By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    20 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    22 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    22 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    22 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    20 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    20 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    20 hours ago
    દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે
    21 hours ago
    ટોચના માઓવાદી માડવી હિડમા આંધ્ર પ્રદેશમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    20 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    22 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!
AuthorParakh Bhattરાષ્ટ્રીય

પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!

Khaskhabar Editor
Last updated: 2022/01/28 at 12:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!

– પરખ ભટ્ટ 

18 લાખ (અઢાર અક્ષૌહિણી)થી પણ વધુ સૈનિકોએ સતત અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનાં 48128 કિલોમીટરનાં યુધ્ધમેદાનમાં મહાભારત ખેલ્યું. આમ જોવા જઈએ તો દ્વાપર યુગનાં અંતમાં થયેલા આ મહાયુધ્ધમાં અનેક અસ્ત્રો-શસ્ત્રો-તકનિકો તથા કાવાદાવાનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંદુ વેદ-પુરાણ અને મહાભારતને એક ત્રાજવે તોલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મહાભારતનું પલડું વધુ ભારે થઈ જાય એટલી હદ્દે સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય અહીં થયો છે! કૃષ્ણનાં જન્મથી માંડીને પાંડવોનાં મૃત્યુ સુધીનો સમયગાળો અનેક પૌરાણિક રહસ્યો સંઘરીને બેઠો છે. જેને સમજવા માટેનાં ઘણા પ્રયત્નો હાલ થઈ રહ્યા છે.

Contents
કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!– પરખ ભટ્ટ 

મહાભારતનાં બે પ્રસંગો સૌથી વધુ ધ્યાનાકર્ષક છે. એક તો હસ્તિનાપુરની રાજસભામાં થયેલું દ્રૌપદીનું અપમાન અને બીજું 18 દિવસ ચાલેલું મહાયુધ્ધ! કુરુક્ષેત્રમાં જે પ્રકારે છળકપટ અને ઉચ્ચ પ્રકારની રાજનીતિનો ઉપયોગ થયો છે તે આજે આપણા માટે સમજવી જરા પણ સહેલી નથી! અત્યારે જે વાત કરવી છે તે કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!

- Advertisement -

ચક્રની માફક ગોળાકાર ઘેરો બનાવી દુશ્મનને તેમાં ભૂલો પાડી દેવા માટે પ્રાચીન કાળમાં ચક્રવ્યુહનો ઉપયોગ થતો. કોઈ પણ ચક્રવ્યુહમાં મોટે ભાગે સાત ઘેરા ઉભા કરવામાં કરવામાં આવે છે. આ સાતે-સાત સ્તરનાં સૈનિકો સતત ગોળાકાર કરી પોતાની પોઝિશન બદલતાં રહે છે. જેનાં લીધે એકવાર ઘેરામાં પ્રવેશી ચૂકેલો દુશ્મન સૈનિક ક્યારેય ફરી પાછો બહાર નીકળી શકતો નથી. અર્જુનપુત્ર અભિમન્યુનાં કિસ્સામાં પણ આવું જ કંઈક થયેલું! માંના પેટમાંથી ચક્રવ્યુહ ભેદવાનું જ્ઞાન લઈને જન્મેલો અભિમન્યુ કુરૂક્ષેત્રનાં યુધ્ધમાં કમોતે માર્યો ગયો.

