વિમાન દુર્ઘટનામાં સુરતના કામરેજના એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિ. કોર્પો., વહીવટી તંત્ર, સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. આ ઘટનામાં ઘણા ફેમિલીના બે અથવા વધારે સભ્યોના મૃત્યુ થયા હોય, તેઓના ડીએનએ વારા ફરતી આવતા હોય, સગા સંબંધીઓને અંતિમ વિધિ એક કરતા વધારે વખત કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, ત્યારે સગાંસંબંધીઓ વિસામણમાં પડી જાય છે. સુરત જિલ્લાના કામરેજ ઊંભેલ ખાતે રહેતા રીંકેશ પટેલ અને કેનીલ પટેલના બહેન વિભૂતિબેન અતુલકુમાર પટેલ ઉવ. 25 અને બનેવી હાર્દિક દેવરાજભાઈ અવૈયા પટેલ ઉવ. 27 રહે. ગઢપુર ટાઉનશિપ, કઠોદરા, સુરતનું પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા, અકસ્માતમાં મૃત્યુ થયુ હતું તેઓ પૈકી પહેલા હાર્દિક દેવરાજભાઈ અવૈયા પટેલના ડીએનએ મેચ થતા, તેઓના ભાઈ રાજેશભાઈ દેવરાજભાઈ અવૈયાને પાર્થિવ શરીર સોંપવા જણાવવામાં આવ્યુ. પરંતુ, એક જ કુટુંબમાં બે મૃતક હોય અલગ અલગ વિધિ કરવાની જગ્યા બન્નેના પાર્થિવ શરીર સાથે મળે તો એક સાથે અંતિમ વિધિ થઈ શકે તે હેતુથી રાહ જોઇ પરંતુ થાકીને બનેવીના અંતિમ સંસ્કાર કરી.
બહેનની ડેડબોડી માટે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા કોઈ ધ્યાન દેતા નહીં હોવાની રજૂઆત અને ચિંતા સાથે થાકી ગયા હોવાની લાગણી સાથે વિભૂતિબેનના ભાઈ કેનિલ પટેલ અને રીંકેશ પટેલે બંદોબસ્તમાં રહેલા ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને મળતા ડીસીપી જાડેજા, એસીપી કૃણાલ દેસાઈ તથા શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા, તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.વી. ગોહિલ, પીએસઆઈ ભરતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી. એફએસએલ ડીએનએ રિપોર્ટ આવતા વાર લાગતી હોય, જે ટેકનિકલ બાબત હોય, જ્યારે ડીએનએ મેચ થઇને આવશે, ત્યારે તરત જ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને ડેડબોડી સોંપવાની વ્યવસ્થા કરવા પ્રયત્નો કરવા સમજણ આપતા અને ડીએનએ રિપોર્ટ મેચ થઈ આવી જતા, તેઓને જાણ કરી, બેનના પાર્થિવ શરીર મળે તે માટે પોલીસ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી, ડેડબોડી સોંપવા વ્યવસ્થા કરી આપતા, બેનના પાર્થિવ શરીર અમદાવાદ શહેર પોલીસ તથા વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે મળતા, મરણ જનાર વિભૂતિબેન પટેલના પરિવારજનો અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.