આગની અફવા ફેલાતા પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે સાંજે 4:42 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, પચોરા સ્ટેશન પાસે માહેજી અને પરધાડે વચ્ચે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. આ દરમિયાન એક મુસાફરે ચેઇન પુલ કરી લીધી. ટ્રેન ઉભી રહી ગઈ અને ગભરાયેલા મુસાફરો બહાર કૂદી પડ્યા. આ દરમિયાન, બીજા ટ્રેક પર આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા મુસાફરોને કચડી નાખ્યા હતા.
- Advertisement -
હવે આ મામલે અપડેટમાં સામે આવ્યું છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં હાજર એક મુસાફરે જણાવ્યું કે ટ્રેનમાં આગની અફવા એક ચા વેચનારે ફેલાવી હતી. અકસ્માતના એક નજરેજોનારે જણાવ્યું કે એક ચા વેચવાવાળાએ ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાવી હતી. આ પછી ટ્રેનની અંદર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તે ચાવાળાએ પોતે જ ચેન ખેંચી હતી. જ્યારે ટ્રેન ધીમી થવા લાગી ત્યારે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવા લાગ્યા હતા.જલગાંવ કલેક્ટર ઓફિસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. જેમાંથી 7 લોકોની ઓળખ થઈ ગઈ છે. 6 લોકોની ઓળખ થઈ નથી, જેમાં 4 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. 10 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેન્ટ્રલ રેલવેના ભુસાવલ ડિવિઝનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક શાર્પ ટર્ન હતો. આ કારણે, બીજા ટ્રેક પર બેઠેલા મુસાફરોને ટ્રેન આવી તે ખ્યાલ ના રહ્યો. આ જ કારણ હતું કે કર્ણાટક એક્સપ્રેસ દ્વારા આટલી મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા. સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ મુંબઈથી 400 કિમી દૂર છે. બ્રેક લગાવતાં ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળ્યો 12696 કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. આ પછી ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા.