By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    49 minutes ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    57 minutes ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    60 minutes ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    1 hour ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    4 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    4 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાજકોટ

આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી

Khaskhabar Editor
Last updated: 2025/10/31 at 5:57 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના 73માં સ્થાપના દિન અવસરે ડો. વિશાલ ભાદાણીનું ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ વક્તવ્ય યોજાયું હતું અને તેમાં બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે સ્થાપના દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે બેંકનો અમૃત મહોત્સવ નજીકના વર્ષોમાં આવી રહ્યો છે. જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે અને આ આપણી બેંકની વિશેષતા છે. આપણી બેંકનો અમૃત મહોત્સવ પણ કંઈક વિશેષ હશે. આપણે સહુ અત્યારથી જ વિચાર કરીએ કે બેંકના અમૃત મહોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? અને આ ઉજવણી એવી હોવી જોઈએ કે શતાબ્દી ઉત્સવ વખતે તેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે. બેંકિંગની વાત કરીએ તો આપણી બેંક અત્યારે ટોપ પાંચ બેંકોમાં આવીએ છીએ. આપણે એવું શું કરીએ કે ટોપ-ત્રણમાં આવી શકીએ? હવેની હરિફાઈ ઘણી જ કઠિન રહેવાની છે. હજુ વધુ આગળ વધવા માટે આપણો વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો છે. ખાતેદાર બેંકમાં આવે ત્યારે તેને મજા આવવી જોઈએ. તેનું કામ થશે અને જો તે ખુશ થશે તો બીજી વખત અવશ્ય આવશે. આ બધું જ સફળતાથી કરવા માટે એક વસ્તુ મહત્ત્વની છે આપણી પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ. એક સૂત્ર છે, ‘નાગરિક બેંક આપણી બેંક.’

આપણી બેંક પ્રત્યે આ ભાવ અને વિશ્ર્વાસ મનમાં ઉભો થશે ત્યારે કોઈપણ વસ્તુ આપણને રોકી નહીં શકે. આપણી બેંક એક પરિવાર છે. પરિવાર કોને કહેવાય? પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરતા હોય, હુંફ આપતા હોય, ટેકો બનીને પડખે ઉભા રહેતા હોય ત્યારે પરિવાર બને છે. લોકભારતી યુનિવર્સિટી- સણોસરાના પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિશાલભાઈ ભાદાણીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક સૂત્ર કહેવાયું, નાગરિક બેંક આપણી બેંક. સહકાર આપવો એટલે શું? માધ્યમ બનવું, મોટા નહીં. રાજકોટ નાગરિક સહકારી બેંકનો કોઈપણ કર્મચારી પોતાનો પરિચય આપતી વખતે પોતાના નામની પહેલાં એટલું કહે કે હું રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી છું. આપણે છીએ, એટલે હું છું. વ્યક્તિઓ તો આવે ને જાય. પરંતુ સંસ્થાના મૂલ્યો શિરોમાન્ય હોય. સંસ્થાની વિચારધારાને અગ્રતાક્રમ આપીએ, તેને શિરોમાન્ય મૂલ્ય કહેવાય.

- Advertisement -

જ્યાં સુધી આપણા સહુના મનમાં અન્યને મદદ કરવી એવો ભાવ છે, ત્યાં સુધી વાંધો નથી. જે સંસ્થામાં મદદ માંગી શકાતી હોય ત્યાં પારદર્શી વહિવટ છે તેમ કહેવાય. વિશ્ર્વની પહેલી બેંકમાં જે થાપણ મૂકાઈ હશે તે પૈસાની નહીં વિશ્ર્વાસની હશે. અહીં જનવિશ્ર્વાસની આરાધના સૂત્ર એ જ દર્શાવે છે.
નાગરિક બેંક આપણી બેંક, એવો ભાવ ક્યારે આવે, બેંકના દરેક કર્મચારી કે પદાધિકારી એકબીજાને સર કે મેડમ નહીં, ભાઈ કે બહેન તરીકે સંબોધે. આ બેંકના મૂળમાં ભારતીય દર્શન છે. બેંક જો આ પહેલ કરશે તો નવી કેડી કંડારાશે. આ એક માનવીય સંબંધો છે. આ ત્યારે જ શક્ય બને કે દિલની ડીલ થાય. પરિવાર એટલે જેની ભાષામાં ભાવ હોય, ઓર્ડર નહીં. ભરોસો જ ભવ્યતા છે. હંમેશા મૂલ્યોનું જતન કરવું. જ્યારે આપણે નાના-નાના નિર્ણયો લેવા માટે કર્મચારીને પ્રોત્સાહન આપતાં નથી ત્યારે તે સંસ્થા તે કર્મચારીને પોતાની ક્યાંથી લાગે? સ્વતંત્ર નિર્ણય શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. જો આવું હોય ત્યારે સંસ્થા ઉપર કંઈપણ મુસીબત આવે તો બધા જ કર્મચારી તેની સાથે ઉભા રહે છે. નાગરિક બેંક એવી પહેલ કરે કે સામાન્ય લોકોની આર્થિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. આપણી હરિફાઈ કોઈ સાથે નહીં, પરંતુ મોટા ઉદ્દેશને સાકાર કરવા માટે છે.

બેંકના જનરલ મેનેજર વિનોદકુમાર શર્માએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે આપણી બેંકની ઓળખ ‘નાના માણસની મોટી બેંક’ તરીકેની છે. આજના દિવસે આપણને એક તક મળે છે કે બેંક અત્યાર સુધીની યાત્રાને યાદ કરીને આગળની યાત્રા વધુ ને વધુ સરળ અને સફળ કેમ બનાવવી, આપણી સંસ્થા ફકત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા જ નથી પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતિક છે. ફકત 59 સભાસદોથી શરૂ થયેલી આપણી સંસ્થા આજે 3.50 લાખથી પણ વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે. અન્ય મોટી સરકારી કે ખાનગી બેંકોની સરખામણીમાં આપણે માનવીય સ્પર્શ વધુ સારો જાળવી શક્યા છીએ. આપણા ખાતેદારને આપણે વધુ સારી રીતે સેવા આપી શકીએ ત્યારે તેને થશે કે આ બેંક બીજા કરતાં અલગ અને વધુ સારી છે. આપણી વાતો ભૂલી શકાય છે, આપણા કાર્યો પણ ભૂલી શકાય છે પરંતુ આપણી વર્તણુંક ક્યારેય પણ ભૂલી શકાતી નથી. આજના હરિફાઈના યુગમાં આ જ આપણી શક્તિ છે. આજના દિવસે આપણે એક નિયમ લઈએ કે સેવા આપણી ઓળખ રહેશે. પ્રામાણિકતા આપણી શક્તિ રહેશે અને સમાજ પ્રત્યેનું સમર્પણ આપણી પરંપરા રહેશે.

આ કાર્યક્રમમાં ડો. વિશાલભાઈ ભાદાણી ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, વિક્રમસિંહ પરમાર, બ્રિજેશભાઈ મલકાણ, ચિરાગભાઈ રાજકોટીયા, દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઈ હીંડોચા, લલિતભાઈ વોરા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઈઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી સતીષજી ઉતેકર (ચેરમેન), કાર્તિકેયભાઈ પારેખ (વાઈસ ચેરમેન), જીમ્મીભાઈ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, અર્જુનભાઈ શિંગાળા, દીપકભાઈ મકવાણા, રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ શ્રી ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો. આભારદર્શન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે: દિનેશભાઈ પાઠક
આપણી સંસ્થા ફક્ત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા નથી, પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતીક છે: વિનોદકુમાર શર્મા

You Might Also Like

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Next Article રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?