રાજકોટ ડિવિઝનના પાંચ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જળ સર્વેક્ષણ: જમીનના પ્રકાર અને પાણીની ગુણવત્તાની માહિતી ચછ કોડથી પણ ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
- Advertisement -
ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (ઈૠઠઇ) દ્વારા મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલા ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગેના સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થતાં, કલેકટર કે.બી. ઝવેરીએ રિપોર્ટની સમીક્ષા કરી હતી અને રિપોર્ટ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
ઈૠઠઇ દ્વારા ગુજરાતના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ પાંચ જિલ્લામાં ભૂગર્ભ જળ સર્વે કરવા માટે આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. સિનિયર વૈજ્ઞાનિક કાર્તિક પી ડોંગરે અને તેમની ટીમ દ્વારા જાન્યુઆરી-2022થી હેલી બોન સર્વે સહિત જુદી જુદી પદ્ધતિઓથી પાણીની ઉપલબ્ધતા, જમીનના પ્રકાર અને પાણીની ગુણવત્તા અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોની ટીમે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં (મોરબી, માળીયા, હળવદ, ટંકારા, વાંકાનેર) વિગતવાર સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ સર્વેક્ષણની ઉપયોગી માહિતી સામાન્ય નાગરિકો પણ સરળતાથી મેળવી શકે તે માટે ઈૠઠઇની વેબસાઇટ પરની સંપૂર્ણ માહિતી ચછ કોડ મારફત મળે તે રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી આ માહિતીનો લાભ કોઈપણ વ્યક્તિ લઈ શકે.



