શપથ ગ્રહણ સમારંભમાં PM મોદીએ પહેર્યું રોયલ બ્લૂ રંગનું ખાસ જેકેટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત PM પદના શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ અપાવ્યા હતા. PM મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રવિવારે સાંજે 7:24 વાગે PM પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. આ સાથે જ 71 પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. શપથ ગ્રહણ સમારંભમાં એક ખાસ ધ્યાન આપનારી વાત હતી અને તે PM મોદીનું જેકેટ. હકીકતમાં આ વખતે શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોયલ બ્લૂ એટલે કે શાહી લીલા રંગનું જેકેટ પહેર્યું હતું.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદી હંમેશા એક ખાસ પ્રકારના જેકેટ પહેરે છે, જે હવે ’મોદી જેકેટ’ નામથી ઓળખાય છે. ઙખ મોદી દરેક વખતે શપથ ગ્રહણ સમારંભમાં અલગ-અલગ રંગના જેકેટ પહેરીને શપથ લીધા હતા. PM મોદીની આ તમામ જેકેટ ખાસ કરીને અમદાવાદમાં તૈયાર કરવામાં આવે છે. આ સંજોગોમાં ત્રીજી વખત PM પદના શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદીએ જેકેટ શાહી લીલા રંગની પસંદગી કરી હતી.
વર્ષ 2014માં પહેલીવાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ સાંજે 6:13 વાગ્યે શપથ લીધા ત્યારે તેમણે લાઈટ બ્રાઉન જેકેટ પહેર્યું હતું. આ લાઈટ બ્રાઉન રંગ શક્તિ અને વ્યવહારીક સ્વભાવને દર્શાવે છે. આ રંગના પ્રભાવ હેઠળ જીવતા લોકો વિશ્વાસપાત્ર, મહેનતુ અને ડાઉન ટુ અર્થ કહેવાય છે. તે સમયે પીએમ મોદીને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ જ્યારે પીએમ મોદીએ વર્ષ 2019માં બીજી વખત શપથ લીધા ત્યારે તેમણે લાઈટ ગ્રે રંગનું જેકેટ પહેર્યું હતું. આ સાથે ઙખ મોદી દરેક વખતે સફેદ રંગનો કુર્તો પહેરીને શપથ લેવા આવ્યા હતા. વર્ષ 2019માં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા હતા.
શું છે આ રંગનો અર્થ?
જ્યોતિષ પ્રમાણે આ ખૂબ જ ગાઢ અને શક્તિશાળી રંગ માનવામાં આવે છે. આ રંગ સ્થિરતા, જ્ઞાન, આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિક ગહેરાઈનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ ભાવનાઓ, જ્ઞાન અને સંવેદનશીલતાને દર્શાવે છે. લીલો રંગ મનને શાંતિ આપનાર અને સંતુલન પ્રદાન કરનાર માનવામાં આવે છે. તે શક્તિ અને શાંતિને પણ પ્રદર્શિત કરે છે.