શહેરી વિસ્તારમાં ભયજનક ટ્રાન્સફોર્મર ખુલ્લા, વધુ અકસ્માત નોતરે તેવા એંધાણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર ગત અઠવાડિયે એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં ટ્યુશનથી ઘરે પરત ફરતી ત્રણ કુમળી દીકરીઓ પર જીવતો વીજ વાયર પડતાં એક 10 વર્ષીય દીકરીનું મોત થયું હતું આ ઘટના બાદ સ્થાનિકો અને દીકરીના પરિવારજનો દ્વારા પ.ગુ.વીજ કંપનીના અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ આ ઘટના બાદ હજુય તંત્ર ઘોર નિંદ્રામાં હુવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજ વાયરો અને ભય જનક ટ્રાન્સફોર્મર ખુલ્લા જીવ મળે છે.
- Advertisement -
સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર ફરતે લોખંડની ગ્રિલ નજરે પડે છે પરંતુ વર્ષોથી લોખંડની ગ્રિલ નાખ્યાં બાદ અહી વીજ કંપનીના અધિકારી કે કર્મચારી ફરક્યા નહિ હોવાના લીધે મોટાભાગના ટ્રાન્સફોર્મર ખુલ્લા જ પડ્યા છે ત્યારે અગાઉ 10 વર્ષની દીકરી પર જીવતો વાયર પડ્યો હતો તેનાથી માત્ર 500 મીટર દૂર ખાનગી શાળા આવેલી છે અને આ ખાનગી શાળાની સામે જ આ પ્રકારે ખુલ્લા ટ્રાન્સફોર્મર નજરે પડે છે ખાનગી શાળા પર આવતા વિદ્યાર્થીઓ દરરોજ આ મોતના મચડા પાસેથી પસાર થાય છે પરંતુ તંત્રને એક દુર્ઘટના બાદ હજુ ઊંઘ ઊડતી ન હોય અને વધુ મોટી દુર્ઘટના થાય તેની રાહમાં બેઠી હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ખુલ્લા વીજ વાયરો અને ટ્રાન્સફોર્મર હજુપણ અકસ્માત નોતરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.