તરૂણી દાહોદના ફતેપુરાની અને યુવક પણ દાહોદનો હોવાનું સામે આવ્યું
બંનેની લાશને ફોરેન્સીક પીએમ માટે જામનગર ખસેડાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ગિરનારના જંગલમાંથી ગઇકાલે એક તરૂણી અને યુવકની કહોવાય ગયેલી હાલતમાં ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુ હતુ કે, પ્રેમ પ્રકરણ કારણભૂત હોઇ શકે ? તેમજ યુવતિ પારગી જાગૃતિબેન મહેશભાઇ દાહોદના ફતેહપુરા વિસ્તારની હોવાનું સામે આવ્યુ છે જયારે યુવક સુનિલ દામા નામના યુવકના પરિવાર સાથે સંપર્ક કરી વધુ પુછપરછ ચાલી રહી છે. હાલ બંનેની લાશને ફોરેન્સીક પીએમ અર્થે જામનગર ખસેડવામાં આવી છે.
શહેરના ધરાનગર પાછળના વિસ્તારમાં આવેલા ગિરનાર જંગલ વિસ્તારમાં બે મૃતદેહ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મ્ળયાહતા. આ અંગે જાણ થતા પોલીસ, વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ કરતા બંનેના મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતા એક મૃતદેહનું માથુ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં હતુ અનવ ધડ નીચે પડયુ જોવા મળ્યુ હતુ. આ દ્રશ્ય જોઇને કર્મચારીઓની કંપારી છુટી ગઇ હતી.
આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુહતુ કે, સ્થળ પરથી દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના નવા ફળીયાના સરનામા વાળુ તરૂણનું આધારકાર્ડ મળ્યુ છે જયારે યુવકની ઓળખ થઇ નથી. યુવકત તરૂણીના ગામની નજીકનો હોવાનું તેમજ બંને ગત તા.13 ઓગસ્ટના ઘરેથી નિકળી ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. કોઇ સુસાઇડ નોટ મળી નથી. હાલ પોલીસે બંનેના મૃતદેહને પીએમમાંખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.