અંબરીષ ડેરના પ્રધાનમંત્રી સાથેની મુલાકાતને લઈ રાજકીય માહોલ ગરમાયો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અંબરીષ ડેર દ્વારા દિલ્હી ખાતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. અંબરીષ ડેરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ડેરની રાજુલા નગરપાલિકા કાર્યકાળ, યુવા ભાજપના કાર્યકર તરીકેની સફરને યાદ કરી સહિત અનેક જુની પળોને યાદ કરી હતી.
અને ઉજ્જવળ ભવિષ્યની પ્રગતી માટે પ્રધાનમંત્રીએ અંબરીષ ડેરને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી સાથેની મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાતની અંબરીષ ડેરે તેમના ફેસબુક પેજ પર પોસ્ટ મુકી હતી.
હાલ તો અંબરીષ ડેરના ચાહકો ખુશખુશાલ જોવા મળ્યાં હતાં. ડેરના ચાહકોએ સોશિયલ મીડિયા મારફતે પોતાના એકાઉન્ટ પર પીએમ સાથેની પોસ્ટ પણ મુકી હતી.
અંબરીષ ડેરની પ્રધાનમંત્રી સાથે મુલાકાતને લઈ રાજકીય માહોલ ગરમાયો પરંતુ અનેક તર્કવિતર્કો સર્જાયા હતા.



