સમગ્ર મેદાન સોનાની ચમકથી ચમકી ઉઠ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
નવરાત્રી પર્વ દરમિયાન રાજ્યભરમાં વૈવિધ્યસભર નોરતા મનાવવામાં આવે છે. પ્રત્યેક સમાજ પોતાની આગવી ઓળખ અને પરંપરા સાથે નવરાત્રી પર્વ મનાવતું હોય છે. આહીર સમાજની પણ એક પરંપરા સાથે નવરાત્રી રાસ-ગરબા કરવામાં આવે છે. રાજકોટમાં આહીર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકબાજુ મેઘો મન મૂકીને વરસી રહ્યો હતો બીજી બાજુ આહીર સમાજની બહેનો પરપંરગાત પહેરવેશ અને સોનાના ઘરેણા પહેરીને ગરબે ઘૂમ્યા હતા. રાજકોટમાં શનિવારે આહીર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. જે દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદમાં સમાજના ભાઇઓ અને બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. પરંપરાગત પહેરવેશમાં સમાજના ભાઇઓ અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આહીર સમાજની બહેનોની ઓળખ તેમના દ્વારા પહેરવામાં આવતા ઘરેણાં હોય છે.
નવરાત્રી દમરિયાન બહેનો દ્વારા સોનાના ઘરેણા પહેરવામાં આવે છે. ગઇકાલે આયોજીત નવરાત્રીમાં પણ આહીર સમાજની બહેનો સોનાના ઘરેણા પહેરીને આવી હતી. એક મહિલાએ દસ તોલા થી પણ વધુ સોનુ પહેર્યું હતું. અને ગરબા ગ્રાઉન્ડમાં 15 હજાર તોલાની સોનાની ચમક સાથે બહેનોને રાસ લીધો હતો. એ સમયે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ જાણે કે સોનાથી ચમકી ઉઠ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. આહિર ગરબા મહોત્સવ(અૠખ) કમિટીના સભ્યો દ્વારા આહીર સમાજના તમામ ભાઈઓ બહેનો નો અને આગેવાનોનો અને દાતાઓ, સ્વયંસેવકો આભાર માન્યો હતો. તેમજ ગઈકાલની ભવ્ય સફળતા જોતા અૠખ તેમના કમિટીના સભ્યો દ્વારા અત્યારથી જ આવતા વર્ષે નવે નવ દિવસનું આહીર ગરબા મહોત્સવનો આયોજન કરવાની જાહેરાત કરી દીધી હતી.