મોટાભાગનાં ચક્રવ્યુહને સાત સ્તરીય બનાવવામાં આવે છે. શરૂઆતનાં સ્તરોમાં અસંખ્ય પાયદળ, ઘોડેસવાર તથા રથસવારોને સૈન્યની સુરક્ષામાં તૈનાત રખાય છે જેથી કોઈ કાચોપોચો દુશ્મન ત્યાંથી જ આગળ વધતો અટકી જાય! માની લો કે દુશ્મન સૈનિક છેક સાતમા સ્તર સુધી પહોંચવામાં સફળ થઈ ગયો, તો પણ પુન: ત્યાંથી પરત ફરી બહાર નીકળવું તેનાં માટે અત્યંત મુશ્કેલ છે. અંદરનાં સાતમા સ્તરનાં સૈનિકો સૌથી વધુ બળવાન હોય છે. ત્યાં સુધી પહોંચીને મૃત્યુને હાથતાળી આપવાની કળા એ જમાનામાં ખૂબ ઓછા લોકો પાસે હતી. (ચક્રવ્યુહમાં મહારથ હાંસિલ કરનાર યોધ્ધાઓની યાદીમાં કૃષ્ણ, અર્જુન, દ્રોણ, ભીષ્મ, પ્રદ્યુમ્ન અને અશ્વત્થામા વગેરેનો સમાવેશ થાય છે.) બહારની બાજુ રહેલા સૈનિકોનું કામ એ રહેતું કે દુશ્મનોને ચક્રમાં અંદર પ્રવેશતાં અટકાવે. અને જો કોઈ બળશાળી આવું કરી ગયો તો તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય સૈનિકોને ચક્રવ્યુહનું છેદન કરતાં અટકાવાય છે. અંદર ઘુસપેઠ કરી ચૂકેલા યોધ્ધાને અંદરનાં બીજા કે ત્રીજા સ્તરનાં સૈનિકો સાથે યુધ્ધનો આરંભ કરવો પડે છે. દરેક સ્તરનાં મુખ ભાગમાં યુધ્ધકળામાં પારંગત એવા સૈનિકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ દુશ્મન યોધ્ધાને ચક્રવ્યુહનાં અંદરના ભાગમાં જતો અટકાવી શકે. સૌથી આગળ રહેલા સૈનિકો દુશ્મન તીરંદાજને તલવાર-યુધ્ધમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે, જેથી તેમને બાણ-વર્ષા માટે સમય ન મળે અને ચક્રવ્યુહને કોઈ મોટું નુકશાન પણ ન થાય!

એક પ્રશ્ન એ ઉભો થાય કે સૈનિકોને એક ચોક્ક્સ દિશામાં ગોળાકાર ઘુમી, વ્યુહ બનાવવાની ખબર કઈ રીતે પડતી હશે? જેનો જવાબ મેળવવા માટે થોડું વધુ ઉંડાણમાં જવું જોઈશે. સામાન્ય રીતે યુધ્ધનાં મેદાનમાં કેટલાક ખાસ ડ્રમ મંગાવવામાં આવતાં. જેનો ધ્વનિ ખૂબ મોટા અંતર સુધી સંભળાઈ શકે. આ ડ્રમમાં અમુક ખાસ પ્રકારની બિટ/રીધમ (તાલ) બેસાડવામાં આવતી, જે સૈનિકો માટે દિશા-સૂચનનું કામ કરતી. અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં! ચક્રવ્યુહમાંના સૈનિકોને અગર દિશાહીન કરવા હોય તો ડ્રમ વગાડનાર માણસને મોતને ઘાટ ઉતારી દેવાતો. જોકે, કોઈપણ નીતિવાન યોધ્ધા શસ્ત્રહીન વ્યક્તિ પર હાથ ઉગામવાનું હિચકારૂ કૃત્ય ક્યારેય ન કરતો.

