કેન્દ્રીય મંત્રી અમિત શાહ શનિવારે સોરઠ પ્રવાસે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી ચાલી રહી છે.ત્યારે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજવાનું છે.તેના એક દિવસ અગાઉ તા.15 ફેબ્રુઆરી શનિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોરઠ પ્રવાશે પધારી રહ્યા હોવાનું જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું છે.
- Advertisement -
દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોરઠના પ્રવાશે પધારી રહ્યા છે.ત્યારે ગૃહમંત્રી અમિત શાહ વિસાવદરના ચાપરડા વિદ્યાધામ આશ્રમ ખાતે સેનિક સ્કૂલ ભવન ઉદ્ધાટન સાથે મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટીયુટનું ખાતમહૂર્ત કરશે અને ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુ સહીત અન્ય સંતો-મહંતો સાથે બેઠક યોજી શકે છે. જયારે તેજ દિવસે ગૃહમંત્રી અમિત શાહ કોડીનાર સુગર મીલનું પણ ઉદ્ધઘાટન કરશે તેમ જિલ્લા પ્રમુખે જણાવ્યું છે.અમિત શાહ સોરઠ પધારી રહ્યા છે. ત્યારે બંને જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓ શરુ કરી છે.