પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બહેનોની જળયાત્રા સાથે યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભેસાણના ચુડા ગામે એકાવન લાખના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ધામ ધૂમ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને દાતાશ્રી ઓ જોડાયા હતા અને દરેક સાધુ સંતો અને દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું આ તકે પરબધામના કેતન દાસ બાપુ તેમજ સુખરામ બાપુ તેમજ પરમપૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ જુનાગઢ વિવેક સ્વરૂપ સ્વામી બગસરા તેમજ કોઠારી પ્રકાશદાસજી તેમજ મહાદેવ ગીરીબાપુ આ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
રામ મંદિરનું છેલ્લા એક છેલ્લા એક વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ગ્રામજનોના પુરા સહયોગ અને ઉત્સાહી કમિટીની ખૂબ મહેનતથી ભાવ્ય રામજી મંદિર નિર્માણ પામ્યું છે આ મંદિરનુ શીલા પુજન 22 જાન્યુઆરી 2024માં એટલે કે શ્રી રામ-લાલા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા હતા ત્યારે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાજુમાં આવેલ શ્રી હનુમાનજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે સુંદર યજ્ઞ કુંડ અને મંદિરને સજાવવામાં આવ્યા છે અને તેમની વિધિ વિધાન અને મંત્રોચાર સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અને રામજી મંદિરેથી બહેનો દ્વારા ફૂલવાડી ધામ શ્રી મહાકાળી માતાજીના મંદિરેથી જલયાત્રા કાઢવામાં આવી હતી અને રામ દરબારને યજ્ઞશાળામાં જલવાસ કરાવવામાં આવ્યો હતો જલયાત્રામાં ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા.આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.