બપોરથી સાંજ સુધી અલગ-અલગ રસ્તા પર સમાજો, સંગઠનો પણ થશે સામેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીની અંતિમયાત્રા આજે સાંજે રાજકોટમાં નીકળવાની છે. આજે બપોરે તેમનો પાર્થિવ દેહ ગ્રીન લેન્ડ ચોકડીએ આવે તે બાદ આ રૂટ અને અંતિમયાત્રાના રૂટ પર 45 જેટલી સંસ્થાઓ અને સમાજો દ્વારા અલગ અલગ ચોકમાં અંતિમ દર્શન કરીને પુષ્પાંજલી આપવામાં આવશે.
ગ્રીન લેન્ડ ચોકડીથી આવતા કુવાડવા રોડ પર પૂ.રણછોડદાસજી આશ્રમ, બાલક હનુમાન ચોક, પારૂલ ગાર્ડન, ભાવનગર રોડ, પુજીત રૂપાણી ટ્રસ્ટ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કુલ, બહુમાળી, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા, હનુમાન મઢી રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે સંસ્થા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને ભાવાંજલી અર્પણ કરશે. અંતિમયાત્રાના રૂટ પ્રકાશ સોસાયટીથી નિર્મલા રોડ, કર્ણાટક બેન્ક, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ રોડ, માલવીયા ચોક, ત્રિકોણ બાગ, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, ભુપેન્દ્ર રોડ, રામનાથપરા પાસે પણ સંસ્થાઓ, સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો તેમને પુષ્પાંજલી અર્પણ કરશે તેમ સંસ્થાઓ અને સંગઠનો અંતિમ દર્શન કરી શકે તે માટે રૂટ પરથી વ્યવસ્થા સંભાળતા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાએ જણાવ્યું હતું.
દિવંગત વિજયભાઈને ગાર્ડ ઑફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ
- Advertisement -
પ્રકાશ સોસાયટીમાં આવેલાં નિવાસ સ્થાને અંતિમ દર્શનાર્થે નશ્ર્વર દેહ રખાયાં બાદ અંતિમ વિદાય માટે રાજકીય સન્માન સાથે રામનાથપરા સ્મશાન લઈ જવાશે
રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું