By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    6 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    6 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    7 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    7 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મધ્યમ વર્ગને મોટી રાહત: શેર સર્ટિ.ના આધારે થતાં મકાન ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીની 80 % રકમ માફ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > મધ્યમ વર્ગને મોટી રાહત: શેર સર્ટિ.ના આધારે થતાં મકાન ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીની 80 % રકમ માફ
અમદાવાદ

મધ્યમ વર્ગને મોટી રાહત: શેર સર્ટિ.ના આધારે થતાં મકાન ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીની 80 % રકમ માફ

Khaskhabar Editor
Last updated: 2025/06/30 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમવર્ગીય પરિવારો-લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી જે મકાનમાલિક પાસે શેર સર્ટિફિકેટ છે, પણ દસ્તાવેજ નથી એ લોકોને મોટી રાહત થશે. અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમવર્ગના લોકો પર આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો એ સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર, હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.

- Advertisement -

મૂળ ડ્યુટીના 20% તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલાશે

લોકો પર દંડની રકમનો કોઈ વધારાનો બોજ પડશે નહીં

એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ

- Advertisement -

આમ, રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતાં સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી એટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. આવા તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. અહીં નોંધનીય છે કે આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ પડશે. આ નિર્ણયને સરળતાથી સમજવા માટે એક લીગલ એક્સપર્ટએ જણાવ્યું હતું કે, 1960 પછી ગુજરાતમાં બનતી હાઉસિંગ સોસાયટીમાં મકાન ખરીદનારને એલોટમેન્ટ એ દસ્તાવેજના આધારે નહીં, પરંતુ શેર સર્ટિફિકેટને આધારે થતું હતું. આ કામ ગુજરાત કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટી એક્ટ 1961ના આધારે થતું હતું. એ સમયે શેર સર્ટિફિકેટને જ દસ્તાવેજની જેમ માનવામાં આવતું હતું. 1995થી 2000ના વર્ષ દરમિયાનનો આ નિર્ણય બદલાયો અને સરકારે દસ્તાવેજ ફરજિયાત કરી નાખ્યો. દસ્તાવેજ ફરજિયાત થયા પછી સરકારે નિર્ણય કર્યો કે 1982 પછી બનેલી સોસાયટીઓએ શેર સર્ટિફિકેટ હોય તોપણ દસ્તાવેજ કરાવી લેવા. થોડા સમય પછી આ નિર્ણયમાં સુધારો આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે 1982 પછીના જે લોકો દસ્તાવેજ કરાવે છે તેમને સ્ટેમ્પ ડ્યૂટીથી ચાર ગણી રકમ દંડ રૂપે પણ ભરવાની રહેશે, એટલે 1982 પછીનાં જે મકાનો જ્યારે પણ વેચાણ થતાં હતાં ત્યારે આ જે સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની બાકી હોય તેને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી કહેવામાં આવે છે, એ વેચનારને ભરવી પડતી હતી અને દસ્તાવેજ પછી પાછી ફરી એક સ્ટેમ ડ્યૂટી ભરવાની આવતી હતી, જેને લઈને ભારે વિરોધ હતો. એટલે વેચાણ સમયે વેચાણ કરનારને ડબલ માર પડતો હતો.

‘જૂના નિર્ણયથી સરકારને તો ખૂબ સારી આવક થતી, પરંતુ લોકોને ખૂબ માર પડતો’
એક રીતે સરકારની આ નીતિ નોન એપ્લિકેશન ઓફ માઈન્ડ જેવી હતી. સામાન્ય રીતે આ નિર્ણયથી સરકારને તો ખૂબ સારી આવક થતી હતી, પરંતુ લોકોને ખૂબ માર પડતો હતો. આ નવા નિયમમાં સોસાયટી એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો ઉલ્લેખ કરાયો છે.

સરકારના નિર્ણયમાં NTC હેઠળ નોંધાયેલાં મકાનોનો પણ સમાવેશ
નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો મતલબ સમજાવતાં એક્સપર્ટ કહે છે કે વર્ષ 2005 પછી નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો કાયદો એ પાછો ખેંચવામાં આવ્યો છે, પરંતુ જે-તે સમયે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એટલે જે-તે સમયે નવા બનતાં હાઉસિંગ એ સોસાયટી અંદર ન નોંધાય તો એ એન્ટીસી એટલે નોન ટ્રેડિંગ કોર્પોરેશન હેઠળ નોંધાતા હતા. એટલે સરકારના નિર્ણયમાં એનટીસી હેઠળ નોંધાયેલાં મકાનોનો પણ સમાવેશ થાય છે.

રિડેવલપમેન્ટના કિસ્સામાં બિલ્ડરોને પણ ફાયદો
રિડેવલપમેન્ટમાં ક્ધસ્ટ્રક્શનનું કામ કરતા બિલ્ડરોને પણ આ નિર્ણયથી ફાયદો થઈ શકે છે. જ્યારે પણ કોઈપણ સોસાયટીને રિડેવલપમેન્ટમાં આપવાની વાત હોય ત્યારે સોસાયટીમાં રહેતા લોકોના ઘરના દસ્તાવેજની વાત આવે. ત્યારે બિલ્ડર સાથે આ દંડસ્વરૂપે ભરવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી કોણ ભરશે એને લઈને વિવાદ થતો હતો અને રહીશો સ્ટેમ્પ ડ્યૂટી બિલ્ડરને ભરવાનું કહેતા હતા. એને કારણે ઘણી જગ્યાએ સોદા અટકાઈ જતા હતા.

કોઈપણ સંજોગોમાં વધુ રકમ વસૂલ કરી શકાશે નહીં
આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે, જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે એ રકમમાં ઘટાડો કરીને તેમના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે, કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં.

You Might Also Like

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

TAGGED: share certificate, stamp duty
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સામે વિરોધ
Next Article રાજ્યને મળશે નવા DGP

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?