તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ પોઈઝનીંગના ત્રણ બનાવ સામે આવ્યા હતા જેમાં વઢવાણ, ત્યાર બાદ મૂળી અને હવે સાયલા પંથકના ગામમાં ફૂડ પોઈઝનીંગનો બનાવ સામે આવ્યો છે સાયલા તાલુકાનાં સુદામડા ગામે રબારી સમાજના ધાર્મિક કાર્યક્રમ બાદ તમામ ભક્તોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદ લીધા બાદ અચાનક તબિયત બગડવા લાગી હતી જેમાં એક બાદ એક પ્રસાદ લીધેલ તમામ સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
- Advertisement -
આ તરફ તમામ પ્રસાદ કરનારને સારવાર હેઠળ ખસેડતા હોસ્પિટલ પણ ફૂડ પોઈઝનીંગના દર્દીઓથી ઉભરાઇ હતી. જ્યારે આશરે 100થી વધુ લોકોને થયેલ ફૂડ પોઈઝનીંગ અંગેની જાણ જિલ્લા આરોગ્ય ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પ્રાથમિક તપાસમાં ધાર્મિક કાર્યક્રમમાં લીધેલા ભોજન દરમિયાન છાસ પીવાથી ફૂડ પોઈઝનીંગ થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું છતાં આરોગ્યની ટીમ દ્વારા પ્રસાદના નમુના લઇ લેબમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી અને રિપોર્ટ બાદ જ ફૂડ પોઈઝનીંગનું સાચું કારણ બહાર આવશે તેમ આરોગ્ય ટીમના અધિકારી દ્વારા જણાવાયું હતું.