By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    7 hours ago
    અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ
    11 hours ago
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    1 day ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    1 day ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુ:ખે છે: ઙખ મોદી કાશીમાં
    6 hours ago
    અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર: સુપ્રીમ કોર્ટ
    6 hours ago
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરનો સામાન પડી જવાથી નાસભાગ.. સરકારનો ખુલ્લાસો
    9 hours ago
    હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
    11 hours ago
    જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સેનાએ કહ્યું કે “ઓપરેશન અખાલ” ચાલુ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    2 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    3 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    5 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    10 hours ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    10 hours ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    1 day ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    1 day ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    7 hours ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    12 hours ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    1 day ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    4 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    4 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવેદના થકી થતી વેદના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંવેદના થકી થતી વેદના
Author

સંવેદના થકી થતી વેદના

Khaskhabar Editor
Last updated: 2024/11/16 at 5:10 PM
Khaskhabar Editor 9 months ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

દર્દ ત્યારે દવા બની જાય છે, જ્યારે… પીડા પરાકાષ્ઠામાંથી પસાર થઈ જાય છે.!

- Advertisement -

દરેક માનવી જીવન આખું સુખની શોધમાં ફરતો રહે છે.પરંતુ દુ:ખ આપણા જીવનનું એક અભિન્ન ભાગ છે તે આપણે હંમેશા વિસરી જતા હોઈએ છીએ. આમ પણ સુખની કિંમત સમજવા માટે પણ દુ:ખ નો અનુભવ થવો જરૂરી છે. પરંતુ જ્યારે કોઈ તકલીફ કે દુ:ખ તેની નકકી કરેલી સહન શકિતની સીમા રેખાને પાર કરી જાય ત્યારે એ તક્લીફ તેના વિસ્તરણ નો રસ્તો શોધી લેતું હોય છે..જેને આપણે સામાન્ય રીતે શરીરની પીડા કે રોગ નાં રૂપ માં જીવતાં હોઇએ છીએ.દરેક જીવન કોઈને કોઈ સમયે પેઈન માંથી પસાર થતું જ હોય છે. પેઈન શબ્દ સાંભળીએ એટલે પહેલો વિચાર આપણી આંખ સામે ફિઝિકલ પેઈન નો જ આવે. પરંતુ ફિઝિકલ પેઈન માટે તો આપણા મેડિકલ સાયન્સે ાફશક્ષસશહહયિ શોધી જ રાખી છે. ઙફશક્ષસશહહયિ દવાનું કામ એ હોય છે કે શરીરના જે ભાગમાં તકલીફ છે એટલા ભાગ ને સંવેદનહીન બનાવી દેવાનું!… પરંતુ જે તકલીફ સંવેદનાથી જ મળતી હોય એવા દર્દનું નિવારણ શું? આજનો માનવી કેટકેટલી આંતર પીડાઓથી પીડાય છે. ક્યાંક લાગણીનો અતિરેક, તો ક્યાંક પ્રેમની ઓછપ ! તો વળી ક્યાંક વિશ્વાસઘાત, દ્વેષ, ઇર્ષા ને ગુસ્સો ! માનવ મનની તકલીફના અનેક કારણો છે. ગણવા બેસીએ તો યાદી ઘણી લાંબી થાય.

સમય નિરંતર ચાલતો પ્રવાહ છે. સતત ચાલતી આ સમયની ટીક ટીક સાથે માનવી દોડતા તો શીખ્યો પણ સ્થિર બની ઊભો રહેતાં નથી શીખી શક્યો ! દરેક વ્યક્તિને પોતાની એક દોડ છે, કંઇક પામવાની..મેળવવાની દોડ ! જ્યારે આ અનંત દોડના અંતે નિરાશા સાંપડે ત્યારે વ્યક્તિ આવા પેઇન નો ભોગ બને છે. આપણે એન્ટીબોડી વિશે તો સાંભળ્યું, વાંચ્યું, અને અનુભવ્યું પરંતુ” ાફશક્ષ બજ્ઞમુ” વિશે આપણને કશી માહિતી જ નથી. એ શબ્દ ની શરુઆત અર્થ સાથે ‘ધ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર એકહાર્ટ ટોલે’ પ્રથમવાર તેમના પુસ્તક “ધ પાવર ઓફ નાવ.”મા કરી છે અને આ શબ્દને સમજાવ્યો છે. તેની ચર્ચા વિશ્વભરમા અભ્યાસનો વિષય બની છે. માનવીય તક્લીફનાં વિસ્તરણ અને તેના કારણો આ પુસ્તકમાં ખુબ સરસ રીતે વર્ણવ્યા છે.

