ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનની રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે આ ઉજવણીમાં મોટેરા થી માંડીને નાનાં ભૂલકાઓમાં પણ અનેરો દેશપ્રેમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા બલદાણા ગામની બલદાણા પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. શાળાના વિદ્યાર્થીઓએ દેશનાં નકશાની પ્રતિકૃતિ બનાવી અનોખી રીતે દેશભાવના વ્યક્ત કરી હતી. તેમજ ગ્રામજનોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા સંદેશ પાઠવ્યો હતો.