ડિસેમ્બર 2023 માં દવાઓનું કુલ વેચાણ 8952 કરોડ હતું જે 2024 માં 10.08 ટકા વધીને 9855 કરોડ થયું
ગુજરાતનું ફાર્માસ્યુટિકલ સેક્ટર પાછું ચર્ચામાં આવ્યું છે, જે ત્રણ વર્ષમાં પ્રથમ વખત બે આંકડાની વૃદ્ધિ સાથે 2024ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. ડિસેમ્બર 2023માં દવાઓનું કુલ વાર્ષિક વેચાણમાં 8952 કરોડ હતું જે 2024માં 10.08 ટકા વધીને 9855 કરોડ થયું છે.
- Advertisement -
ફાર્માસ્યુટિકલ સેક્ટરની વૃદ્ધિ પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જેમાં આરોગ્ય સંભાળમાં વધારો, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની માંગમાં વધારો અને નિકાસ પ્રવૃત્તિઓમાં વધારાનો સમાવેશ થાય છે. ફાર્મરેકના વાઇસ-પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, “આ વૃદ્ધિ ભારતની વૃદ્ધિને અનુરૂપ છે, જે વર્ષ દરમિયાન 8 ટકાના દરે વૃદ્ધિ પામે છે. આ દવાના વેચાણમાં હ્રદયરોગો, એન્ટિ-ઇન્ફેક્ટિવ અને એન્ટિ-ડાયાબિટીક દવાઓનો સૌથી વધુ હિસ્સો છે.”
બજારનાં વિકાસને આગળ ધપાવવાના અન્ય કારણો પૈકી નવી પ્રોડકટ લોન્ચ અને કિંમતનાં પરિબળો છે. ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરાંચી શાહે જણાવ્યું હતું કે, “ગુજરાતનાં ફાર્માસ્યુટિકલ માર્કેટમાં વધારો એ ઉદ્યોગ માટે સકારાત્મક સંકેત છે. કોવિડ પછીનાં દર્દીઓનું ક્લિનિક્સમાં ધીમે ધીમે પાછા ફરવું એ મુખ્ય પરિબળોમાંનું એક છે. દર્દીઓની સંખ્યામાં વધારો સરકારી પહેલોને કારણે થયો છે જેમ કે વ્યાપક વીમા કવરેજ, એ પણ સુલભતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે કહ્યું કે “ઓફ-પેટન્ટ દવાઓનાં વેચાણમાં વધારો, કાર્ડિયોવેસ્ક્યુલર, મેટાબોલિક અને કેન્સર થેરાપીઓ માટેનાં વધતાં બજાર સાથે, બિમારીઓની અને આરોગ્ય સંભાળની જાગૃતતા વધી છે. નવી પ્રોડક્ટ લોન્ચ અને ભાવ ગોઠવણોથી વધુ વૃદ્ધિ થઈ છે. નિષ્ણાતોને આશા છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આગળ પણ બે આંકડામાં વૃદ્ધિનો ટ્રેેન્ડ ચાલું રહેશે.