આપણાં શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ દુ:ખોનું કારણ મન છે અને આ પેઇન બોડીએ મનનું એવું આવરણ છે, જે સતત અજાગૃત રીતે વ્યક્તિને તકલીફ આપતું રહે છે, દુ:ખ પહોંચાડતું રહે છે. કેવી રીતે બને છે આ પેઇન બોડી… ? વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈ દુ:ખદ ઘટનામાંથી પસાર થયો જ હોય છે એ ઘટનાથી ભૂતકાળમાં અનુભવેલું” ઈમોશનલ પેઈન”… જે હજુ આપણી અંદર જીવિત છે. ધીમે ધીમે એ તકલીફ આપણી સમગ્ર ચેતના ઉપર તેનું આવરણ બનાવી દે છે, તેમાંથી સર્જાય છે પેઇન બોડી ! બાળપણથી લઈ અને અત્યાર સુધી જીવનના તમામ માઠા અનુભવોમાંથી મળેલા આઘાતો એ પેઇન બોડીને વધુ સક્રિય બનાવે છે. મન માં ઉદભવતી લાગણીઓ, વિચારો, અનુભૂતિ, અને આઘાત માંથી મનની જે અવસ્થા બને છે, એ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં માનસ ચિકિત્સકો તેને ’ઈમોશનલ સ્ટ્રેસ ડિસોર્ડર’પણ કહે છે. જે અત્યારનાં સમયમાં બહુ સામાન્ય રીતે લોકોમાં જોવા મળે છે

- Advertisement -

સમયની સાથે દોડ લગાવી કાળને જીતી લેવાની હોડમાં ઉતરેલો માનવી જીવનમાં સતત દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાનો આગ્રહી બનતો જાય છે. જીવનના કોઈ લક્ષ્યને સિદ્ધ કરવા કરેલા અથાક પ્રયત્નો, અચાનક જ સંબંધોમાં આવેલી ઓટ, કોઈ પ્રિય વ્યક્તિ સાથેની રિલેશનશીપમાં આવતું ઓચિંતું બ્રેક -અપ…ઘણા કારણો હોય શકે ! પણ પરિણામ લગભગ સરખું આવતું હોય છે. વ્યકિતના મનમા ભય, બેચેની, નિરાશા, હતાશાની લાગણીઓ જન્મે છે અને તે જીવનનાં આનંદને ગુમાવી બેસે છે. સ્મરણ એ માનવ મન માટે સહજ બાબત છે. ભૂતકાળમાં થયેલો અસ્વીકાર, અપમાન, અત્યાચાર ,કે તિરસ્કાર જેવી દુભાયેલી લાગણી ભૂલી નથી શકાતી ત્યારે તેમાંથી પેઇન બોડી નું નિર્માણ થતું હોય છે. એ તકલીફ મનને ખૂબ દઝાડતી રહે છે. કઈ રીતે શાતા મળી શકે આ અંતરમનની પેઇન બોડીને ? કઈ રીતે નિવારી શકાય આ તકલીફ ?મેડિકલ સાયન્સમાં તેનો ઈલાજ શુ છે ? આ બાબતે થયેલા સંશોધનો ના તારણોનુ મંતવ્ય શું છે ? આ બધા પ્રશ્ર્નોનો જવાબ “ધ પાવર ઓફ નાવ” આપેલા છે. આ મનોવેદનામાંથી બહાર નીકળવા માટે ફક્ત બે બાબતો જરૂરી છે,.. ઇન્ટેલિજન્સી અને અવેરનેસ એટલે કે બુદ્ધિમતા અને સભાનતા! સાદા શબ્દમાં સંજોગોને સ્થિત પ્રજ્ઞ રીતે મૂલવતા શીખવું અતિ આવશ્યક છે.

