By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
    13 hours ago
    વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
    13 hours ago
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    14 hours ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    1 day ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી: 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં
    9 hours ago
    મુંબઈ નજીકનું પડઘા ગામ બન્યું ઈસ્લામિક સ્ટેટ લિબરેટેડ ઝોન
    9 hours ago
    ‘હિસાબ મેં રહો! હમ સબ્ર મેં હૈ કબ્ર મેં નહીં’: આઈ લવ મોહમ્મદ બેનર સાથે ધમકીભર્યા સંદેશ અપાયા
    9 hours ago
    ગુજરાત આવતું કેમિકલ ભરેલું ટેન્કર LPG ટ્રક સાથે અથડાયું: 200 સિલિન્ડર બ્લાસ્ટ બાદ ખતરનાક કેમિકલ લીક
    9 hours ago
    બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    9 hours ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    12 hours ago
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    1 day ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    2 days ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    1 week ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!
AuthorParakh Bhattરાષ્ટ્રીય

પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!

Khaskhabar Editor
Last updated: 2022/01/28 at 12:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!

– પરખ ભટ્ટ 

18 લાખ (અઢાર અક્ષૌહિણી)થી પણ વધુ સૈનિકોએ સતત અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનાં 48128 કિલોમીટરનાં યુધ્ધમેદાનમાં મહાભારત ખેલ્યું. આમ જોવા જઈએ તો દ્વાપર યુગનાં અંતમાં થયેલા આ મહાયુધ્ધમાં અનેક અસ્ત્રો-શસ્ત્રો-તકનિકો તથા કાવાદાવાનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંદુ વેદ-પુરાણ અને મહાભારતને એક ત્રાજવે તોલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મહાભારતનું પલડું વધુ ભારે થઈ જાય એટલી હદ્દે સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય અહીં થયો છે! કૃષ્ણનાં જન્મથી માંડીને પાંડવોનાં મૃત્યુ સુધીનો સમયગાળો અનેક પૌરાણિક રહસ્યો સંઘરીને બેઠો છે. જેને સમજવા માટેનાં ઘણા પ્રયત્નો હાલ થઈ રહ્યા છે.

Contents
કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!– પરખ ભટ્ટ 

મહાભારતનાં બે પ્રસંગો સૌથી વધુ ધ્યાનાકર્ષક છે. એક તો હસ્તિનાપુરની રાજસભામાં થયેલું દ્રૌપદીનું અપમાન અને બીજું 18 દિવસ ચાલેલું મહાયુધ્ધ! કુરુક્ષેત્રમાં જે પ્રકારે છળકપટ અને ઉચ્ચ પ્રકારની રાજનીતિનો ઉપયોગ થયો છે તે આજે આપણા માટે સમજવી જરા પણ સહેલી નથી! અત્યારે જે વાત કરવી છે તે કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!

- Advertisement -

ચક્રની માફક ગોળાકાર ઘેરો બનાવી દુશ્મનને તેમાં ભૂલો પાડી દેવા માટે પ્રાચીન કાળમાં ચક્રવ્યુહનો ઉપયોગ થતો. કોઈ પણ ચક્રવ્યુહમાં મોટે ભાગે સાત ઘેરા ઉભા કરવામાં કરવામાં આવે છે. આ સાતે-સાત સ્તરનાં સૈનિકો સતત ગોળાકાર કરી પોતાની પોઝિશન બદલતાં રહે છે. જેનાં લીધે એકવાર ઘેરામાં પ્રવેશી ચૂકેલો દુશ્મન સૈનિક ક્યારેય ફરી પાછો બહાર નીકળી શકતો નથી. અર્જુનપુત્ર અભિમન્યુનાં કિસ્સામાં પણ આવું જ કંઈક થયેલું! માંના પેટમાંથી ચક્રવ્યુહ ભેદવાનું જ્ઞાન લઈને જન્મેલો અભિમન્યુ કુરૂક્ષેત્રનાં યુધ્ધમાં કમોતે માર્યો ગયો.

