ઓખામંડળ ક્ષત્રિય વાઘેર સમાજનું ગૌરવ, આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી સિદ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દરેક સપનાની પાછળ એક યાત્રા હોય છે. તે યાત્રા માટે સખત મહેનત, પૂર્ણ આત્મવિશ્વાસ અને અવિરત પ્રયત્નોથી ભરેલી હોય છે. પ્રો. ડી. એસ. કેર સાહેબે વર્ષો પહેલા ઓખામંડળમાં શૈક્ષણિક જાગૃતિ લાવવાનું જે સ્વપ્નું જોઈ હતું તે આજે તેમની પૌત્રી ડો. યેશાબેન કેર એ સાકાર કરી એક ઉદાહરણ પૂરું પડ્યું છે. ખઇઇજ જેવી મુશ્કેલ ડિગ્રી હાંસલ કરવી એ માત્ર એક શૈક્ષણિક સિદ્ધિ નથી, તે તેમના સંઘર્ષ, સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતા અને પરિવારની મૂલ્યોનો પરિચય આપે છે. યેશાબેન માત્ર પોતાની સફળતા સુધી સીમિત નથી, તેઓ એ માર્ગદર્શક છે જે ઓખામંડળની યુવતીઓને બતાવે છે કે સ્ત્રી પણ ઈચ્છે તો કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે શરતે કે તે ઇમાનદારી અને દ્રઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરે.
- Advertisement -
દ્વારકા સરકારી હોસ્પિટલમાં સેવા બજાવતી યેશાબેન આજે સમાજને મજબૂત હાથ આપે છે. દર્દીઓ માટે માત્ર ડોક્ટર નહીં, પણ આશા બની ઉભી છે. આ સફળતા એ યાદ અપાવે છે કે માતા-પિતાની શ્રદ્ધા, શિક્ષકોનું માર્ગદર્શન અને પોતાની હિંમત હંમેશા જીતી તરફ લઈ જાય છે.
ડો. યેશાબેન કેરને જ્ઞાતિ આગેવાનો, પરિવાર અને શુભેચ્છાકો એ અભિનંદન પાઠવીને તેમનાં ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ડો.યેશા કેરને તેની સિધ્ધી માટે જ્ઞાતિના પ્રમુખ અને ધારાસભ્ય પબુભા માણેક એ મીઠું મોઢું કરાવીને આશિવોદ આપ્યા હતા.