દરરોજનાં રોજિંદા જીવનમાં બનતાં બનાવો કે ઘટના ક્રમમાં માનવ મનને સ્થિરતા આપવા માટે અગત્યના બે પાયારૂપ સ્તંભ એટલે કે લાગણી અને બુદ્ધિ! જીવન લાગણીના આઘાતમાંથી પસાર થઇ ગયા પછી બુદ્ધિપૂર્વક તટસ્થ રહી અને ઘટનાની સંપૂર્ણ આલોચના કરવી જોઈએ. વાસ્તવિક સ્વરૂપમાં ઘટના કે વ્યક્તિને મૂલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં લાગણીથી લેવાયેલા દરેક નિર્ણયો હંમેશા લક્ષ્ય સિદ્ધિ કે આનંદ જ આપે એવું જરૂરી હોતું નથી… આ સત્યનો સહજ ભાવે સ્વિકાર કરવો જરૂરી છે.બુદ્ધિને અગ્રીમ સ્તર ઉપર રાખી અને વિચારસરણીને બદલવી જોઈએ. આથી આ પીડા માંથી રાહત મેળવી શકાય છે. આ સાથે જ માનસિક સભાનતા પણ એટલી જ અગત્યની છે.વિતેલી ક્ષણો માત્ર ભૂતકાળ છે, એ ફરી થી જીવી શકાય નહીં! એ પીડા એ ક્ષણ સાથે વીતી ગઈ છે, એનું સ્વાભાવિક રીતે વિસ્મૃતિમાં પરિવર્તન થવું ખૂબ જ અગત્યનું છે. ભૂતકાળનાં પૂર્વગ્રહો નો સાહજિક વિગ્રહ થવો જરૂરી છે. આ એક ક્રમિક પ્રક્રિયા જે તાત્કાલિક પરિણામો નથી આપતી. પરંતુ સમયાંતરે સમસ્યાનો ચોક્ક્સ ઈલાજ કરે છે.સમયની સાથે માનસ પીડાનું વહન થવાથી આ પેઇન બોડીમાંથી મુક્તિ મેળવી શકાય છે. મનનાં આવેગોનું પરાવર્તન ખૂબ જરૂરી છે.

આપણા ધાર્મિક શાસ્ત્રમાં પેઇન બોડી વિશેના ચૈતસિક સંશોધનો આપેલા છે. આ પીડામાંથી મુક્તિ માટે ધ્યાન અને યૌગિક ક્રિયાઓને મહત્વ આપવામાં આવ્યું છે. ધ્યાન એ આંતરમનની એવી અવસ્થા છે જ્યાં અજાગૃત મન જીવંત ચેતના ઓને આદેશ આપે છે.! એ આદેશો દ્વારા ભૂતકાળના આઘાતો, પીડા, અને દુર્ભાગ્યને વર્તમાન સમય માંથી ડીલીટ કરવાની સમજણ આપવામાં આવે છે. ડરામણા વિચારો, અકારણ ચિંતા કે કાલ્પનિક ભય માટે અજાગૃત મનમાં રહેલા પૂર્વગ્રહ જ જવાબદાર હોય છે. જ્યારે આપણે લાગણી અને બુદ્ધિ બન્ને ને સભાનતાપૂર્વક વર્તમાન ક્ષણથી જુદી પાડી શકીશું અને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં સ્થિર થઈ જીવતાં શીખીશું ત્યારે ચોક્કસ આ પીડાદાયક પેઈન બોડીમાંથી મુક્તિ મેળવી શકીશું.

You Might Also Like

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

ચાણક્યની સાચી સમજ

TAGGED: sensation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હંગામા હૈ ક્યું બરપા… થોડી સી જો પી લી હૈ… ગાયક મયુર દવેએ માતાજીના કાર્યક્રમમાં ઊર્દૂ ગઝલ લલકારી!
Next Article 4 વર્ષના બાળકે નાકમાં મોતી નાખી દેતાં શ્વાસ રૂંધાવા લાગ્યો; ડૉક્ટરે 13 સેકન્ડમાં બહાર કાઢતાં જીવ બચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ
ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી
5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી
રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન
ટી.એન. રાવ કોલેજમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી: ‘ચેરિટી કેન્ટીન’ દ્વારા ઝનાના હોસ્પિ.માં બેડશીટનું દાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

હાસ્ય: જીવનનું ફૂલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?