંમતના મકાન પર ઊંચી લોન મેળવી, હવે તે અન્ય ધર્મના લોકોને ઊંચા ભાવે વેચવાની પેરવી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ હિન્દુ પરિવાર મકાન ખરીદવા જાય, ત્યારે મેનેજર દ્વારા 12 થી 13 લાખ જેવી મોટી રકમ જણાવી તેમને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, અન્ય ધર્મના લોકોના વસવાટ અને તેમની રહેણીકરણીને કારણે સ્થાનિક હિન્દુ પરિવારો અસહજતા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે, આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અશાંતધારો લાગુ કરવામાં આવે. સોસાયટીના મકાનો માત્ર હિન્દુ પરિવારોને જ વેચાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આ બાબતે કલેક્ટરને આવેદન આપીને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



