ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન આયોજીત પરશુરામ ધામ નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરની ટીમે મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં હિરેન ભાઈ રૂપારેલિયા (સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ), જયેશભાઈ ખેસવાણી (જૂનાગઢ મહાનગર મંત્રી), પરાગ ભાઈ તન્ના ( મહાનગર સેવા પ્રમુખ), ભાર્ગવ ભાઈ દવે ( મહાનગર અર્ચક પુરોહિત સંપર્ક પ્રમુખ), હિરેન ભાઈ પાંડે (ગિરનાર પ્રખન્ડ મંત્રી), વિરાજ ભાઈ ઠકરાર (કાર્યકર્તા), દેવેન ભાઈ કોટેચા (કાર્યકર્તા) ઉપસ્થિત રહ્યા હતા.આ તકે પરશુરામ ધામ નિમિતે નવરાત્રી ના આયોજનને વધાવીને સંસ્થાનાં સંસ્થાપક જયદેવભાઈ જોશીને આ આયોજન સાથે હર્ષોલ્લાસથી આ પ્રયત્નોની સરાહના કરી હતી તેમજ પરશુરામ ધામમા વિશ્વ હિન્દુ પરિષદ પણ ખડે પગે જ્યાં પણ જરૂર પડ્યે ત્યાં ઉભુ રહેશે એવી પણ ચર્ચા કરી હતી. આ તકે નવમા નોરતે શુભેચ્છા મુલાકાત કરી હતી નવ દિવસ સુધી નવરાત્રી મહોત્સવ પર્વે બ્રહ્મ સમાજના નાના ભૂલકા સાથે યુવક યુવતીઓ અને પરિવાર સાથે નવરાત્રીમાં ભાગ લઈને ઉત્સાહ પૂર્વક માતાજીની ભક્તિ સાથે આરાધના કરી હતી આ કાર્યર્કમને સફળ બનાવવા કાર્તિકભાઇ ઠાકર, મનીષભાઇ ત્રિવેદી, પી.સી. ભટ્ટ, જીતભાઈ તેરૈયા, મહામંત્રી તેમજ અન્ય સાથી વ્યવસ્થાપકો જેહમત ઉઠાવી હતી.