મોટાભાગનાં ચક્રવ્યુહને સાત સ્તરીય બનાવવામાં આવે છે. શરૂઆતનાં સ્તરોમાં અસંખ્ય પાયદળ, ઘોડેસવાર તથા રથસવારોને સૈન્યની સુરક્ષામાં તૈનાત રખાય છે જેથી કોઈ કાચોપોચો દુશ્મન ત્યાંથી જ આગળ વધતો અટકી જાય! માની લો કે દુશ્મન સૈનિક છેક સાતમા સ્તર સુધી પહોંચવામાં સફળ થઈ ગયો, તો પણ પુન: ત્યાંથી પરત ફરી બહાર નીકળવું તેનાં માટે અત્યંત મુશ્કેલ છે. અંદરનાં સાતમા સ્તરનાં સૈનિકો સૌથી વધુ બળવાન હોય છે. ત્યાં સુધી પહોંચીને મૃત્યુને હાથતાળી આપવાની કળા એ જમાનામાં ખૂબ ઓછા લોકો પાસે હતી. (ચક્રવ્યુહમાં મહારથ હાંસિલ કરનાર યોધ્ધાઓની યાદીમાં કૃષ્ણ, અર્જુન, દ્રોણ, ભીષ્મ, પ્રદ્યુમ્ન અને અશ્વત્થામા વગેરેનો સમાવેશ થાય છે.) બહારની બાજુ રહેલા સૈનિકોનું કામ એ રહેતું કે દુશ્મનોને ચક્રમાં અંદર પ્રવેશતાં અટકાવે. અને જો કોઈ બળશાળી આવું કરી ગયો તો તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય સૈનિકોને ચક્રવ્યુહનું છેદન કરતાં અટકાવાય છે. અંદર ઘુસપેઠ કરી ચૂકેલા યોધ્ધાને અંદરનાં બીજા કે ત્રીજા સ્તરનાં સૈનિકો સાથે યુધ્ધનો આરંભ કરવો પડે છે. દરેક સ્તરનાં મુખ ભાગમાં યુધ્ધકળામાં પારંગત એવા સૈનિકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ દુશ્મન યોધ્ધાને ચક્રવ્યુહનાં અંદરના ભાગમાં જતો અટકાવી શકે. સૌથી આગળ રહેલા સૈનિકો દુશ્મન તીરંદાજને તલવાર-યુધ્ધમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે, જેથી તેમને બાણ-વર્ષા માટે સમય ન મળે અને ચક્રવ્યુહને કોઈ મોટું નુકશાન પણ ન થાય!

એક પ્રશ્ન એ ઉભો થાય કે સૈનિકોને એક ચોક્ક્સ દિશામાં ગોળાકાર ઘુમી, વ્યુહ બનાવવાની ખબર કઈ રીતે પડતી હશે? જેનો જવાબ મેળવવા માટે થોડું વધુ ઉંડાણમાં જવું જોઈશે. સામાન્ય રીતે યુધ્ધનાં મેદાનમાં કેટલાક ખાસ ડ્રમ મંગાવવામાં આવતાં. જેનો ધ્વનિ ખૂબ મોટા અંતર સુધી સંભળાઈ શકે. આ ડ્રમમાં અમુક ખાસ પ્રકારની બિટ/રીધમ (તાલ) બેસાડવામાં આવતી, જે સૈનિકો માટે દિશા-સૂચનનું કામ કરતી. અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં! ચક્રવ્યુહમાંના સૈનિકોને અગર દિશાહીન કરવા હોય તો ડ્રમ વગાડનાર માણસને મોતને ઘાટ ઉતારી દેવાતો. જોકે, કોઈપણ નીતિવાન યોધ્ધા શસ્ત્રહીન વ્યક્તિ પર હાથ ઉગામવાનું હિચકારૂ કૃત્ય ક્યારેય ન કરતો.

