રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતમાં અંદાજે 1076 બિલ્ડર્સ ઉપર તવાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.5
ક્ધસ્ટ્રક્શનના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય અને કોમ્પ્લાયન્સ રિપોર્ટ બાકી હોય તેવા બિલ્ડર્સ ડેવલપર્સને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની કલમ 63માં કરવામાં પ્રોજેક્ટના કુલ ખર્ચના 5 ટકા અને મહત્તમ રૂ. 5 કરોડનો દંડ કરવામાં આવશે.જો કે દરેક કેસની ચકાસણી કરીને પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે એમ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીના જાણકાર સૂત્રોનું કહેવું છે.
- Advertisement -
કલમ 63માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ ઓર્ડરની બિલ્ડર દ્વારા અવગણના કરવામાં આવે અથવા તો પછી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં જે દિવસથી નિયમ ભંગ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તે દિવસથી તેને દંડ લાગુ પડવા માંડે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જેટલા દિવસ નિયમનો ભંગ થયો હોય તેટલા દિવસ દંડ લાગતો જ રહે છે. આ દંડની મહત્તમ રકમ રૂ. 5 કરોડ નક્કી કરવામાં આવેલી છે. કોઈપણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નક્કી કરવામાં આવે છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ગુજરાતના અંદાજે 1076 બિલ્ડર્સ ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મિટિંગમાં વિચારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટેએ સ્ટેલ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ તે પત્ર બેન્કોને મોકલી આપતા એચડીએફસી બેન્કે તેની બેન્કમાંના બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીધું છે.ત્યારબાદ રેરાના અધિકારીઓએ પ્રસ્તુત સ્પષ્ટતા કરી છે.
રેરાના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી ઘણાં બિલ્ડર્સ બિલ્ડિંગ યુઝની પરવાનગી લઈને પ્રોજેક્ટ સમેટી લે છે. પરંતુ આ બધું રજૂ કરીને પ્રોજેક્ટ લીધા છે કે નહિ તેની જાણ રેરાને કરીને પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવવાનું હોય છે.
આ જ રીતે ડેવલપર્સે સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહિ કે પછી તેમને સહકારી સોસાયટીની સ્થાપના કરીને મેમ્બર્સને આપવાના થતાં નાણાં પરત આપ્યા કે નહિ તેની વિગતો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મૂકીને પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોવાની જાણ કરવાની છે. મોટાભાગના બિલ્ડર્સ ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો થયા પછી બિલ્ડિંગ યુઝની પરવાનગી મેળવી લીધા બાદ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને તેઓ જાણ ન કરતાં હોવાથી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાનું સૂચન મૂકવામાં આવ્યું છે.
- Advertisement -
બિલ્ડર-ગ્રાહકોના વિવાદ ઉકેલવા ‘રેરા’ની સમાધાન યોજના: 50% કેસોનો નિકાલ
સમજાવટ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા શરૂ કરાયેલી ફરિયાદોના સુખદ સમાધાનમાં લોકોને ઝડપી ન્યાય મળી રહ્યો છે અને માટે મુકવામાં આવેલા લગભગ 50 ટકા કેસોનું પરિણામ આવ્યું છે અને આંતરિક વાતચીતથી કાનૂની પક્ષકારોએ આ મુદ્દાનું સમાધાન કર્યું હોવાથી તેનો નિકાલ થયો છે.ગુજરેરા દ્વારા શરૂ કરાયેલી સમાધાન યોજનાને પ્રતિસાદ મળવા લાગ્યો છે. તેની જાહેરાત પછી 55 માંથી 30 કાનૂની પક્ષકારોએ અધિકારીઓના સમર્થનથી મુદ્દાઓનું સમાધાન કર્યું છે. છઊછઅએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાધાન યોજના દ્વારા ફરિયાદોના સુખદ અંત માટે સૂચક માર્ગદર્શિકા જારી કરી હતી અને જણાવ્યું કે અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસોનો નિકાલ સમાધાન દ્વારા કરવામાં આવશે.સ્કીમ શરૂ કર્યા પછી, ખરીદદારો અને ડેવલવર્સ વચ્ચે ચાલી રહેલી 55 દાવાઓ છઊછઅ ના નિયુક્ત અધિકારીઓ સમક્ષ સમાધાન માટે મૂકવામાં આવી છે. તેમાંથી 30 કેસો પક્ષકારો વચ્ચે સમાધાન સાથે ઉકેલાઈ ગયા છે, 15 કેસ હજુ પણ વિચારણા હેઠળ છે અને બાકીના કેસો વાટાઘાટોમાં નિષ્ફળ ગયા છે અને છઊછઅ ઓથોરિટીમાં નિર્ણય માટે પાછા મોકલવામાં આવ્યા છે.
દર વર્ષે ઓથોરિટીને ન્યાય મેળવવા માટે 500 ફરિયાદો મળે છે અને તેમાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. મોટાભાગના કેસો રિફંડ, વ્યાજ, વેચાણ ખત, કબજો, સામાન્ય સુવિધાઓ, સમારકામ, વળતર વગેરેના વિવિધ મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ સુવિધા સત્તાધિકારી સમક્ષની ફરિયાદોમાં સૌહાર્દપૂર્ણ સમાધાન માટે કોઈપણ વધારાના ખર્ચ અથવા દંડ વિના સ્થાપિત કરવામાં આવી છે. નિયમો અનુસાર મધ્યસ્થી પ્રક્રિયા શરૂ થયાની તારીખથી 60 દિવસથી વધુ સમય સુધી સમાધાનની પ્રક્રિયા ચાલુ રાખી શકાશે નહીં.