- Advertisement -

કૌરવો-પાંડવો વચ્ચેનાં ધર્મયુધ્ધમાં કુલ ત્રણ વખત ચક્રવ્યુહની રચના કરવામાં આવેલી. (1) વનવાસનાં તેરમા વર્ષ દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતાં ત્યારે ભીષ્મ પિતામહે અર્જુનને કેદી બનાવવા માટે કૌરવોની સેના સાથે મોટા ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. પરંતુ અર્જુને દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરી ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શલ્ય તથા જયદ્રથ વગેરેને એકલા હાથે માત આપી.
(2) યુધ્ધનીતિનાં પ્રખર જાણકાર ગુરૂ દ્રોણાચાર્યે યુધ્ધનાં તેરમા દિવસે યુધિષ્ઠિરને ફસાવવા માટે અક્ષૌહિણી સેનાની મદદ વડે વિશાળ ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. કમનસીબે, તે સમય પર અર્જુન બીજી જગ્યાએ યુધ્ધ લડી રહ્યો હતો. પરિણામસ્વરૂપ, અન્ય પાંડવ ભાઈઓ તથા અભિમન્યુ યુધિષ્ઠિરની વહારે આવ્યા. શ્રીકૃષ્ણ અને અર્જુનની સહાય વગર ચારેય પાંડવ ભાઈઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા કે આખરે આ ચક્રવ્યુહનું ભેદન કરવું કઈ રીતે!? સમયસૂચકતા વાપરીને અભિમન્યુએ ચક્રવ્યુહ ભેદી શકવાની પોતાની કળાનો ઉપયોગ કર્યો. ચક્રવ્યુહ ભેદીને અભિમન્યુ જેવો અંદર પહોંચ્યો કે તરત જ જયદ્રથે પહેલા સ્તરનાં સૈનિકો દ્વારા ચાર પાંડવ ભાઈઓને અંદર પ્રવેશતાં રોકી દીધા. કલાકો સુધી તેઓ ચક્રવ્યુહ ભેદવામાં નાકામયાબ રહ્યા. કારણકે જયદ્રથને ભગવાન શિવ દ્વારા એક દિવસ માટે અજેય રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલ હતું. આથી તેણે પોતાના એ વરદાનનો ઉપયોગ મહાભારતનાં તેરમા દિવસ માટે કર્યો. અભિમન્યુની નબળાઈ એ હતી કે તેને સાત કોઠાને ભેદીને અંદર કઈ રીતે પહોંચવું એનો ખ્યાલ હતો પરંતુ ત્યાંથી ફરી પાછા સાત કોઠા વીંધીને બહારનો રસ્તો કઈ રીતે શોધવો તેનું કોઈ જ્ઞાન નહોતું. પરિણામસ્વરૂપ, કોઈ વ્યક્તિ અભિમન્યુની જાન ન બચાવી શક્યું. (3) ત્રીજા વખતની ગાથા ખૂબ જ રસપ્રદ છે. અભિમન્યુને વીરગતિ પ્રાપ્ત થયા બાદ અર્જુનનાં ક્રોધની કોઈ સીમ ન રહી. તેણે પ્રણ લીધો કે ચૌદમા દિવસે તે જયદ્રથનો વધ કરશે. અર્જુનનાં ઈરાદાઓ વિશેની જાણ સમગ્ર કૌરવ-છાવણીમાં થઈ ચૂકી હતી. આથી જયદ્રથને બચાવવા માટે બીજા દિવસે ફરી ચક્રવ્યુહની રચના થઈ. સર્પવ્યુહ (સ્નેક ફોર્મેશન) અને સૂચિવ્યુહ (નીડલ ફોર્મેશન : સોયનાં આકાર સમાન)નું મિશ્રણ એવા એક સાવ નવા ચક્રવ્યુહની રચના થઈ. છતાં કૃષ્ણની સૂઝ-બૂઝ અને અર્જુનનાં દ્રઢ નિર્ધાર સામે જયદ્રથ ટકી ન શક્યો અને સૂર્યાસ્ત પહેલા મૃત્યુ પામ્યો.

You Might Also Like

વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો

રીયલ લાઈફ સિંઘમ

અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા

દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે

ટોચના માઓવાદી માડવી હિડમા આંધ્ર પ્રદેશમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેશોદ ખાતે શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કારોબારી ની મીટીંગ યોજાઈ
Next Article અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
રીસેટ વેલ્થ કંપનીમાં કરોડોની છેતરપિંડી: અટક ન થતાં પીડિતોની કમિશનરને રજૂઆત
‘મને તગડો પગાર મળે છે, તમારું કામ કરી ઉપકાર કરતો નથી’ !
હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

રીયલ લાઈફ સિંઘમ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?