- Advertisement -

કૌરવો-પાંડવો વચ્ચેનાં ધર્મયુધ્ધમાં કુલ ત્રણ વખત ચક્રવ્યુહની રચના કરવામાં આવેલી. (1) વનવાસનાં તેરમા વર્ષ દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતાં ત્યારે ભીષ્મ પિતામહે અર્જુનને કેદી બનાવવા માટે કૌરવોની સેના સાથે મોટા ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. પરંતુ અર્જુને દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરી ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શલ્ય તથા જયદ્રથ વગેરેને એકલા હાથે માત આપી.
(2) યુધ્ધનીતિનાં પ્રખર જાણકાર ગુરૂ દ્રોણાચાર્યે યુધ્ધનાં તેરમા દિવસે યુધિષ્ઠિરને ફસાવવા માટે અક્ષૌહિણી સેનાની મદદ વડે વિશાળ ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. કમનસીબે, તે સમય પર અર્જુન બીજી જગ્યાએ યુધ્ધ લડી રહ્યો હતો. પરિણામસ્વરૂપ, અન્ય પાંડવ ભાઈઓ તથા અભિમન્યુ યુધિષ્ઠિરની વહારે આવ્યા. શ્રીકૃષ્ણ અને અર્જુનની સહાય વગર ચારેય પાંડવ ભાઈઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા કે આખરે આ ચક્રવ્યુહનું ભેદન કરવું કઈ રીતે!? સમયસૂચકતા વાપરીને અભિમન્યુએ ચક્રવ્યુહ ભેદી શકવાની પોતાની કળાનો ઉપયોગ કર્યો. ચક્રવ્યુહ ભેદીને અભિમન્યુ જેવો અંદર પહોંચ્યો કે તરત જ જયદ્રથે પહેલા સ્તરનાં સૈનિકો દ્વારા ચાર પાંડવ ભાઈઓને અંદર પ્રવેશતાં રોકી દીધા. કલાકો સુધી તેઓ ચક્રવ્યુહ ભેદવામાં નાકામયાબ રહ્યા. કારણકે જયદ્રથને ભગવાન શિવ દ્વારા એક દિવસ માટે અજેય રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલ હતું. આથી તેણે પોતાના એ વરદાનનો ઉપયોગ મહાભારતનાં તેરમા દિવસ માટે કર્યો. અભિમન્યુની નબળાઈ એ હતી કે તેને સાત કોઠાને ભેદીને અંદર કઈ રીતે પહોંચવું એનો ખ્યાલ હતો પરંતુ ત્યાંથી ફરી પાછા સાત કોઠા વીંધીને બહારનો રસ્તો કઈ રીતે શોધવો તેનું કોઈ જ્ઞાન નહોતું. પરિણામસ્વરૂપ, કોઈ વ્યક્તિ અભિમન્યુની જાન ન બચાવી શક્યું. (3) ત્રીજા વખતની ગાથા ખૂબ જ રસપ્રદ છે. અભિમન્યુને વીરગતિ પ્રાપ્ત થયા બાદ અર્જુનનાં ક્રોધની કોઈ સીમ ન રહી. તેણે પ્રણ લીધો કે ચૌદમા દિવસે તે જયદ્રથનો વધ કરશે. અર્જુનનાં ઈરાદાઓ વિશેની જાણ સમગ્ર કૌરવ-છાવણીમાં થઈ ચૂકી હતી. આથી જયદ્રથને બચાવવા માટે બીજા દિવસે ફરી ચક્રવ્યુહની રચના થઈ. સર્પવ્યુહ (સ્નેક ફોર્મેશન) અને સૂચિવ્યુહ (નીડલ ફોર્મેશન : સોયનાં આકાર સમાન)નું મિશ્રણ એવા એક સાવ નવા ચક્રવ્યુહની રચના થઈ. છતાં કૃષ્ણની સૂઝ-બૂઝ અને અર્જુનનાં દ્રઢ નિર્ધાર સામે જયદ્રથ ટકી ન શક્યો અને સૂર્યાસ્ત પહેલા મૃત્યુ પામ્યો.

You Might Also Like

હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી: 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં

મુંબઈ નજીકનું પડઘા ગામ બન્યું ઈસ્લામિક સ્ટેટ લિબરેટેડ ઝોન

‘હિસાબ મેં રહો! હમ સબ્ર મેં હૈ કબ્ર મેં નહીં’: આઈ લવ મોહમ્મદ બેનર સાથે ધમકીભર્યા સંદેશ અપાયા

ગુજરાત આવતું કેમિકલ ભરેલું ટેન્કર LPG ટ્રક સાથે અથડાયું: 200 સિલિન્ડર બ્લાસ્ટ બાદ ખતરનાક કેમિકલ લીક

બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેશોદ ખાતે શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કારોબારી ની મીટીંગ યોજાઈ
Next Article અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ એસટી બસપોર્ટમાં બ્રેક નહીં લાગતા બસની ઠોકરે ચડી જતા વૃદ્ધનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ અને પરિવારો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ગાંધી ક્વિઝમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર વિતરણ કરાયું
ગોંડલ નેશનલ હાઇવે પાસેથી 86 હજારના MD સાથે મુકેશ વસનાણી ઝડપાયો
આજે PM મોદીના હસ્તે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન
આયન બીમ સંશોધનના આંતરરાષ્ટ્રીય મહાકુંભનો પ્રારંભ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ICNIB-2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી: 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

મુંબઈ નજીકનું પડઘા ગામ બન્યું ઈસ્લામિક સ્ટેટ લિબરેટેડ ઝોન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

‘હિસાબ મેં રહો! હમ સબ્ર મેં હૈ કબ્ર મેં નહીં’: આઈ લવ મોહમ્મદ બેનર સાથે ધમકીભર્યા સંદેશ અપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?